SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ચિત્રકાર વિમલ અને પ્રભાકર [ ૩૦૧ ગૌરવ સન્માનના પાત્રભૂત એવા તે બંને ચિત્રકારોએ તે કાળને ઉચિત સમગ્ર ચિત્રની જરૂરીયાતવાળી પવિત્ર સામગ્રી તૈયાર કરી. તે સભાની વચ્ચમાં આરપાર ન દેખાય તેવી ઘન યવનિકા (પડદો) કરાવી. “ખે એકબીજાની અતિશયવાળી કળા ચોરે.” વિમલ નામના ચિત્રકારે પોતાના પરિવાર–સહિત પોતે કરેલી પ્રતિજ્ઞાનુસાર વિવિધ પ્રકારના ચિત્રામણવાળી સભા છ મહિનામાં તૈયાર કરી. કૌતુકપૂર્ણ રાજાએ તે બંનેને સાથે પૂછયું કે, “અરે ! તમે કેટલું ચિત્રામણ તૈયાર કર્યું?” એટલે વિમલે રાજાને જણાવ્યું કે, “મારું કાર્ય પૂર્ણ થયું છે, આપ દષ્ટિ–પ્રદાન કરવાનો ક્ષણવાર અનુગ્રહ કરો.” વળી બીજાએ કહ્યું કે, “હજુ મેં તો એક પણ રેખા આલેખી નથી, માત્ર ચિત્રકર્મને યોગ્ય કેવલ ભૂમિ તૈયાર કરી છે. વિમલે ચિતરેલો સભાખંડ રાજાએ જે, એટલે ઘણો પ્રસન્ન થયા અને તેની યોગ્ય પૂજા કરી. સભા વચ્ચે પડદો ખસેડીને બીજી સભા ખંડ અહિં જ્યાં દેખે છે, એટલે ચિત્રામણવાળી ભીંતનું ચિત્રામણ આ ભીંતમાં સંક્રાન્ત-પ્રતિબિંબરૂપે દેખ્યું. એટલે પ્રતિબિંબનું મનોહર રૂપ તરત જવામાં આવ્યું. રાજા ચિત્રકારના વચનમાં શંકા કરતો એકદમ વિલ બની ગયો અને તેને કહેવા લાગ્યું કે, “આમ કહીને તે અમને પણ છેતર્યા.” “હે દેવ ! તેમ નથી, આ તે પ્રતિબિંબ પડવાના કારણે આ ચિત્રામણ દેખાય છે.” શંકિત મનવાળો રાજા તે પડદાને હતો તેમ કરે છે, એટલે ચંદ્ર સરખી નિર્મલ ભૂમિ દેખતો હતે. સ્કુરાયમાન વિમિત મુખવાળા રાજાએ પૂછયું કે, “હજુ તે ચિત્રામણ કેમ નથી આરંભ્ય? આટલો કાળ હજુ ભૂમિમાં જ ગયે ?” હે દેવ! અહિં ભૂમિની વિશુદ્ધિ વગર કરેલું ચિત્રામણ રમણીય ન લાગે, તેમ જ જે વર્ષો પૂર્યા હોય, તે સ્થિરતા-શુદ્ધિને ન પામે.” અરે ! ખરેખર આ ચિત્રકાર સર્વમાં શિરોમણિ છે. તેણે બીજાને કહ્યું કે, “એમને એમ હવે રહેવા દે, આ ચિત્રનું પ્રતિબિંબ તેમાં પડશે, પ્રતિબિંબ પડવાના કારણે તે અધિક રમણીય લાગે છે. આદશમાં કુરૂપ જોઈએ તે અધિક શોભા લાગે છે, તે ચિત્રકારને યાજજીવ સુધીની આજીવિકાને સત્કાર કર્યો, તેના સર્વ પરિવાર અને બંધુઓને પણ આજીવિકા બાંધી આપી, જેથી તે અત્યંત સુખીભાવને પામ્યા. (૨૨) હવે ગાથા અક્ષરાર્થ કહે છે– મહાબલ રાજાએ દૂતને પૃચ્છા કરી કે, “મારા રાજ્યમાં કઈ વસ્તુની ઉણપ છે?” તો કે ચિત્રસભા નથી. તરત જ બે ચિત્રકારને તે તૈયાર કરવા આજ્ઞા આપી. ત્યાર પછી મુખ્ય ચિત્રકારનું બહુમાન કર્યું. એક સભામાં સામસામી ભિત્તિ ઉપર ચિત્રામણ આરંભ કરેલા બંને વચ્ચે એકબીજાની કળા કોઈ જોઈ ન જાય તેવી રીતે વચ્ચે એક પડદે કરાવ્યો, વિમલ નામના ચિત્રકારે છ મહિનામાં ચિત્રકાર્ય પૂર્ણ કર્યું, બીજા પ્રભાકર નામના ચિત્રકારે માત્ર ભિત્તિની ભૂમિ જ સ્થિર સાફ અને મજબૂત ચળકાટ કરવામાં છ મહિના પસાર કર્યા. રાજાએ પૂછયું, વિમલે “તૈયાર થઈ ગયું,” બીજાએ “ભૂમિકમ માત્ર થયું'-એમ કહ્યું. ઉત્સુક થયેલા રાજા દર્શન કરવા ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy