SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ] ઉપદેશપદ-અનુવાદ ઉપાર્જન કરેલ દત્ત નામના શેઠ હતા. પુણ્યની હાનિ થવાના કારણે કાઈક કાળે દરિદ્રપણાને પામ્યા. નિર'તર મનારથા અપૂર્ણ રહેવાથી તે વિચારવા લાગ્યા કે, કચે ઉપાય એવા છે કે જેથી હું ફરી પણ વૈભવના સ્વામી ખનું ?' તે સમયે પેાતાના પિતાનું વચન યાદ આવ્યું કે, હે પુત્ર! કદાચ કોઈ પ્રકારે વૈભવ ન હોય, તા કાષ્ઠની પેટીના સજ્જડ મધ્યભાગમાં તાંખાની એક કરંડિકામાં-મંજૂષામાં તારા માટે એક પટ્ટક લખીને રાખેલા છે, તે તારે એકલાએ નિરીક્ષણ કરવા અને આ વાત કાઇ પાસે પ્રકાશિત ન કરવી. માત્ર અંદર કહેલુ` કા` અતિનિપુણ મનથી તારે કરી લેવું. લખ્યા પ્રમાણે કરીશ, તે સ ખાજીથી તને લક્ષ્મી પ્રાપ્ત થશે એ પ્રમાણે પિતાના વચનને સંભારતા કાઈ ન જાણે તેવી રીતે એકાંતમાં તે પેટી ઉઘાડીને અંદરની ડાબડી કાઢીને તેમાંના પટ્ટક વાંચ્યા. અંદર લખેલું હતું કે- ગેામય નામના દ્વીપમાં રત્નનું તૃણ ચરનાર એવી ગાયાના સમુદાય સત્ર ચરે છે. આ દેશમાંથી ો ઉકરડામાંથી ખાતર ત્યાં લઈ જવામાં આવે અને તે પ્રદેશમાં નાખવામાં આવે, તેા તેના ઉષ્ણ સ્પના લેાભથી રાત્રિ-સમયે તે ગાયા ત્યાં આવશે અને ત્યાં છાણના પાદળા મૂકશે. તે પેાદળાને મેાટા ઉદ્ભટ અગ્નિ વડે જલાવવામાં આવે, તે તેમાંથી કિંમતી પાંચે વર્ણનાં રત્ના ઉત્પન્ન થશે. આ પ્રમાણે પટ્ટ વાંચીને અથ સમા, એટલે તે વિચારવા લાગ્યા બુદ્ધિશાળી બીજા હિતકારી પુરુષાના વચનામાં કદાપિ ફેરફાર ન હોય, તે પછી એકાંત વાત્સલ્ય-ભક્તિવાળા મારા નિપુણ પિતાજીની તે વાત જ શી કરવી? કાના પરમાના વિનિશ્ચય કર્યા પછી નગરમાં ઘાષણા કરાવે છે કે- મારી પાસે બુદ્ધિ પુષ્કળ છે, પરંતુ વૈભવ નથી, તે શું કરુ? ’ આ પ્રમાણે માર્ગોમાં ત્રણ-ચાર માર્ગમાં, ચાક-ચૌટામાં ખેલતા ખેલતા ભ્રમણ કરતા હતા. લેાકેાએ કલ્પના કરી કે, ‘· આપડા વૈભવ-રહિત થયેલા હેાવાથી આમ વ્યાકુળ ખની ગયા છે. ' (૭૫) તે નગરના સ્વામી –રાજાએ સાંભળ્યું અને તેને કૌતુક થયું, તેને એાલાબ્યા. છેવટે ધન આપવાનું નક્કી કર્યું. એક લાખ સેાનામહારા ગ્રહણ કરીને દેખાવનું ગાંડપણ કઇક આછું કર્યું. ગામયદ્વીપના માના જાણકાર એક નિર્યામકને સાથે આવવાનું નક્કી કર્યું. ગામ, ખાણુ, નગર વગેરેના ઉકરડાના કચરા વહાણામાં ભર્યા. લેક ખેલવા લાગ્યા કે, ૮ આ એમાં રાજા ગાંડા થયા છે કે શું ? કે, જે આવાને ધન આપે છે અને ધનના ઉપયાગ કચરા ભરીને સામે પાર વેપાર કરવા લઇ જાય છે.' હવે આ પણ અહીંથી પ્રયાણ કરવા પૂર્વક લેાકેાના વચનની અવગણના કરીને નિર્વિઘ્ને તે દ્વીપે પહેાંચી ગયે. પટ્ટમાં લખેલ હતું, તે પ્રમાણે સ અનુષ્ઠાન કર્યું. (૮૦) ગાયા જોવામાં આવી. તે ગાયાનું ઘણું છાણુ ગ્રહણ કરીને વહાણા ભર્યાં અને જલ્દી પેાતાના દેશમાં આવ્યેા. સમુદ્રકિનારે સર્વે વહાણામાંથી છાણ નીચે ઉતાર્યું.. રાજાને મળ્યું. રાજાએ આદર-ગૌરવપૂર્વક પૂછ્યું કે, પ્રાણાના સંશય થાય, તેવું સાહસ કરીને બીજા દ્વીપે ગયા હતા, તેા તે દ્વીપાન્તરમાંથી શું કરિયાણું અહીં આપ્યું 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy