SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] ઉપદેશપદ-અનુવાદ સજજડ અશુભ અધ્યવસાય ઉત્પન્ન થાય, એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મો નિકાચિત અવસ્થા પામનારાં થાય. તેવાં કર્મોને ક્ષય કર્યા વગર મહાપુરુષાર્થ સ્વરૂપ મોક્ષ મેળવી શકાતો નથી, પરંતુ સકલ કર્મનો સર્વથા ક્ષય થાય, તો જ મોક્ષ મેળવી શકાય છે. માટે કર્મક્ષયના અર્થીઓએ જે સહેજે ઉપસર્ગો ઉદયમાં આવી ગયા, તે સમતાભાવથી આર્તધ્યાન કર્યા વગર ભોગવી લેવા. મેં પૂર્વભવમાં પાપ બાંધ્યાં છે, તે જ મને ઉદયમાં આવ્યાં છે. તે મારે જ ભેગવીને ક્ષય કરવાનાં છે-એમ ચિતવે. કદાચ કઈ સહન કરવા સમર્થ ન થાય, તો પ્રતિકાર-પ્રવૃત્તિ કરવી, તે પણ કલ્યાણકારી છે. અહિં અશુભ પાપકર્મ ક્ષય કરવામાં ક૯પ-વ્યવહાર આદિ ગ્રન્થસૂત્રોમાં કહેલ લાનની ચિકિત્સા વિષયક સૂત્રાનુસારી પ્રવૃત્તિ સમજવી. જેમ કે-“પ્રાસુક-અચિત્ત એષણીય-નિર્દોષ પ્રાસુક ખરીદ કરેલા ઔષધાદિકથી, પૂતિકર્મ, મિશ્ર અને આધાકર્મ દષવાળા ઔષધ કે પથ્ય આહાર-પાણીથી જયણાથી ગ્લાનની ચિકિત્સા-માંદાની માવજત કરવી. પરંતુ લાભ-નુકશાનના વિચાર વગર પિતાની મતિક૯૫નાથી ચિકિત્સા-પ્રવૃત્તિ ન કરવી. ” (૫૪૨) એને આશ્રીને કહે છે – ૫૪૩–આર્તધ્યાનના અભાવમાં-હવે આર્તધ્યાન કોને કહેવાય છે, તે પણ પ્રસંગનુસાર જણાવે છે–દયાનશતક નામના ગ્રન્થમાં આર્તધ્યાનના અધિકારમાં કહે છે કે-“શૂલ, મસ્તક–વેદના વગેરે શરીરની અશાતાના ઉદયમાં તે વેદનાનો વિયોગ કેમ થાય ? તેવું મન, વચન, કાયાથી પ્રણિધાન કરવું-વિચારવું, વળી તે વેદના ફરી ન થાય તેની ચિંતા, વેદના મટાડવા માટે આકુળ-વ્યાકુલ મન થાય-આ પ્રમાણે જે ધારણા-વિચાર મનમાં થાય, તે આર્તધ્યાન કહેવાય. તે અશુભધ્યાન છે. તે આર્તધ્યાન કરવાથી અશુભ પાપકર્મ નવાં બંધાય છે. આધ્યાન ન થાય, તેમ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મની નિર્ભર કરવાથી અભિલાષાયુક્ત બની મેક્ષની ઈચ્છાવાળા આત્માઓએ સનકુમાર રાજર્ષિની જેમ સમતાભાવ સહિત ઉદયમાં આવેલા કોઢ, અતિસાર વગેરે વ્યાધિ સહન કરવા. તે માટે કહેવું છે કે- ખરજ, અન્ન-અરુચિ, આંખ અને કુક્ષિપેટમાં તીવ્ર વેદના, શ્વાસ, ખાંસી, તાવ આ વગેરે રોગોની વેદનાઓ સાત વરસો સુધી આર્તધ્યાન કર્યા વગર સમભાવે સહન કરી, તે સનકુમાર રાજર્ષિ એમ વિચારતા હતા કે–“પૂર્વે કરેલાં દુપ્રતિકાર્ય કર્મોને ભોગવ્યા પછી જ મોક્ષ થાય છે. ભગવ્યા વગર તપશ્ચર્યા કે પ્રાયશ્ચિત્ત કર્યા વગર કર્મ ક્ષય પામતાં નથી કે મેક્ષ થતું નથી.” અહિં શંકા કરી કે-વ્યાધિની વેદના સહન ન કરી શકે, તેવાને સંયમના યોગો સીદાય છે અને આધ્યાન થાય છે, ત્યારે શું કરવું ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે–આર્તધ્યાનના ભાવમાં અને સંયમયેગો પણ સાધી ન શકે, ત્યારે શાસ્ત્રમાં કહેલા વિધિથી ચતુર વૈદ્યાદિને બોલાવી તે વ્યાધિને પ્રતિકાર કરનાર ચિકિત્સા આદિક ઉપાય કરવા. જે પ્રતિકારના ઉપાયે ન કરવામાં આવે, તે વ્યાધિની શાંતિ થાય નહિ, બલ્ક વ્યાધિની વૃદ્ધિ થાય. (૫૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy