SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અરેગી બ્રાહ્મણ શ્રાવક [ ૩૫૯ દેહની પીડાની ઉપેક્ષા કરીને આત્માને જ બચાવવાને હેય. આ ઉત્સ–રાજમાર્ગ વિચ્છેદ-રહિત સતત ગણાય છે. બીજા પ્રયજન માટે હોય, તેવાએ દેહની ચિંતા કરવી ચોગ્ય ગણાય. તે માટે નિશીથ-ભાગ્યમાં કહેલું છે કે “આ શાસનના માર્ગને સતત પ્રવાહ વહેતો રહે, તેવા પ્રકારનો એટલે કે, નવા નવા શિષ્યોને ભણાવી-ગણાવી એવા તૈયાર કરવા કે, તેઓ પણ આ પ્રમાણે તીર્થની પરંપરાને સતત પ્રવાહ ચલાવ્યા કરે; તેમ હું કયારે કરીશ? અથવા ક્યારે તેવું અધ્યયન કરીશ, તપ અને ઉપધાન વિષે ક્યારે હું પ્રયત્ન-ઉદ્યમ કરીશ, ગણને અને સિદ્ધાંતની નીતિને સંભાળનારો હું ક્યારે બનીશ?–આવી રીતે આલંબનેનું સેવન કરનાર મોક્ષ મેળવે છે.” ત્યાર પછી બંને દેવતાઓએ ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે, “આ પિતાની પ્રતિજ્ઞાના વિષયમાં નિશ્ચલ છે”-એમ અવધિથી જાણ્યું એટલે તેઓને હર્ષ થયે અને બોલી ઉઠ્યા કે, ઈન્દ્ર મહારાજે જે પ્રશંસા કરી હતી, તે સત્ય અને યથાર્થ જ કરી હતી. ત્યાર પછી પિતાનું દિવ્યભાવવાળું દર્શન કરાવ્યું. ત્યાર પછી તે દેવોએ રેગી બ્રાહ્મણના જવર, અતિસાર વગેરે રોગોને મટાડી દીધા અને તેને સર્વથા નિરોગી કર્યો. ત્યાર પછી તેનું નામ પણ “અરોગી”-એમ બદલી નાખ્યું–એટલે તેનું રોગી એવું રૂઢ નામ હતું, તે પરિશુદ્ધ આરોગ્ય ગુણ મેળવેલ હોવાથી, દેવના પ્રસાદથી મેળવેલા આરોગ્ય ગુણથી જુદા રૂપે ન હોવાથી “અરોગી” એવું નામ પ્રચલિત થયું. ઉપસંહાર કરતા કહે છે કે-પ્રાણાતિપાત વગેરેની વિરતિના પરિણતિ રૂપ વ્રત પરિણામને કષ્ટદશામાં પણ અવિચલ મનથી ટકાવી રાખવા-એમ સમજવું. (૫૩૬ થી ૫૪૦) તેમ હોવા છતાં જે થાય, તે કહે છે– ૫૪૧–આ વ્રત-પરિણામ હોય, ત્યારે શું થાય છે, તેને વિચાર કરે છે. યથાવસ્થિત સર્વ પ્રવૃત્તિઓમાં ગુણ–દેષનું અ૫–બહુત્વ, લાભ-નુકશાનનું ઓછા-વધારે. પણું-નહિં કે જેને પિતે અથ હોય તેની અધિકતાથી, એટલે તેમાં વિવેકબુદ્ધિ કરવી. જે વિપરીત માર્ગે ચડી ગયો તે છતા પણ અનેક દોષો પોતાને સમજણમાં આવતા નથી. તથા તપ-અનુષ્ઠાનાદિક ધર્મ તથા સર્વ શુભ ક્રિયાઓમાં પરિશુદ્ધ ઉપાય પૂર્વક પ્રવૃત્તિ કરે, જેથી કર્મ અને આત્મા બંને કાયમ માટે વિખૂટા પડે, તે રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત કરે. જેઓને વ્રતની પરિણતિ પ્રાપ્ત થઈ નથી, તેવા ઘણા લોકોત્તરમાર્ગમાં દાખલ થયેલા હોવા છતાં પણ લાભ-નુકશાનની વિચારણાથી રહિત હોય છે. તે કારણે તેમની વિપરીત બુદ્ધિ હોય છે. તેઓને વિપરીત બુદ્ધિ હોવાથી દિશામૂઢ નિર્ધામક–દરિયામાં વહાણ ચલાવનાર દિશા ન જાણનારની જેમ એવી અવળી પ્રવૃત્તિઓ કરે, જેથી પિતાનું અને બીજાનું અકલ્યાણ થાય અથવા અકલ્યાણના હેતુ પોતે બને. (૫૪૧) એ જ વિચારાય છે– પ૪૨–પૂર્વના ભવાન્તરમાં અશુભ પાપકર્મો એકઠાં કરેલાં હોય, એટલે તેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy