SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા સુદર્શનની કથા [ ૩૪૯ અકાર્ય કરવાની બુદ્ધિ તેનામાં ન હતી. પિતાજીએ ઉત્તમ કુળમાં જન્મેલી ગુણસમૂહવાળી સમગ્ર કન્યાઓમાં શ્રેષ્ઠ એવી મનેરમાં નામની કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. મતિના વૈભવ વડે કરીને બૃહસ્પતિને જિતનાર, જેમની ગુણગૌરવની ગાથાઓ સ્થાને સ્થાને ગવાઈ રહેલી છે, એવા તે દિવસે પસાર કરતો હતો. આ બાજુ દધિવાહન રાજાને કપિલ નામને પુરહિત હતા, તેને કપિલા નામની ભાર્યા હતી, એક વખત તે પુરહિત કપિલા પત્ની સામે સુદર્શન શેઠ પ્રત્યે બહુમાન ધરાવતે તેના ગુણોની પ્રશંસા કરવા લાગે (૫૦) કે, “અત્યારે અહિં તેની સમાન ગુણોવાળે કોઈ નથી. આ લોકમાં બીજાને પ્રતીતિ કરાવનાર એવા બે જ પુરુષ છે. “સ્ત્રીઓ બીજાથી જે ઈચ્છા હોય, તેની ઇચ્છા કરનારી હોય છે અને લોક જે પૂજિત હેય, તેની પૂજા કરનારા છે.” પતિના આ વચનને યાદ કરતી તે એકદમ ખૂબ કામ પરવશ બની. તેને સમાગમ કરવા માટે ઘણા ઉપાય શોધવા લાગી. હવે કંઈક વખત પોતાની દાસીને શીખવીને મોકલી કે, તારે સુદર્શન શેઠને ત્યાં જઈને કહેવું કે, “પુહિત બિમાર પડેલા છે, શરીર અસ્વસ્થ-દુર્બલ થઈ ગયું છે અને તમારાં દર્શને નની ઈચ્છા કરે છે. એટલે અતિસરળ સ્વભાવવાળો પોતાના ચરિત્ર સમાન બીજાને સરળતાથી દેખતે, તેમાં આડોઅવળે કોઈ તક કર્યા સિવાય તે વાતને સત્ય માનતા હતો. “ઘણાભાગે સર્વથા સર્વ લોકે પિતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરે છે. અધમોને કઈ ઉત્તમ નથી અને મહાને કોઈ અમહાનુભાવ નથી.” પરિમિત પરિવારવાળા તેણે પુરોહિતના ઘરે જઈને પુરોહિતને ન દેખવાથી પૂછ્યું કે, “પુહિત ક્યાં ગયા ?” ત્યારે મનોભાવ પ્રગટ કરીને કપિલા કહેવા લાગી કે, ભટ્ટજી તે રાજાને ઘરે ગયા છે. હું તમારા ઉપર પરોક્ષપણે ઘણા દિવસથી રાગ વહન કરી રહેલી છું. હવે તે તમારા વિયેગનું દુઃખ ક્ષણવાર પણ સહન કરી શકું તેમ નથી, તે મારા મનવાંછિત પૂર્ણ કરો. ત્યારે “કસાઈખાનામાં ગયેલા બેકડાની માફક હું ભયવિહૂલ બને. મારી દેવપરિણતિને ધિક્કાર થાઓ, આ દુર્ઘટના કેમ ઉભી થઈ? સમગ્ર સમીહિત પ્રાપ્ત કરાવનાર લાંબા કાળથી પાળેલા મારા શીલવ્રતને નક્કી આનાથી - ભંગ થશે. મેં વગર વિચારેલું પગલું ભર્યું. બીજું નિષ્કલંક ચરિત્રવાળા મને વગર અપરાધે આ મહાઈર્ષાથી ભરેલી કલંકિત કરશે. તે હવે નિપુણ બુદ્ધિના વેગથી કોઈ પણ પ્રકારે આ સંકટ-જળથી પાર પામવું –એમ કહીને તેણે જવાબ આપ્યો કે-હે ભદ્ર! હું પુરુષ–નપુંસક છું. આ પ્રમાણે નગરમાં ફરું છું, તે હું શું કરું? તારે આ વિષયમાં નેહ-ભંગ ન ગણવે.” એમ કહી જલ્દી ત્યાંથી પિતાને કૃતાર્થ માનતો બહાર નીકળી ગયો. “મારા શીલનો નાશ ન થયો અને હું નિષ્કલંક બહાર નીકળી ગયે.”. અહિં જેણે લોકોને હર્ષ કર્યો છે, એવા ચતુર પુરુષ વાસ કરતાં જ માણસને ઓળખી શકે છે, ત્યારે ગુણરહિત પુરુષે મહિનાઓ થાય, તે પણ તેઓ લોકોને હર્ષ ઉત્પન્ન થાય તેવા ગુણથી રહિત હૈઈ માણસને ઓળખી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy