SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ] ઉપદેશપદ-અનુવા રીને સર્વ સ્વ-પર કાર્યો તે કરતે હતે. આગળ પ્રમાણે સ્થાવર સેવક પણ બહુમાન બતાવતા, તેમ જ સ્વજન, પુત્ર અને બંધુની જેમ સર્વ કાર્યો પોતાનાં ગણી કરતો હતો. પરંતુ સ્ત્રીઓના સ્વભાવ વિવેક-રહિત હોવાથી દુઃશીલવાળી સંપદા સ્થાવરને દેખીને કામદેવના બાણથી ઘવાયેલી વિચારવા લાગી કે-“ક્યા ઉપાયથી આ સ્થાવરની સાથે વગર રોક-ટોકે નિર્વિને એકાંતમાં રહીને હું વિષયસુખને અનુભવ કરું? પુત્ર મુનિચંદ્રને મરાવી નખાવીને આ મારા ઘરના ધન, સુવર્ણ આદિ સમૃદ્ધિના સ્વામી તરીકે કેવી રીતે સ્થાપન કરવો?” એમ વિચારતી તે સ્થાવરને નાન, ભેજન આદિમાં વિશેષ પ્રકારે તેની સરભરા કરવા લાગી. અરે! પાપી સ્ત્રીઓની દુષ્ટતા કેટલી નીચ હદની હોય છે? જેણે તેને અભિપ્રાય નથી જા, એવો સ્થાવર તે તેના પ્રત્યે તે જ પ્રમાણે નીહાળતા અને વિચારતો કે, “આ માતાપણાના અંગે મારી વિશેષપણે સંભાળ હવે કઈક સમયે એકાંતમાં લજાને સર્વથા ત્યાગ કરી, કુલમર્યાદાને છોડીને તેણે પિતાને સર્વ આત્મા નેહથી સમર્પણ કર્યો. વળી તેને કહ્યું કે-“હે ભદ્ર! મુનિચંદ્ર પુત્રને મારી નાખીને આ જ ઘરમાં વિશ્વસ્ત બની સ્વામીની જેમ મારી સાથે ભેગો ભોગવ. હું તેને તારી સાથે ગોકુળમાં મોકલીશ, માર્ગમાં તારે તરવાર વડે તેનો વધ કરી નાખો .” આ વાત સ્થાવર નેકરે પણ સ્વીકારી. કારણ કે, “લજજા છોડનારને કોઈ અકાય હોતું નથી.” આ ખાનગી મંત્રણા બંધુમતી બહેનના સાંભળવામાં આવી, એટલે અતિ સ્નેહભાવથી જે બંધુ ઘરમાં આવી પહોંચ્યો, એટલે તરત જ તેના કાને વાત નાખી. બહેનને મૌન રાખવાનું કહીને મુનિચંદ્ર ઘરમાં ગયે, એટલે માતાએ કપટથી રુદન કરવાનું આરંવ્યું. પુત્રે પૂછયું કે, “હે માતાજી! શા કારણે રુદન કરે છે?” ત્યારે માતાએ કહ્યું કે, “ઘરનાં કાર્યો સીદાતાં દેખીને રુદન કરું છું. તારા પિતા જીવતા હતા, ત્યારે નક્કી દરેક મહિને ગોકુળમાં જઈને ઘી, દૂધ વગેરે લાવીને આપતા હતા. અત્યારે તો હે પુત્ર! તું અત્યંત પ્રમાદવાળે બની ગોકુળની કશી સાર-સંભાળ–ચિંતા રાખતા નથી. આ મારા ઘરની વાત ક્યાં જઈને કરું? પુત્રે કહ્યું કે, “હે માતાજી! તું રેવાનું બંધ કર, સવારે સ્થાવરની સાથે હું ગોકુળમાં જઈશ, માટે શોકને ત્યાગ કર.” પુત્રનાં વચન સાંભળી મનમાં ખુશ થઈ અને મૌન બની. બીજા દિવસે ઘોડા ઉપર સ્વાર થઈને સ્થાવર સાથે ગોકુળમાં ચાલ્યો. ચાલતાં અને જતાં સ્થાવર વિચારે છે કે-“જે કઈ પ્રકારે મુનિચંદ્ર આગળ ચાલે, તે પાછા ળથી ખગથી પ્રહાર કરી જલદી તેને હણી નાખું.” હવે મુનિચંદ્ર પણ બહેને કહેલા વૃત્તાન્તથી સાવધાન હતો અને તેથી એક સાથે બંને માર્ગમાં અપ્રમત્તપણે જતો હતે. હવે ઘોડો કેઈક વિષમ પ્રદેશમાં આવ્યું, એટલે ચાબુકના મારથી સ્થાવરે તેને માર્યો, એટલે મુનિચંદ્ર આગળ ચાલવા લાગ્યા. શંકા સહિત મુનિચંદ્ર જેટલામાં આગળ ગયો, તેટલામાં સ્થાવર પાછલા ભાગમાં તરવાર ખેંચીને તેને વધ કરવા તૈયાર થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy