SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ] ઉપદેશપદ-અનુવાદ વ્યાધિ મટાડનાર સફળ ઔષધ છતાં સમય પાકેલો ન હોવાથી અપકાર કરનાર થાય છે. આ વાત લોકોમાં અને આયુર્વેદ શાસ્ત્રોમાં પણ પ્રસિદ્ધ છે. (૪૩૧) દસ્કૃત્તિકપણે કહેલા સંસાર-રેગી વિષે વચન ઔષધના પ્રયોગને અકાળ જણાવતા ઘનમિથ્યાત્વી આદિ બે ગાથા કહે છે– ૪૩ર-૪૩૩–મહામેથી આચ્છાદિત થયેલ, જેમાં સમગ્ર ગ્રહો અને નક્ષત્રોની પ્રભાનો સમૂહ પણ સર્વથા લુપ્ત થયેલ છે, એવા ભાદ્રપદ અમાવાસ્યા-ગુજરાતી આ માસની અમાવાસ્યાના મધ્યભાગમાં ઉત્પન્ન થયેલ અતિગાઢ અંધકાર સમાન, જેમાં તત્વ-વિપર્યાસ લક્ષણ મિથ્યાત્વ છે, એ-ચરમ પુદગલ-પરાવર્ત સિવાયના બાકીના પુદ્ગલ-પરાવત લક્ષણ જે કાળ. આ કાળ વચન ઔષધ પ્રયોગ માટે અકાળ જ છે-એમ સમજવું. ચરમ પુદગલ-પરાવર્ત લક્ષણ કાળ તે હજુ તથાભવ્યત્વ પરિપાકથી બીજાધાન થવું, અંકુર ફૂટ, તેને પોષણ કરવું ઈત્યાદિક પ્રવર્તતા હોવાથી કાલ ગણાય. માટે જ કહે છે કે-“કાલ એટલે અવસર તે તે અપુનબંધક વગેરે “તીવ્રભાવથી પાપ ન કરે” ઇત્યાદિ લક્ષણવાળ, વગેરે કહેવાથી માર્ગાભિમુખ-માર્ગ પતિત લેવા. તેમાં લલિતવિસ્તરામાં “મમ્મદયાણું” ના અધિકારમાં માર્ગ શબ્દની વ્યાખ્યા કરેલી છે. અહિં માર્ગ એટલે ચિત્તનું અવકગમન, સર્પ નલિકામાં ગમન કરે, તેના સરખો સીધે, વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્ત કરવામાં તત્પર, સ્વરસવાહી-આત્મ-સ્વરૂપને અનુભવ કરાવનાર હેતુ સ્વરૂપ ફલથી શુદ્ધ તેને સુખા કહે છે. એવા પ્રકારના ક્ષપશમ વિશેષ તેવા માર્ગમાં પ્રવેશ કરેલો હોય, તે ભવ્યજીવ તે માર્ગ પતિત અર્થાત્ માગે ચડેલ, પાટા પર ચડેલ એમ કહેવાય છે. તે તેવા આદિ ભાવને પામેલો, તે માર્ગાભિમુખ આ બંને છેલલા યથાપ્રવૃત્તકરણને ભજનારા સમજવા. તીર્થકરાદિકોએ વ્યવહારથી અપુનબંધક વગેરે છે. જેને, એ કાલ જણાવેલ છે. (૪૩૨) નિશ્ચયનયના મતથી તો વળી આ વચન-ઔષધ પ્રયોગનો કાળ આ પ્રમાણે સમજો. કયો ?– કે, ગ્રથિભેદ થાય તે કાલ જ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ બે કરણોથી જે કાળમાં ગ્રંથિભેદ થાય, તે જ કાળમાં, જે કારણથી આ ગ્રથિભેદ થ, એટલે વિધિથી અવસ્થાને ઉચિત કૃત્ય કરવા લક્ષણ સર્વકાળ જે વચન-ઔષધની પાલના-આરાધના કરીને સંસાર-વ્યાધિ અટકાવનાર જે કઈ હોય તો આ વચનઔષધના પ્રયોગથી જ સંસાર-વ્યાધિ રોકાય છે. અપુનબંધક વગેરેમાં વચનપ્રગ કરવામાં આવે, તો પણ તે તે સૂક્ષ્મબોધ કરનારો થતો નથી. કારણ કે, તે કાળ અજ્ઞાનતાની બહુલતાવાળે છે. જેમને સ્થિભેદ થયો હોય તે અને તેની આગળ વધેલા બીજાઓને તો મેહ–અજ્ઞાન દૂર થયેલું હોવાથી અતિનિપુણ બુદ્ધિથી તેવાં તેવાં કાર્યો વિષે પ્રવૃત્તિ કરતા તેવી તેવી વ્યાધિઓને ઉછેદ કરનારા થાય છે. (૪૩૩) ગ્રથિભેદને જ આગળ કરતા કહે છે- ૪૩૪–હંમેશાં વિધિ પાલન કરવી ઈત્યાદિક વગર પણ આ ગ્રથિભેદ કર્યો છતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy