SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૯૭ : ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સહિત તેમને પ્રસન્ન કરવા માટે આવી પહોંચ્યો. ભાલતલ પૃથ્વી સાથે અડકાડીને પ્રણામ કર્યા, બે હાથ જોડી તેણે વિનંતિ કરી કે, “મુનિવરે ક્ષમાપ્રધાન ગુણવાળા હેય છે. જો કેઈ અપદ્રોહ કરનારા અનાર્યના વર્તનથી આપનો અપરાધ થયો હોય, તો તેના સરખું વર્તન કરવું આપને યોગ્ય ન ગણાય. જે કંઈ સર્પ કંઈ પ્રકારે કઈને , તે શુ તેને ભક્ષણ કરવા માટે મૂઢમનવાળો મનુષ્ય તૈયાર થાય ખરો?” આ પ્રમાણે બોલીને જેટલામાં રાજા પ્રસન્ન કરતા હતા, તેટલામાં જાણેલા વૃત્તાન્તવાળા ચિત્રમુનિ તરત જ તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, તમે શાન્ત થાવ, સમતા પામે. આ કોપાગ્નિ નિરંકુશ બની ગુણરૂપી વનને સળગાવી નાખી ભસ્મ કરે છે, ક્ષણવારમાં પ્રચંડ કેધ તપ-સંયમને બાળી નાખે છે. જે માટે સૂત્રમાં ભગવંતે કહેવું છે કે-“જેમ વન-દાવાનલ વનવૃક્ષોને ક્ષણવારમાં બાળીને ભસ્મરૂપ કરે છે, તેમ કષાયપરિણત જીવ તપ-સંયમને બાળી નાખે છે. તથા કરમજી રંગથી રંગાએલા સમૂહની જેમ કોઈકને કે બહુ નિંદનીય વિસ્તારવાળો થાય છે. કેધ ઉદ્વેગનું કારણ અને ભયંકર દુઃખની ખાણ ક્રોધ છે. ” એ વગેરે વચનરૂપી વર્ષની ધારા વરસાવીને તેને ધાગ્નિ ઓલવી નાખે, એટલે હવે તે સજજડ વૈરાગ્ય પામ્યો. રાજાએ નમુચિ પ્રધાનને બંધાવીને મુનિના ચરણકમળમાં નમાવ્યો. દયાપૂર્ણ ચિત્તવાળા મુનિએ તેને મુક્ત કરાવ્યું. તે બંને મુનિઓ વૈરાગ્યથી અંતસમયે કરવા લાયક ક્રિયાઓની આરાધના કરી રહેલા હતા, ત્યારે કોઈક દિવસ વંદન કરવા માટે રાજા ત્યાં આવ્યા. તે વખતે તેમના ચરણની પર્ય પાસના-સેવા કરતા એવા રાજાની પાછળ રહેલ તે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન પણ આદરથી પ્રણામ કરતાં કરતાં કોઈ પ્રકારે તેના કેશને અગ્રભાગ પગને ૫ર્યો. તરત જ સંભૂતમુનિ પ્રમાદચિત્તવાળા-મોહચિત્તવાળા થયા. “જે માત્ર આ સ્ત્રીને વાળનો અણિનો ભાગ સ્પર્શ કરવાથી આટલે સુખ કરનારો થાય છે, તે તેના સર્વ સંગના સમયે કેઈ અપૂર્વ સુખ લેવું જોઈએ.” એમ વિચારતા વિચારતા ચિત્તમાં તેણે આ પ્રકારને સંક૯પ એકદમ કર્યો અને નિયાણું કર્યું કે, “જે મારા તપમાં પ્રભાવ હોય, તે તેનાથી હું જન્માંતરમાં આવાં સ્ત્રીરત્નને ભગવનારો થાઉં.” બીજા ભાઈ ચિત્રમુનિએ ઘણો રોકડ્યો કે, ઠંડી માટે ક્રેડને ગુમાવવા તે તારા માટે એગ્ય નથી. ત્યાંથી મૃત્યુ પામી તેઓ સૌધર્મ દેવલોકમાં નલિની ગુમ વિમાનમાં સૌભાગ્યના સમુદ્ર એવા દેવ થયા. ત્યાંથી ચ્યવેલા તેઓ આ ભારતક્ષેત્રમાં સંભૂત હતો, તે બ્રહ્મદત્ત નામને ચકવર્તી, તેમ જ જે આગળ ચિત્રમુનિ હતા, તે પુરિમતાલ નામની પ્રાચીન નગરીમાં શેઠપુત્ર થયા. ધર્મ શ્રવણ કરીને ભવ–કેદખાનાથી એકદમ વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી ક્ષમાધારી ઇન્દ્રિયદમન કરનાર શ્રેષ્ઠ મુનિ થયા. ત્યાર પછી તે મુનિ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચકવતી પાસે આવ્યા. તેને આગળ કહીશું, તે કારણે જાતિસ્મરણ થયું. રાજને એક તટે વિનંતિ કરી કે-“હે દેવ ! આજે “મધુકરી' નામના ગીતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy