________________
બીજા સુદર્શનની કથા
| [ ૩૫૧
અગ્નિનું શરણ લેવું–બળી મરવું” આ પ્રતિજ્ઞા કરીને સમય થયો એટલે નગરમાં પ્રવેશ કર્યો.
ત્યાર પછી પંડિતા નામની ધાવમાતાને કહ્યું કે-“સુદર્શન સાથે રતિ-સમાગમ થાય, તેમ જલદી પ્રયત્ન કર. એ કાર્ય નહિં થશે, તે મારું જીવન નથી.' ત્યારે પંડિતાએ કહ્યું કે, “આ તારો વિચાર સુંદર નથી. તે તો પરસ્ત્રીઓ માટે એકાંત સદરપણું જ વહન કરે છે- અર્થાત્ પોતાની પત્ની સિવાય દરેક સ્ત્રીઓને સગી બહેન સમાન જ ગણનારો છે. તો પછી તારા સરખી રાજપત્ની માટે તે બીજું કેમ હોઈ શકે ?” ત્યારે રાણી કહેવા લાગી કે, “કોઈ પ્રકારે તારે મને તેને અહિં લાવીને હાજર કરે જ પડશે. કારણ કે, કપિલા સમક્ષ મેં આવી પ્રતિજ્ઞા કરેલી છે. “ધાવમાતાએ વિચાર્યું કે, “આ વિષયમાં એક સુંદર ઉપાય છે. તે સુદર્શન પર્વદિવસે ચાર પ્રકારના પૌષધ કરે છે, ત્યારે શૂન્ય-અવાવરા ઘરમાં કે મસાણમાં એકાંતમાં જીવિત-નિરપેક્ષ બની કાઉસગ્ન-પ્રતિમાપણે એકલે રહે છે. તે વખતે રાત્રે કઈ ન જાણે તેવી રીતે કામદેવની પ્રતિમાના બાનાથી અહીં દ્વારપાળને છેતરીને લાવી શકાશે. તે હવે તમે કહે તેમ કરું.” ત્યારે દેવીએ કહ્યું કે, “સંદેહ વગર આ કાર્ય સફળ થશે.
હવે અષ્ટમી પર્વના દિવસે શૂન્યઘરમાં કાઉસગ્ગ–પ્રતિમાપણે ઉભા રહેલા દેખીને નિષ્ફર હૃદયવાળી ધાવમાતાએ તેને ત્યાંથી ઉપાડવાનું કાર્ય આદર્યું અને બીજી સાથેની દાસીઓએ તેને ઉપાડીને અભયાદેવીને અર્પણ કર્યો. ત્યાર પછી સમગ્ર લજજાનો ત્યાગ કરીને કામશાસ્ત્રમાં વિસ્તારથી નિરૂપણ કરેલા વિવિધ પ્રકારના ઉપાયોથી તેને ક્ષોભ પમાડવા પ્રયત્ન કરવા લાગી. એટલે સુદર્શન તો પિતાના પચ્ચકખાણ સ્થાનોમાં વિશેષ પ્રકારે મનને નિરોધ કરીને મોગરાનાં પુષ્પ, તથા શંખ સમાન ઉજજવલ અને સ્વચ્છ સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપન કરીને જેમણે સમગ્ર કર્મ-ફલેશ ખંખેરી નાખેલા છે, એવા તે દેશની સમીપમાં રહેલા સિદ્ધ ભગવંતેને એકાગ્રપણે ચિંતવવા લાગે. નિજીવ કાઝ-સમાન તદ્દન ચેષ્ટા વગરના દુદ્ધર દેહને ધારણ કરતા તેણે રાત્રિ પસાર કરી, પરંતુ તેને કઈ પ્રકારને વિકાર ન થયું.
એમ કરતાં પ્રભાત–સમય થયો, અતિ વિલક્ષણભાવને વહન કરતી રાણી અતિતીર્ણ નોથી પિતાનું શરીર વલુરવા લાગી. વળી તેણે મોટી બૂમરાણ કરી મૂકી કે, “મેં તેની અગ્ય માગણી ન સ્વીકારી, એટલે પ્રષ પામેલો તે મને આ પ્રમાણે પરેશાન પમાડવા લાગ્યો છે! “નક્કી આ સ્ત્રીઓ અમૃત અને વિષ બંનેનું સ્થાનક છે, જે રીજી જાય તે અમૃત છે અને ખીજાઈ જાય તો વિષ છે.” (૧૦૦) મોટો ઘોંઘાટ ઉછળ્યો, એટલે રાજાએ આવીને દેવીની તેવી અવસ્થા દેખીને એકદમ આકરો રોષ કર્યો. “મનુષ્ય કોઈ પણ પ્રકારે બીજા પરાભવ નભાવી શકે છે, પરંતુ સ્ત્રીને દુસહ પરાભવ કઈ સહી શકતા નથી.” એટલે રોષ પામેલા રાજાએ એવી રીતે વધ કરવાની આજ્ઞા આપી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org