SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ગબર વણિકની કથા [ ૩૬૭ છે?” તેણે કહ્યું કે, “હે દેવગોબર-છાણ લાવ્યો છું.” “શું આ ગાંડો છે ? એ હકીકત સત્ય જ છે કે શું? અથવા તો હવે કાર્ય થવાનું થઈ ગયું, જે થયું તે ખરું. આની પાસેથી દાણું ન ગ્રહણ કરવું” એમ વિચારી તેનું વહાણ શુક વગરનું કર્યું. આપની મહાકૃપા” એમ કહ્યું. રાજા અને લોકો તેને હસવા લાગ્યા કે, “ધિકાર થાઓ આના ગાંડપણનેજેના પ્રસાદને આ અપૂર્વ લાભ મેળવ્ય, ડાહ્યો છતાં ગાંડામાં ખપી લોકોના અપમાનને-હીલનાને સહન કરીને તે છાણાના પિંડાએ પિતાનં ઘરમાં દાખલ કરાવી દીધા. ત્યાર પછી અગ્નિ પ્રવાલન કરી રત્નો બનાવ્યાં. રાજા પાસેથી જે લાખ દીનાર–સોનામહોર ગ્રહણ કરી હતી, તે બમણું કરીને રાજાના ભિંડારમાં પાછી આપી. હવે તેને અહિં વેપાર કરવાનો અધિકાર મળી ગયો. દરરોજ રત્નને મોટો વેપાર કરવા લાગ્યો, તેના પ્રભાવથી ભુવનમાં ભેજન, વસ્ત્રાદિ વસ્તુઓનો ભોગ ભોગવનાર તથા બંધુ, મિત્ર, તેના રહેવાસી લોકો વડે પૂજનીય બન્યો. ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત કરવાવડે મનના સંતોષને પામેલો બન્યો. જેમ તે પિતાના નિરૂપણ કરેલા પટ્ટકમાં લખેલા અર્થથી નિશ્ચલ બન્ય, તેમ જ ચિતવેલા મારથી અધિક ભાવ પામ્યો. તેમ પટ્ટક સમાન જિનેશ્વરની આજ્ઞાનો નિશ્ચય કરનાર કેઈક કદાચ ક્યાંઈક મૂર્ખ લોકથી હીલના-તિરસ્કાર પામતે હોય, તે તેથી આ જિનેશ્વરને ધર્મ આચરવાને માટે તે અયોગ્ય બની જાય છે ? તે વાત તું જ મને કહે. ધનવાન લોકોને એકલા પોતાના પેટ ભરનારા બનવું, તે અનુચિત છે. અર્થાત્ તું એકલી જ ધમ કરે અને બીજાને ન કરાવે તે તારા માટે ઉચિત ન ગણાય. શ્રીમતી સોમાના વચનની નિપુણતાથી સંતોષ પામેલી કહેવા લાગી કે, “ધર્મ–દાન કરવા માટે તું પાત્ર છે, નહિંતર બીજા કેણ આવાં વચન બોલી શકે ? આ ધર્મ તો હું તને માત્ર કહી શકું છું, આપી શકતી નથી, ગુરુમહારાજ જ ધર્મ આપી શકે છે, એટલે શ્રીમતી સમાને સાધ્વીજીના ઉપાશ્રયમાં લઈ ગઈ, એટલે ત્યાં પ્રવર્તિનીનાં દર્શન થયાં. તે કેવાં ગુણવાળાં હતાં? તે કહે છે – જેણે પિતાના શીલની શુદ્ધિ રૂપ ગંગાના પ્રવાહથી ત્રણ લેકને નિર્મલ કર્યા છે, અથવા તેના શીલની કીર્તિ ત્રણે લોકમાં ફેલાઈ છે. લજજા, મર્યાદા, સંયમાદિ રૂપ ગુણેને પ્રત્યક્ષ કુંજ હોય તેવી, જેણે વિહિત અનુષ્ઠાન માટે સારી રીતે લીન બની એકાગ્ર મન સ્થાપન કર્યું છે, રાજાના-શ્રીમતના કુલ માં જન્મેલી, સુકુમાર કાયાવાળી, બીજી પણ અનેક સાધ્વીઓના ગુરુપણાને પામેલી, અતિસુકુમાર દેહના રૂપ, વર્ણ, શરીરની કાંતિ દઢ સંયમના કારણે વૃદ્ધિ પામેલાં હતાં. અસુરે, દે, ખેચરની સ્ત્રીઓએ પ્રાપ્ત કરેલ મંગલ લાવણ્યાદિકને એક પગલે જ નિર્ભર્સના સ્થાનને પમાડતા હતા. (૧૦૦) - કોકિલાઓનાં કુલથી પણ અતિકોમલ સ્વરથી કર્ણામૃત ઝરાવતાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય રૂપ પાંચ પ્રકારના મધુર શબ્દથી અનુષ્ઠાન કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy