SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] ઉપદેશપદ-અનુવાદ તેથી રેગના પ્રતિકાર માટે પરામુખ બનેલા એવા તેના દિવસો પસાર થતા હતા. ત્યારે દેવેન્દ્ર તેમની પ્રશંસા કરી કે, “અહો ! ઉજજયિનીમાં રેગી નામનો બ્રાહ્મણ આ પ્રમાણે ચિકિત્સા હાજર હોવા છતાં પણ તેની અપેક્ષા ન રાખતો, કમ ખપાવવાના હેતુથી ઉદયમાં આવેલ અશાતા વેદનીય સમભાવથી જ્ઞાનપૂર્વક સ્વાધીનતાએ સહન કરી રહેલ છે. ઈન્ટે કહેલી આ વાતની શ્રદ્ધા ન કરનાર બે દેએ વિદ્યનું રૂપ વિકુવને કહ્યું કે, “જે તમો રજા આપો તો અમે તમને નરેગી કરીએ, પરંતુ અમારી એક વાત માન્ય રાખવી પડશે કે, તમારે રાત્રે મધ, મદિરા, માંસ, માખણ ચારેયને પરિભેગ કરવો પડશે. એટલે બૃહસ્પતિથી પણ અધિક પ્રતિષ્ઠાવાળા રેગી નામના બ્રાહ્મણે તેમની વાતનો અસ્વીકાર કર્યો. તેણે વિચાર્યું કે-“કેઈક વિષમ મહાપર્વતના ઊંચા શિખર ઉપર ચડીને ત્યાંથી પતન પામીને કઠેર પત્થર વચ્ચે દળાઈ મરવું બહેત્તર છે, સર્પના મુખના તીણ દાંત વચ્ચે હસ્ત સ્થાપન કરવો સુંદર છે, અથવા તે ભડભડતા અગ્નિમાં પડવું પણ સારું છે, પરંતુ મારું ચારિત્ર તે તો કઈ પ્રકારે અખંડિત જ રહેવું જોઈએ.” એટલે ત્યાર પછી તે ચિકિત્સાની ઈચ્છા કરતું નથીએમ રાજાની પાસે સ્વજને અને બાંધવો વગેરેને બંને વૈદ્યોએ નિવેદન કર્યું કે, અમો ચિકિત્સા કરીએ છીએ, તેની પણ તે ઈચ્છા કરતો નથી-એ સુંદર ન કહેવાય.” જે માટે કુશળ પુરુષો કહે છે કે-“કુપઠિત વિદ્યા વિષ છે, વ્યાધિની ઉપેક્ષા કરવી તે પણ વિષ છે, દરિદ્રની સાથે મૈત્રી કરવી તે વિષ છે અને વૃદ્ધને તરુણી વિષ છે.” ત્યાર પછી ચિકિત્સા કરાવવામાં આદર વધે તેવી કથાઓ રાજાને, સ્વજનેને કહેવા લાગ્યા કે, જેથી તેને ચિકિત્સા કરાવવાની પ્રેરણા કરે. તે આ પ્રમાણે-“ધર્મયુક્ત શરીરનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું.” કેમ કે, જેમ પર્વત પરથી જળ-પ્રવાહ નીકળે છે, તેમ ધર્મનો સ્ત્રોત આ શરીરથી વહે છે. આ દેહનો વિનાશ થયા પછી કોઈની પણ કઈ પણ આશા સફલ થતી નથી, માટે સર્વથા આ દેહ રક્ષણ કરવા લાયક છે. આ હકીકત રાજાએ, સ્નેહી સ્વજનાદિકે રોગી નામના બ્રાહ્મણને કરી, એટલે તેણે દેહ આદિ સંબંધી નિરોગતાની તૃષ્ણા ત્યાગ કર્યો અને નિર્વાણ પ્રત્યેની અભિલાષા વૃદ્ધિ પામી, કહેલું છે કે-“જે સુખ આજે છે, તે તે ભાવમાં આવતી કાલે માત્ર યાદ કરવાનું જ છે, તે કારણે પંડિતપુરુષો નિરુપસ મેક્ષસુખની માગણી કરે છે.” ત્યાર પછી દેહ અને ધનની પીડાના દષ્ટાંતથી રાજાદિકને પ્રતિબોધ પમાડી તેમને સાચો માર્ગ બતાવ્યો, પરંતુ પોતે ચિકિત્સા ન કરાવી. “ભવિષ્યમાં આપત્તિથી બચવા માટે ધનનું રક્ષણ કરવું અને સ્ત્રીઓને તો ધન ખરચીને પણ બચાવવી, તેનું રક્ષણ કરવું. તેના કરતાં પણ આત્માનું સ્ત્રીઓના અને ધનના ભોગે પણ સતત રક્ષણ કરવું.” અહિ જે દષ્ટાન્ત-દાણંતિક ભાવનાની કલ્પના કરી છે, તે બતાવે છે. આ આત્મા શરીર સરખે, દેહ વળી અર્થ-ધન સરખો જણાય છે, જેમ લોકનીતિ અનુસારે દેહ અને ધન બંનેની એકી સાથે પીડા આવી પહોંચે, ત્યારે દેહનું જ રક્ષણ કરવાનું હોય છે, અર્થને ત્યાગ કરીને પણ શરીર બચાવવાનું હોય છે, તેવી રીતે ધાર્મિક આત્માઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy