SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક અને વિરાધક [ ૩૩૩ આ હકીકત બીજી બે ગાથાથી વિસ્તારથી સમજાવે છે-(ગ્રંથાગ્ર ૮૦૦૦) આરાધક અને વિરાધક ૪૮૧-૪૮૨–તગરા નગરીમાં વસુ નામના શેઠને સેન અને સિદ્ધ એવા નામવાળા બે પુત્ર હતા. કેઈક વખત ધર્મ નામના ગુરુની પાસે ગયા. જ્યાં તેમને ધર્મની પ્રાપ્તિ થઈ. એકને પ્રવજ્યાની પ્રાપ્તિ થઈ, પરંતુ પડિલેહણું, પ્રમાર્જના વગેરે ક્રિયા પ્રમાદ-ગે ઘટી ગઈ. બીજાને શુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાના મરથ થયા, પણ કંઈ ચારિત્ર ગ્રહણ કરી શકયો નહિ.. કેટલેક કાળ ગયા પછી તેઓ બંનેને એક સ્થળે મીલન થયું. સુખેથી બંને બેઠેલા હતા અને ગ્યપણે પિતાપિતાના વૃત્તાતો કહેવા અને સાંભળવા પ્રવર્તતા હતા, ત્યારે અકસ્માત આકાશમાંથી વિજળીનું પડવું થયું, એટલે બંને મૃત્યુ પામ્યા. ત્યાર પછી વિરાધક વ્યંતરના વિમાનમાં અને આરાધક એવા બીજા સૌધર્મ નામના વૈમાનિક વિમાનમાં ઉત્પન્ન થયા. કોઈક સમયે કેવલજ્ઞાની તે ગામમાં પધાર્યા, એટલે લોકેએ પૂછયું કે, તેમને કયાં ઉત્પાત થયો હશે ? જે પ્રમાણે વૃત્તાન્ત બન્યો, તે પ્રમાણે કહ્યું. ત્યાર પછી લોકોને શુદ્ધધર્મના મનોરથોમાં બહુમાન થયું, પણ અશુદ્ધ અનુષ્ઠાનમાં બહુમાન ન થયું. (૪૮૧-૪૮૨) ચાલુ વિષયમાં જોડતા જણાવે છે– ૪૮૩–આગળ જણ શેઠના ઉદાહરણમાં મને રથ એ જ અભિગ્રહ એમ નહિ, પરંતુ શુદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરવાના મનોરથ કરવા. તેવા શુદ્ધ પ્રવ્રજપા ગ્રહણ કરવા રૂપ મનોરથનું બહુમાન કરવાથી અવિરાધનાવાળા ધર્મની પ્રાપ્તિ થાય છે. અભિગ્રહનો ભંગ ન થાય અને શુદ્ધ પ્રત્રજ્યામાં બહુમાન થાય-તેમ થયું, એટલે અવિરાધિત દેવપણાનું ઉદાર ફલ મેળવ્યું. (૪૮૩) એમ હેવાથી જે કર્તવ્ય છે, તે જણાવે છે – ૪૮૪–ભાવથી અંગીકાર કરેલ એવા પ્રકારના ચૈત્યવંદન વગેરે નિર્મલ ધર્મસ્થાનકમાં તેવા તેવા ઉચિત ગુણસ્થાનકમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલી અલ્પ વિરાધના કર્યા વગર બુદ્ધિશાળી આરાધક આત્માએ આરાધના કરવા આદરપૂર્વક પ્રયત્ન કરો. જ્યારે શુદ્ધ ધર્મના મનોરથનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, તો પછી શુદ્ધ ધર્મના અનુષ્ઠાનનું ફળ કેવું અધિક ઉત્તમફળવાળું થાય? આથી ઉલટું શુદ્ધ મનોરથોનું ઉ૯લંઘન કરી ધાદિ કષાયના સંકુલેશની બહુલતાવાળા ધર્માનુષ્ઠાનમાં યત્ન-આદર ન કરે. (૪૮૪) કેમ ? - તપ, સૂત્રજ્ઞાન, વિનય, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સંસારના ખાડામાં પડતા જંતુને આલંબન થતાં નથી. કોને ? તે કે, સંક્ષિણ કષાયવાળા જીવને. અહિં મહિના મહિનાના ઉપવાસ કરનાર તપસ્વી સાધુ, જિનેશ્વરના આગમસૂત્રના અને અર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy