SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સુશીલ સુદર્શન-કથા [ ૩૪૫ તેને અનુકૂલ ઉપસર્ગ કર્યો. જ્યારે તે કોઈ પ્રકારે દેવીને અનુકૂળ ન થયે, ક્ષેભ ન પામ્યા. પિતાના નિયમથી ચલાયમાન ન થયે, એટલે દેવી રેષ પામી અને કહેવા લાગી કે- અરે ! તું મારી પ્રાર્થનાને ગણકારતો જ નથી, તે હે ભવનભાગ્યવાળા ! તેનું પરિણામ પણ હવે દેખ કે, તારી શી વલે થાય છે ?” દેવીને વ્યંતરદેવની પ્રતિમાનું પૂજન કરવું છે–એ બાનાથી ચકવાલ દાસી દ્વારા રાત્રેજ છૂપાવીને તે દેવીએ તેને પિતાના મહેલમાં અણ. પાકટ વય અને પરિણત બુદ્ધિવાળો, ક્ષીરસમુદ્રની ગંભીરતા સરખે તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો વડે ક્ષોભ ન પામ્યું. ત્યાર પછી અનેક અંગોના વિકારો બતાવ્યા, પિતાના નથી પિતાના શરીરે જાતે જ વલુરા–ઉજરડા કર્યા અને બૂમરાણ મચાવી કે, “આ શેઠપુત્રે મારી લાજ લૂંટી, તેના મનોરથ પૂર્ણ ન થયા, હું તેની ઈચ્છાને આધીન ન બની, તે તેણે મારી આ દશા કરી. આ વિષયમાં મૂઢમનવાળી મારે હવે શું કરવું ? તેની સમજ પડતી નથી.” રાણીએ કપટથી રાજાને પણ આ વૃત્તાન્ત જણાવ્ય, સુદર્શનને સેવકો પાસે પકડાવીને અતિ ઉંડાણવાળા કેદખાનામાં પૂરાવ્યો. પૂર્વોપાર્જિત શરદચંદ્ર-સમાન ઉજજવલ સુંદર ચારિત્ર ગુણની પ્રધાનતાયુક્ત કીર્તિથી અતિશય પ્રભાવિત થયેલા માનસવાળા રાજા ચિંતવવા લાગે કે-“નકકી આ મહાભાગ્યશાળી આવું અકાય ન આચરે. આનું સુંદર રૂપ દેખીને દેવીએ જ આ સ્ત્રીચરિત્રનું નાટક કરેલું જણાય છે. જે માટે કહેલું છે કે-“બુદ્ધિશાળી પુરુષ ગંગામાં રહેલી રેતીનું, સમુદ્ર-જળનું અને હિમાવાન પર્વતની ઉંચાઈનું પ્રમાણ જાણી શકે છે, પરંતુ સ્ત્રીનું હૃદય જાણી શકતા નથી.” દેવીના પરિવાર પાસેથી આ વિચિત્ર વૃત્તાન્ત જાણીને રાજા વિચારે છે કે, “આ વિષયમાં કેપ કરવો યોગ્ય નથી. જે માટે કહેલું છે કે હે રાજેન્દ્ર! તૈયાર પફવાગ્ન કે પાકેલા ફળની જેમ આ સ્ત્રીઓ સર્વને સામાન્ય છે, માટે તેના ઉપર કપ ન કરે કે રાગ ન કરવો અને વિલાસ ન કરો.” પછી તેને છોડી મૂક્યો, તેના ગુણથી રંજિત થઈને તેની સર્વ પ્રકારે પૂજા કરી. એટલામાં પ્રચંડ ઝેરવાળા સર્ષે દેવીને ડંખ માર્યો, એટલે તરત તે અતીવ પીડાથી પરવશ બની ગઈ. કરુણાસમુદ્ર સુદશને દેવીનું ઝેર ઉતારવા માટે વિવિધ પ્રકારના મંત્રો અને તંત્રની વિધિ કરી, તેવા તેવા ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા, જેથી તે દેવી સર્વથા નિર્વિષ બની સ્વસ્થ થઈ. આથી તે વળી રાજા તેનું અપૂર્વ કળાઓનું કૌશલ્ય દેખવાથી વિશેષ પ્રભાવિત થયા. રાજાને પ્રાર્થના કરી દેવીને અભય અપાવ્યું. (૫૦) અતિસુંદર પરિણામવાળા તેણે ચોગ્ય અવસર દેખીને સ્વર્ગ અને મોક્ષસુખ આપનાર શ્રાવકને એગ્ય ધર્મ સમજાવ્યું. તે આ પ્રમાણે પ્રથમ તે પિતાના દ્રવ્યને વ્યય કરીને જિનભવનનું નિર્માણ કરવું જોઈએ. કારણ કે, દરેક શુભ ક્રિયાઓની શરૂઆત જિનભવનથી થાય છે. તેમાં જિનબિંબોની પ્રતિષ્ઠાઓ, ઉત્તમ ગીતાર્થ સાધુભગવંતે પાસેથી જિનધર્મની દેશનાઓનું શ્રવણ, ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy