SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ] ઉપદેશપદ-અનુવાદ એવા પ્રવર્તિનીને દેખ્યાં. પૂર્ણ આદરથી મસ્તક મહિલમાં સ્પર્શ થાય, તેવી રીતે તે સાવીને વંદના કરી, તેમ જ નજીકમાં બીજાં સાધ્વીઓ હતાં, તેમના તરફ પણ ધર્મ સનેહ–દષ્ટિથી અવલોકન કર્યું. તે સમયે બેલવા લાયક વચને લાંબાકાળ સુધી બોલ્યાં. દાનાદિક ચાર પ્રકારનો ધર્મ સમજાવ્યું. તે આ પ્રમાણે “દાન, શીલ, તપ અને ભાવના એવા ચાર પ્રકારને ધર્મ છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુકંપાદાન-એમ દાન ચાર પ્રકારનાં છે. તેમાં જ્ઞાનદાન તેને કહેવાય કે મોહની. અધિકતાવાળા જીવોને તથા તત્ત્વની ચિતા-રહિત એવા પ્રાણીઓને ભદ્રિક સુંદર વચન કહીને તેના આત્મામાં સુંદર બધ ઉત્પન્ન કરે. આ વિષયમાં સ્વ-પર શાસ્ત્રોને જાણનારા કુશલ ગુરુમહારાજાએ ભવ્યજીને જે જ્ઞાન આપવું, તેનું નામ જ્ઞાનદાન. જગતમાં સહુ કોઈ જીવોને પોતાના પ્રાણ અધિક વહાલા હોય છે. તેથી તેઓને પ્રાણદાન કરવારૂપ અભયદાન આપવું-તે દેશથી અને સર્વથી એમ બે પ્રકારના અભયદાન જાણવાં. જે ધર્મ કરનારા અને ધર્મમાં મન રાખનારા એવા સાધુઓ અને શ્રાવકો અને ભગવંતના વચનમાં યથાર્થ શ્રદ્ધા રાખનારા એવા સમકિતવંત આત્માઓને અન્ન-પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ ધર્મમાં ઉપકાર કરનાર વસ્તુનું પાત્રાનુસાર જે દાન કુશળ ચિત્તથી આપવું, તે ધર્મોપગ્રહદાન. જે દુઃખીઓ, ખરાબ સ્થિતિવાળા, ગી, અપંગ હેય, તેમને દુઃખ નિવારણ થાય, તે પ્રમાણે ઉચિત ઉપકાર કરવા રૂપ અનુકંપાદાન. આ પ્રમાણે દાનના પ્રકારે સમજાવ્યા. જે ઈન્દ્રિય, મનના વિકારોનો ત્યાગ કરે, ચારે કષાયોને જય કર, ચિત્તને સમાધિમાં રાખવા લક્ષણ શીલ ધર્મ કહે છે. કર્મક્ષય કરવાના કારણભૂત એવા ઉપવાસાદિક અનેક પ્રકારના તપ કરવા, આ તપ પણ લાનિ-ખેદ પામ્યા વગર, તેમ મરવાની કે જીવવાની કઈ અભિલાષા રાખ્યા વગર, વિવેકી આત્માઓએ ગુરુની આજ્ઞા નુસાર વિધિ પ્રમાણે કરવા. જે જીવિત, ધન, યૌવન આદિ જગતના પદાર્થો અનિત્ય ક્ષણભંગુર અને પાપ બંધાવનારા છે, તે પ્રમાણે બાર ભાવનાઓ ભાવવારૂપ ભાવનાધર્મ સમજવો. આ ધર્મ સમગ્ર સુખની ખાણ સ્વરૂપ સમજો. ચાર પ્રકારને આ ધર્મ પાર વગરના સંસારરૂપ ખારા જળવાળા સમુદ્રને તરવા માટે નાવ–સમાન છે, વિશાળ દુઃખાટવીને બાળી નાખનાર પ્રચંડ જવાલાવાળા અગ્નિસમાન આ ધર્મ છે. વળી આ ધર્મ સમગ્ર ત્રણે ભુવનના લોકોની લહમીરૂપ વેલડીના મંડપ સમાન છે. સમગ્ર ઈચ્છિત ફલ-પ્રાપ્તિ માટે એકાંત કલ્પવૃક્ષ સમાન આ ધર્મ છે. વધારે કેટલું કહેવું? આ જગતમાં આ ધર્મ કરતાં અધિક સુંદર બીજું કંઈ નથી.” આ પ્રમાણે પ્રવર્તિની સાધ્વીની પાસેથી જ્યારે ધર્મ સાંભળે, ત્યારે વાસિત કરેલા વસ્ત્રમાં જેમ રંગ સર્વ રીતે વ્યાપી જાય, તેમ તે જ ક્ષણે સમાના આત્મામાં ધર્મ પરિણયે. સમગ્ર ભુવનના મુગુટ સમાન ભક્તિપૂર્ણ સમગ્ર દેએ જેમને નમસ્કાર કરેલ છે, એવા અરિહંત ભગવંતને દેવબુદ્ધિથી, તૃણુ અને મણિ બંનેમાં સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy