SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] ઉપદેશપટ્ટ-અનુવાદ વિષયમાં પણ ૧ ગ્રંથિભેદ ન કર્યાં હાય, અને ૨ ગ્રંથિભેદ કર્યો હાય, તેવા મિથ્યાદૃષ્ટિ અને સભ્યષ્ટિ. અહિં સમ્યગ્દષ્ટિ ાગ્ય રૂપને યથાર્થ દેખી શકે. (૪૭૭) આ ત્રણમાં સજ્જ નેત્ર સરખા સમકિતદૃષ્ટિ જે કરે છે, તે કહે છે— ૪૭૮——સમ્યગ્દષ્ટિ જીવ પ્રભુની આજ્ઞાને તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ શુદ્ધ યથાર્થ ઉત્સગ અને અપવાદનું સ્વરૂપ નક્કી ખરાખર જાણે છે. કદાચ દૃઢ ચારિત્રમાહનીયના અને તીવ્ર વીર્યાન્તરાયથી કાર્ય કરવામાં-આજ્ઞા પાલન કરવામાં પેાતાને આજ્ઞાનું સ્વરૂપ પૂર્ણ ખ્યાલમાં છે, છતાં કોઈ વખત તે પ્રમાણે આજ્ઞાના અમલ ન કરી શકે તેથી આજ્ઞા પાલન કરવામાં ભજના સમજવી. તે આ પ્રમાણે-કૃષ્ણ મહારાજા અને શ્રેણિક રાજા હથેળીમાં રહેલા મુક્તાફલ સાક્ષાત્ દેખાય, તે ન્યાયાનુસાર ક્ષાયિક સમ્યક્ત્વ-સમાન સમ્યક્ત્વવાળા હોવાથી તેમને ભગવંતની આજ્ઞા નિશ્ચિત આજ્ઞારૂપ હાવા છતાં પાતે ત્યાગ કરી શકતા ન હતા, પરંતુ જેએ ભવથી કંટાળેલા હતા અને પ્રત્રજ્યા લેવાની ભાવનાવાળા હતા, તેમને અદ્ભુત સહાય કરનારા અન્યા હતા. તથા જિનેશ્વરે સ્વય' આરિત અને થિત એવાં મુનિનાં મહાવ્રતા સમગ્ર ભવેામાં એકઠા કરેલા કસમૂહને પાતળા કરનાર છે, તેવા મહાવ્રતને સ્વયં અંગીકાર કરવા અને ત્યાર પછી તપ કરે અને ભાવના ભાવે કે, ‘ એવા સમય કયારે આવશે કે, હું ભેગેામાં નિઃસ્પૃહ અની સર્વથા સંગમુક્ત અનીશ? આ પ્રમાણે સમકિતી આત્મા ત્યાગના પરિણામમાં વૃદ્ધિ પામતેા હાય છે, પરંતુ પૂર્વભવમાં નિકાચિત ક્લિષ્ટ કર્મના વિપાકૈાદયથી તેમને ચારિત્રને લાભ ન થયા. તેથી કહેવાય છે કે−‘ વજ્ર સરખા કઠિન ઘન ચીકણાં કર્મો ઉદયમાં આવે છે, ત્યારે જ્ઞાનથી યુક્ત એવા સમજી પુરુષને પણ ઉન્માગે લઈ જાય છે. ' (૪૭૮) ઉપસ'હાર કરતા કહે છે— ૨ ૪૭૯-આજ્ઞાનું સ્વરૂપ-માહાત્મ્ય અહિં ઘણું વણુછ્યું. હવે આ વિષય કહેવાથી સયું. આ ઉપદેશપદ ગ્રન્થ તા સક્ષેપથી કહેવાના પ્રયત્ન કરેલા છે. પરિપૂર્ણ પણે કાઇને ઉપદેશ અશકય છે. આ તે માત્ર દિશા ખતાવવા પૂરતા ઉપદેશ છે. તેથી હવે અભિગ્રહ વિષયક ચાલુ અધિકારમાં તેનું સ્વરૂપ-માહાત્મ્ય કહીશ. (૪૭૯) એ જ બતાવે છે— ૪૮૦-પૂર્વ કહેલા-અભિગ્રહ માહાત્મ્યના અધિકારમાં જણાવેલાથી વિલક્ષણ એવા એ વણિકપુત્રા-બે ભાઇઓનાં ઉદાહરણ કહે છે. એ ભાઇએ પ્રતિબેાષ પામ્યા છે, તેમાં એક પ્રત્રયા અંગીકાર કરીને સમુદાય, ઉંચા પ્રકારના આચાર, ગુરુકુલવાસ, ગચ્છની મર્યાદાનું પાલન આ વગેરે સહકારી કારણથી રહિત બન્યા, એટલે શીતલ (શિથિલ) વિહારી-ઢીલા આચારવાળા થયા. બીજે ભાઈ શુદ્ધ નિરતિચાર પ્રવ્રજ્યા પાલવાના સુંદર મનારથ કરતા હતા, પણ પ્રત્રજ્યા અંગીકાર કરી શકતા ન હતા. મૃત્યુ પામ્યા પછી ખંનેના ફૂલમાં ભેદ પડ્યો. શીતલ(શિથિલ)–વિહારી અને પ્રત્રજ્યાના મનારથ કરનાર તેમાં એક વિરાધક અને બીજો આરાધક મની અને જઘન્ય દેવત્વ પામ્યા. (૪૮૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy