SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ] ઉપદેશપદ–અનુવાદ બંનેમાં કુશલ એવા આચાર્ય, ઉદાયિરાજાને મારનાર વિનય રત્ન સાધુ, કુતલ દેશના રાજાની પત્ની આ વિષયમાં આ ઉદાહરણો જાણવાં. (૪૮૫) આ ચારે ઉદાહરણો, દરેકને ત્રણ ત્રણ ગાથા વડે–એમ બાર ગાથાઓ કહે છે ૪૮૬ થી ૪૭–પાટલિપુત્ર જેનું બીજું નામ છે, એવા કુસુમપુર નગરમાં છઠ્ઠુંઅમ આદિ કઠિન તપ કરી પોતાના દેહને દુર્બળ કરી નાખનાર અગ્નિશિખ નામના એક તપસ્વી સાધુ હતા. બીજા માત્ર વેષ ધારણ કરનાર, સાધુવેષને લજવનાર એવા અરુણ નામના તેઓ અનુક્રમે વિહાર કરતા કરતા ચોમાસાના સમયમાં ચોમાસું રોકાવા માટે વસુભૂતિ શેઠની સમીપના મકાનમાં ઉપરના અને નીચેના ભાગમાં ઉતર્યા. તપસ્વી નીચેના સ્થાનમાં અને બીજા વેષધારી ઉપરના માળ ઉપર ઉતર્યા. તેમાં નીચે ઉતરેલા તપસ્વી મુનિ તપસ્યાના અભિમાનમાં મત્ત પિતાના આત્માને વધારે મહત્ત્વ આપતા. તેમને સહન ન થવારૂપ અશુભ પરિણામ થયા કે, “આ કે અધમ પાપી અરુણ સાધુ છે કે, આ પ્રમાણે મારો પરાભવ કરી મારા મસ્તક ઉપરના માળ ઉપર ચડી બેઠે છે અને ઉપર રહેલે છે ! આમ દુર્ગતિ આપનાર અધ્યવસાય દરરોજ કરવા લાગ્યા. બીજા અરુણ સાધુને તો લગભગ દરરોજ પશ્ચાત્તાપ અને સંવેગના પરિણામ થતા હતા કે, “આવા તપસ્વી ઉજજવલ શીલાંગના ધારણ કરનાર, સર્વ જગતના જી પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર પરમકરુણાના સમુદ્ર સરખા, દર્શનમાત્રથી લોકોનાં નેત્રોને પવિત્ર કરનારના ઉપર હું વાસ કરું છું. તેથી ખરેખર હું તેમની આશાતના કરી અધન્ય થયે છું. એક તો મારામાં સાધુના જે સુંદર આચારો હોવા જોઈએ તે નથી, અને વળી આ શ્રમણસિંહ ઉપર સ્થાન કરીને રહેલો છું. એ પ્રમાણે રહેલા તેઓ પૈકી એકના ભવની વૃદ્ધિ, બીજાએ સંસારને ટ્રેક કરવો. અગ્નિશિખે સંસારની વૃદ્ધિ અને અણસાધુએ ભવની અ૯પતા કરી, ચાતુર્માસ પૂર્ણ થયા પછી બંનેએ ત્યાંથી વિહાર કર્યો. કેઈક દિવસે કેવલી ભગવંત ત્યાં સમવસર્યા. લોકોએ તેમને આ સાધુમાં વધારે નિર્જરા કોણે કરી ? તેવો પ્રશ્ન કર્યો. કેવલીએ આગળ કહેલો વૃત્તાન્ત જણાવ્યું કે, એકને ભાવવૃદ્ધિ અને બીજાએ સંસાર ટૂંકે કર્યો, તે લક્ષણ જવાબ આપ્યો. (૪૮૬ થી ૪૮૮) હવે આગમિક ઉદાહરણ કહે છે કેઈક આગમિક જ્ઞાનના જ્ઞાતા સ્વભાવથી જ બુદ્ધિ આદિ ગુણોના પાત્ર હોવાથી ઉત્તમ ગુરુની કૃપાથી સમસ્ત આગમના અભ્યાસી નિર્મલ ગચ્છનું નાયકપણું અનુભવતા હતા, પરંતુ ઋદ્ધિ-રસ–શાતા ગારવમાં પરાધીન થઈ ગયા હતા. હવે તે આચાર્યના ગચ્છમાં એક નાની વયના સાધુ હતા, તે પ્રમાર્જન, પડિલેહણ, જયણું વગેરે સાધુની સુંદર કિયા કરનાર હોવાથી સમગ્ર બુદ્ધિશાળીના માનસને સંતોષ પમાડનારા હતા. વળી વ્યાકરણ, તક, ગણિત, તિષ, સ્વસમય અને પરસમયના શાના એવા જાણકાર હતા કે, તે સમયના વિદ્વાને માં શિરોમણિભાવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy