SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મદત્ત ચક્રવર્તી [ ૨૫ બંનેને મૃત્યુ પમાડ્યા. ત્યાર પછી મૃતગંગાના કિનારા વિષે તે બંને એક હસીની કુક્ષિમાં યુગલપણે હંસરૂપે જમ્યા. ત્યાં યૌવન પામેલાને એક માછીમારે જાળમાં ફસાવ્યા અને પકડીને તેમની ડોક મરડી નાખી મૃત્યુ પમાડ્યા. ત્યાર પછી વારાણસી નગરીમાં ભૂતદિન્ન નામને ચંડાળનો અધિપતિ હતા, તેના બંને પુત્ર થયા. તેઓ પરસ્પર અત્યંત સ્નેહપૂર્ણ ચિત્તવાળા હતા. તેમનાં નામે અનુક્રમે ચિત્ર અને સંભૂત હતાં. તે વખતે ત્યાં શંખ નામને રાજા અને નમુચિ નામનો તેને પ્રધાન હતો. કોઈક તેવા અપરાધના કારણે નમુચિને ભૂતદિને વધ-શિક્ષા માટે સેં. પરંતુ ચંડાલ વિચાર કરવા લાગ્યો કે, “આવેશમાં આવી રાજાએ મૃત્યુની શિક્ષા કરી છે, પરંતુ આ મારવા ગ્ય નથી” એમ ધારી એને ગુપ્તપણે સંતાડી રાખે, તે એટલા માટે કે, “તું ભોંયરામાં રહીને મારા પુત્રને કળાએ ભણાવ, તે તું જીવતો રહી શકીશ, નહિતર તારું જીવન સલામત નથી.” પિતાનું કુલ-જાતિ-વિજ્ઞાન, વિજ્ઞાનનું પાર પામવાપણું આ સર્વની અવગણના કરી પોતાના જીવિતના અર્થીએ તે જ ક્ષણે તે વાત સ્વીકારી લીધી. ત્યાર પછી ભૂતદિન્ન ચંડાળના પુત્રને કળાઓ ગ્રહણ કરાવતાં દિવસ પસાર થતા હતા. દરમ્યાન ભૂતદિન્નના જાણવામાં આવી ગયું કે, “આ નમુચિ સાથે આડો વ્યવહાર કરીને મારી પત્ની વિનાશ પામી છે.” ચંડાળને સહજમાં ઉત્પન્ન થતો કોપ આ કારણે પ્રચંડ કપ ઉત્પન્ન થયે. પુત્ર સમજી ગયા કે, “આપણને ભણાવનારને પિતા મારી નાખશે–એમ ધારી પુત્રોએ ખાનગી સંકેત કરી તેને નસાડી મૂક્યો. ત્યાંથી તે હસ્તિનાપુર નગરમાં સનકુમાર રાજાને મંત્રી થયો અને પોતાના બુદ્ધિબળે સર્વ મંત્રીઓમાં પ્રધાનમંત્રી બન્યા. હવે પેલા ચંડાલના બંને પુત્રો યૌવન, લાવણ્ય, રૂપારિક ગુણો વડે તેમ જ નાટક, સંગીત, વાજિંત્ર વગેરે કળાના સમૂહથી નગરીના લોકોને અતિશય આનંદ પમાડનારા થયા. હવે કેઈક વસંત-મહોત્સવ સમયે નગરની અંદર વિવિધ પ્રકારની રાસમંડળીઓ તેમ જ નૃત્ય કરનાર નર-નારીને સમુદાય નૃત્ય, સંગીત વગેરે આનંદ-ક્રીડાઓ કરતા હતા. ત્યારે ચંડાળાએ પણ આ બે પુત્રોને આગળ કરી ચંડાળ તરુણો પણ સાંભળવા નગરમાં ગયા. બીજી રાસમંડળીને જોતા લોકે આ ચંડાળનાં ગીત-વાજિત્ર સાંભળી આકર્ષાયા, અને બ્રાહ્મણની સર્વ ભક્ત મંડળીઓ આ ચંડાળપુત્રનાં ગીતોમાં પ્રભાવિત થઈ, એટલે ઈર્ષાથી તેઓ રાજાને ફરિયાદ કરવા લાગ્યા કે, “આ ચંડાળાએ આપણું નગરના લોકોને વટલાવી નાખ્યા-અભડાવ્યા” એટલે તેમને નગરીમાં પ્રવેશ કરવાની મના કરી. તેમ જ માર મારીને બહાર કાઢ્યા. કેટલોક સમય પસાર થયા પછી કૌમુદી નામને મહામહેન્સવ નગરમાં પ્રવર્યો. એટલે ભૂતદિન્નના બંને પુત્ર પિતાના કેટલાક પરિવાર સાથે કુતૂહલ મનવાળા બની રાજાની આજ્ઞા ભૂલી જઈને નગરમાં પ્રવેશ કરી નગરલોકોના પ્રેક્ષકને જોવા લાગ્યા. જેમ ગોરીનાં ગીતે હરણ સાંભળે, -તેમ આ ચંબલપુત્રો પણ સાંભળવા લાગ્યા. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy