SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ] ઉપદેશપદ-અનુવાદ સમયમાં જિનભવન, જિનબિંબ, જિનાગમ, ચતુર્વિધ સંઘરૂપ સાત ક્ષેત્ર સંબંધી ધર્મકૃત્યે સીદાતાં હોય, ત્યારે જે તેને સહાયરૂપ થાય, તેવા દેવદ્રવ્ય કે સાધારણ દ્રવ્યને લાભની અધિકતાથી જે મહિતમતિવાળો બની તે દ્રવ્યનો દ્રોહ કરે-વિનાશ કરે, તે કાં તો જિનપ્રણીત ધર્મ જાણ નથી, એમ કહીને તેને મિથ્યાદષ્ટિ જણાવ્યું, અથવા તો કંઈક ધર્મ જાણતો હોય, તે પણ ચેત્યદ્રવ્યાદિની ચિંતા કરવાના કાળ પહેલાં તેણે નરકાદિક દુર્ગતિનું આયુષ્ય બાંધેલું હોવું જોઈએ. (૪૧૪) તથા– चेइयदव्वविणासे, तव्यविणासणे दुविहमए । साहू उवेक्खमाणो, अणतसंसारिओ भणिओ ॥ ४१५ ॥ ૪૧૫–ક્ષેત્ર, સુવર્ણ, ગામ, વન, ઘર વગેરે તે તે સમયે ઉપયોગી થતું હોય, તેવા ચેત્યદ્રવ્ય–દેવદ્રવ્યને તેની વ્યવસ્થા કરનારાઓ દ્વારા અગર પોતાની મેળે તે દ્રવ્યને વિનાશ થતો હોય, અથવા બીજા ચેત્યદ્રવ્યને લૂંટી જતા હોય, તે આગળ કહેવાશે, તેવા બંને પ્રકારના ચેત્યદ્રવ્યની સર્વસાવદના વ્યાપારથી વિમુખ થયેલા સાધુએ ઉપેક્ષા કરે–તેનું રક્ષણ ન કરે, તે અનંત સંસારી થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના કારણે. પંચકલપભાષ્યમાં કહેવું છે કે-ખેતર, સુવર્ણાદિક, ગામ, ગાય વગેરે જે ચેત્યોનાં હોય, તેની સાર-સંભાળ રાખવાની પ્રેરણા ન આપે, તો સાધુને ત્રિકરણ શુદ્ધિ કેવી રીતે થાય ? આ વિષયમાં જે કઈ દેવદ્રવ્ય સંબંધી કઈ વસ્તુનું હરણ કરી જાય, તો તે સાધુને ત્રિકરણ શુદ્ધિ હેતી નથી. દેવદ્રવ્યના રક્ષણમાં, નાશ થતું બચાવવામાં ચારિત્રવાળા કે ગૃહસ્થ શ્રાવક હોય તેવા ચતુવિધ શ્રીસંઘે પિતાના સર્વ સામર્થ્યથી તેના રક્ષણ કાર્યમાં લાગી જવું–આ કાર્ય બંને માટે સામાન્ય ગણેલું છે.” (૪૧૫) ચિત્યદ્રવ્ય-વિનાશ બે પ્રકારે જણાવ્યું, તે બે પ્રકાર કહે છે ૪૧૬–ચિત્ય-જિનમંદિર નિર્મા પણ કરવા માટે ઉચિત ઇંટ, પાષાણ, કાષ્ઠ આદિ તે ગ્ય ચેત્યદ્રવ્ય, બીજું અતીત-ભૂતકાળના ભાવને પામેલ, જિનમંદિર નિર્માણ કરવાની અપેક્ષાએ બીજી વખત કામ લાગી શકે, તેવી રીતે જુના ચૈત્યમાંથી જુદું પાડેલું. મૂલ અને ઉત્તરભાવથી બે પ્રકારે તેમાં સ્તંભ, કુંબિકા, પાટિયાં યોગ્ય કાષ્ઠદલ તે મૂળભાવ પામેલું દ્રવ્ય ગણાય, પીઠ વગેરે ઉપરમાં ઢાંકણરૂપે જે કાષ્ઠ આદિ હોય, તે ઉત્તરભાવ. આ પ્રમાણે વિનાશનીય ચેત્યદ્રવ્યના બે પ્રકારો. હવે વિનાશકના બે ભેદ કહે છે. સ્વપક્ષ અને પરાક્ષ વગેરે, સાધુ-શ્રાવક સ્વપક્ષ, મિથ્યાદષ્ટિ લક્ષણ ચૈત્યદ્રવ્યને વિનાશ કરનાર પરપક્ષ, આદિશબ્દથી મિથ્યાષ્ટિના ભેદો ગૃહસ્થો, પાખંડીઓ સમજવા. તેથી કરીને કહેવાની મતલબ એ છે કે–ચોગ્ય અને અતીત ભેદથી, મૂળ અને ઉત્તરભેદથી, સ્વપક્ષ અને પરપક્ષમાં રહેલા ગૃહસ્થ અને પાખંડીરૂપ વિનાશકના બે ભેદે અને પૂર્વે કહેલા દ્રવ્યને વિનાશ બે પ્રકારે થાય છે. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy