SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] ઉપદેશપદ- અનુવાદ કોઈક ગચ્છમાં પહેલાં વિશુદ્ધ અનુષ્ઠાન કરનારો હેવા છતાં અત્યારે જાણે રાહુને પર્યાય હોય, તે સ્વભાવથી જ મલિન પ્રકૃતિવાળા રુદ્ર નામને એક ક્ષુલ્લક સાધુ હતો. તેવા તેવા સાધુઓના આચારમાં જ્યારે જ્યારે પ્રમાદ કરતો હતો, ત્યારે ત્યારે બીજા સાધુઓ સ્મારણા, વારણા, પ્રેરણા, પ્રતિપ્રેરણા વગેરેથી વારંવાર શિખામણ આપતા હતા, ત્યારે હિતશિક્ષા આપનાર સાધુઓ ઉપર તે તીવ્ર ક્રેપ કરતા હતા. કેઈક દિવસે આખા ગચ્છને મારી નાખવાની બુદ્ધિથી તે પાપી શિષ્ય પાણી અને ભોજનમાં વિષ નાખ્યું. તે દેખીને ગચ્છના હિતાહિતને વિચાર કરનાર કઈ દેવે તેને ભાવ જાણી લીધો. ત્યાર પછી પાણી લેવા માટે પાણીના ભાજનવાળો હાથ લાંબો કર્યો, એટલે આકાશમાં રહેલા દેવે સાધુઓને નિવેદન કર્યું કે, “આ પાણી ગ્રહણ ન કરશે. કારણ કે, વિષથી દૂષિત કરેલું છે. પ્રશ્ન કર્યો કે, “આમ કોણે કર્યું? સાધુએ વિચારણા કરતા હતા, ત્યારે દેવે જ સત્ય હકીકત જણાવી કે, “રુદ્ર ક્ષુલ્લકે આ અકાર્ય કર્યું છે. એટલે આ મોટા અપરાધના કારણે તેને ગચ્છમાંથી કાઢી મૂક્યો. તે માટે કહેલું છે કે-“પાનના કરંડિયામાં એક પાન સડી ગયું હોય, તો તે કાઢી નાખવું, નહિતર આખા કરંડિયાનાં તમામ પાનને સડાવી નાખે છે.” એ દષ્ટાંતે બીજા સાધુઓને પણ ન બગાડે, તે પ્રમાણે બીજા ન કરે, માટે તેને ગચ્છમાંથી બહાર કાઢી મૂકો. ગચ્છમાંથી નીકળ્યો, એટલે દીક્ષાને ત્યાગ કર્યો. ત્યાર પછી જલદર વગેરે અસાધ્ય વ્યાધિ ઉત્પન્ન થયા, મૃત્યુ પામી રત્નપ્રભા વગેરે સાતે નારકીઓમાં કમસર ઉત્પન્ન થયો. વળી અસંજ્ઞી એકેન્દ્રિય આદિમાં ઉત્પન્ન થઈ તેમાં દાહ, ભારવહન, બંધન, શરીર કપાવાં વગેરે દુઃખની પ્રચુરતાવાળા સ્થાનમાં અસંખ્યાતી ઉત્સર્પિણઅવસર્પિણ રૂપ કાયસ્થિતિઓ પૂરી કરી. ત્યાર પછી તે બર્બરફૂલવાસી અનાર્ય, મ્લેચ્છ, ભીલ, કળી, પર્વતનો આશ્રય કરનારા, વૃક્ષપત્રોથી શરીર ઢાંકનારા, ચંડાળ, ચામડાં પકવનારા, બેબી, રંગારા, દાસ વગેરે તુચ્છ જાતિમાં ઉત્પન્ન થયા. ત્યાર પછી ચૂર્ણપુરમાં શેઠપુત્રપણે ઉત્પન્ન થયે. વૃક્ષપત્રનાં વસ્ત્રો પહેરવાં ઈત્યાદિ જન્મમાં સાધુ-pષ સંબંધી ઉપાર્જન કરેલ લાભાન્તરાય, દૌર્ભાગ્યાદિ પાપકર્મ ખપી ગયું–તે કર્માનુબંધને વિચ્છેદ થયે-તૂટી ગયું. તે ભવમાં કેઇક તીર્થકર ભગવંતને વેગ થયો, એટલે પૂર્વજન્મ સંબંધી વૃત્તાન્ત, પૂછો, એટલે સમગ્ર જન્મનો સર્વ વૃત્તાન્ત કહ્યો. ફરી બેધિલાભરૂપ ધર્મ પ્રાપ્તિ થઈ. વૈરાગ્ય પામેલા તેણે પૂછ્યું કે, “અહિં સાધુના ઉપર કરેલા પ્રવરૂપ અપરાધનું શું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ ?” ભગવંતે કહ્યું કે, “સાધુપુરુષનું બહુમાન, પિતાની અપેક્ષાએ તેઓને મહાન ગુણવાળા માનવા જોઈએ.” એ પ્રાયશ્ચિત્ત જણાવ્યું. ત્યાર પછી તેણે દરરોજ પાંચસે સાધુઓને વિનય–બહુમાન પૂર્વક વંદન કરવાનો અભિગ્રહ કર્યો. જે દિવસે કઈ પ્રકારે અભિગ્રહ પૂર્ણ ન થાય, તે દિવસે તેને અન્ન-પાનનો ત્યાગ થાય છે. એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યો અને પિતાનું જીવન પસાર કરતા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy