SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] ઉપદેશપદ-અનુવાદ વસંત-વર્ણન લોકોના મનમાં કામને ઉમાદ કરાવનાર એવા કેઈક સમયે વસંત-સમય આવી પહોંચ્યો. તે કેવો હતો? જાતિપુષ્પ વગેરે વિવિધ પ્રકારનાં નવપુષ્પોનો પરિમલ જેમાં ફેલાઈ રહેલો છે, જેમાં મધુર શબ્દ બોલનાર કેયલનાં કુલથી બગીચાને પ્રદેશ, મનહર બનેલો છે. ભેગી લોકોએ જેમાં ઉદારતાથી ધનનો વ્યય કરેલો છે. જેમાં મધુર ગુંજારવ શબ્દ કરતા ભ્રમર વડે પીવાતા મકરંદયુક્ત કમળથી સરવરે શેભાયમાન છે, જેમાં ઘણાં નવીન પાંદડાંઓની પંક્તિ એકઠી થયેલી હોવાથી વૃક્ષ સમૂહ શોભાયમાન બનેલા છે, સુગંધી પુછપ યુક્ત હેવાથી ઠેકાણે ઠેકાણે લોકો બોલતા હતા કે, આ સુગંધ માલતીની છે, આ કેવડાની, આ મેગરાની, આ ગુલાબની, આ ચંપાની સુગંધ છે, એ પ્રમાણે જેમાં નામે નિરૂપણ કરવામાં આવતાં હતાં, વળી જેમાં, ચંદનવૃક્ષોની શાખાઓ-ડાળીઓ પવનથી આંદોલિત થતી હતી, તે કારણે તેને સંપૂર્ણ પરિમલ મલયાચલથી નીકળી પૃથ્વીતલને શાન્ત કરતો હતે. ઉદ્યાનપાલકોએ દધિવાહન રાજાને પ્રાર્થના કરી કે, “હે સ્વામી ! વસંતરાજ પૃથ્વીતલમાં ઉતર્યા છે. ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા રાજા અતિવિશાળ સમૃદ્ધિ સહિત, અનેક શ્રેષ્ઠી પ્રમુખ નગરલોકોને સાથે લઈ નગરમાંથી નીકળ્યો. દેવી અભયા, પુરોહિત પત્ની કપિલા તથા ત્રીજી સુદર્શનશેઠની પત્ની મનેરમા શિબિકામાં બેસીને જતી હતી. તે સમયે જેણે પોતાના દેહની કાંતિથી દિશામુખો પ્રકાશિત કરેલાં છે–એવી ચંદ્રકળા માફક શેભતી ચારે બાજુ પુત્રોથી પરિવરેલી, પિતાના વૈભવનુસાર વસ્ત્રભૂષા કરેલી મને રમાને અયા રાણીએ દેખી અને “કપિલાને પૂછયું કે, “ક્યા પુણ્યશાળીની આ પત્ની છે?” તે ક્ષણે કપિલા હાસ્ય કરતી બેલી કે-“અહો ! આશ્ચર્યની વાત છે કે આ મનોરમાનો પતિ નપુંસક હોવા છતાં વગર દેશે આટલા પુત્રોને જન્મ આપ્યો.” અભયાએ પૂછ્યું કે, “તેને પતિ નપુંસક છે, એ તે કેવી રીતે જાણ્યું ?” પૂર્વને બનેલ વૃત્તાન્ત પ્રગટ કરીને કપિલાએ સર્વ કહી જણાવ્યું. “કામશાસ્ત્રમાં કહેલા પ્રપંચથી એકાંત વિમુખ તારી સરખી પરસ્ત્રી માટે તે નપુંસક છે, પરંતુ જિનશાસનમાં અનુરાગી એવી પત્ની શ્રાવિકા મનોરમા વિષે નપુંસક નથી. તે તે એમ કેમ કહ્યું કે–આ ઘણું ચતુર છે કે, જેણે આટલા પુત્ર-ભાંડરડાઓને જન્મ આપ્યો અને નિષ્કલંક રહી લોકોના અપવાદનું રક્ષણ કર્યું. પોતાને સુંદર ચરિત્રવાળો સુદર્શન પતિ મનોરમાને છે.” સાચી હકીકત જાણવામાં આવી, એટલે કપિલા વિચારવા લાગી કે, ખરેખર તે પૂજનથી હું ઠગાઈ છું” કાર્ય વીતી ગયા પછી હવે તેને ઠગવાને મારે કઈ ઉપાય નથી, એટલે અભયા રાણીને ઉત્તેજિત કરવા કહ્યું કે-“જે મારા માટે તે નપુંસક નીવડ્યો, તો હવે હું પણ જોઉં છું કે, હું તેને પુરુષ બનાવવામાં કેટલી અતિકુશળ નીવડે છે?” ત્યારે અભયા રાણીએ કહ્યું કે, “જે હું તેને રમાડવા સફળ ન થાઉં, તે નક્કી જાવજીવ અતિનીચ ચરિત્રવાળા આ સ્ત્રીપણાને ત્યાગ કરા-અર્થાત્ મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy