SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ] ઉપદેશપદ-અનુવાદ જે નવકારનું સમરણ કરવાથી આ લોકમાં આરોગ્ય, અર્થ-કામની ઈચ્છા પ્રમાણે સિદ્ધિ, સ્વર્ગ અને ઉત્તમકુળમાં પરલોકમાં જન્મ થાય છે. ભાવથી તે નવકારનું સ્મરણ કરવામાં આવે, તે આવા ગુણે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે નિરંતર પંચનમસ્કારનું અતીવ સ્મરણ કરતો કરતો મરણ પામ્યો. મૃત્યુ પામ્યા પછી તે જ શેઠની ભાર્યાના ગર્ભમાં સમુદ્રમાં મોતીની છીપમાં જેમ મોતી, તેમ ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાનું અંગ કંઈક નિર્મલતા-નિર્દોષતાવાળું થયું, વદન-કમલ ઉજજવલ થયું, મંદગતિવાળી ચાલ સ્વભાવથી હતી, તે હવે ગર્ભના ભારથી દઢગતિ થઈ, તેનું સ્તનયુગલ નીલમુખવાળું, ચંદ્રમંડલની સમાન વતું લોકાયુક્ત સફેદ કાંતિવાળું, કમલયુગલ માફક ભમરાઓથી સેવાતા શુભ દેશવાળું, અત્યંત શોભાને પ્રાપ્ત થયેલ સૌભાગ્યવાળું હતું. સખીઓ સરખી બે જંઘાએ અતિશય રૂપવાળી થઈ, મિત્ર સમાન આલસ્ય તેની પાસેથી ખસતું ન હતું. ઉદરવૃદ્ધિ સાથે લજજા પણ વૃદ્ધિ પામી, અને ઉદ્યમ ત્યાંથી દૂર ખસી ગયે, પેટની વલી- કરચલીઓ સાથે નયનયુગલ ઉજજવલ બન્યું. અતિપ્રૌઢ ગર્ભાનુભાવથી કમલવદનવાળી તેને ત્રણ મહિના પૂરા થયા પછી આવા પ્રકારનો દેહલો ઉત્પન્ન થયે કે-“જિનગૃહમાં પૂજા કરાવવી, જીને વિષે ઘણી દયા કરાવવી, સર્વ લોકો સુખી થાઓ”—એવા પ્રકારની મતિ તેને થઈ. તેવા પ્રકારના મનોરથ પૂર્ણ ન થવાના કારણે નિસ્તેજ મુખવાળી, ફિકકા પડી ગયેલા શરીરવાળી, દૂધ સરખા સફેદ કપોલતલવાળી, ઉંડા-વિસ્તાર નેત્રવાળી તે જલ્દી થઈ ગઈ. તેને તેવા પ્રકારની દુર્બલ અંગવાળી દેખીને શેઠે આગ્રહથી પૂછયું, ત્યારે કહ્યું કે, “ મારા મનમાં આવા મરથ થયેલા છે અને તે પૂર્ણ ન થવાના કારણે મારી અવસ્થા થઈ છે. તે સમયે કૃપતાને ત્યાગ કરીને ઘણે વૈભવ ખરચીને હર્ષ પામેલા તે શેઠે તેના સર્વ મનોરથ સારી રીતે પૂર્ણ કર્યા. એકાંતમાં સુખ આપનાર શય્યામાં આરામ કરતી હતી અને ત્યાં જ ભજન કરતી હતી. આ પ્રમાણે મહાસમાધિપૂર્વક ગર્ભ વહન કરતાં નવ મહિનાથી કંઈક અધિક સમય પસાર થયા પછી શભગવાળા લગ્ન સમયે પૂર્ણતિથિમાં શુકલપક્ષમાં સારા નક્ષત્રમાં, ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાનકમાં હતા, દિશામંડલી નિર્મલ હતાં, ત્યારે પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ તેણે જલદી પુત્રને જન્મ આપેવધામણીઓ કરવામાં આવી. વાજિંત્રોના શબ્દોથી દિશાચક્ર પૂરાઈ ગયાં. સમગ્ર નગરલોકનાં નેત્રોને અને મનને આનંદ આપનાર તેનું બહુમાન કર્યું. બાર દિવસો વીત્યા પછી શુચિકર્મ કર્યા બાદ બંધુવર્ણાદિકનો ભોજનાદિ– સત્કાર કર્યા પછી માતા-પિતાએ આ પ્રમાણે તેના નામની સ્થાપના કરી. “જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો, ત્યારે માતા દર્શન-શુદ્ધિમાં તત્પર બની, તેથી પવિત્ર ગુણવાળે આ “સુદર્શન” નામવાળો થાઓ.” નિરોગી, શાક વગરને, વિયોગ વગરને તે બાળક શુકલપક્ષમાં ચંદ્રમંડળની કળા માફક અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. ચોગ્યવયને થયો, ત્યારે તેને સર્વ કળાઓને અભ્યાસ કરાવ્યું. ગુણજ્ઞ લોકોને સંતોષ પમાડતે, તે મનહર તરુણવય પામ્યો. તેને વ્યસન દાનનું હતું, તે મુનિઓને પ્રણામ કરતે હતે, સુગુરુઓ વિષે વિનય કરતા હતા, તેને શીલમાં રતિ હતી અને સ્વપ્રમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy