SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] ઉપદેશપદ-અનુવાદ રીને પછી આ૫ મારો દંડ કરે તે યોગ્ય છે. કારણ કે, “મહાપુરુષ સુંદર વિચાર કરીને પછી કાર્ય કરનારા હોય છે.” “ભલે એમ થાવ”-એમ કહીને જ્યારે મંજૂષા પાસે ગયા, તે તેના પર લગાવેલી મુદ્રાઓ અને તાળાઓ તે જ પ્રમાણે બરાબર હતાં. નગરના આગેવાન પુરુષો સમક્ષ તાળાં ખેલ્યાં, તો અત્યંત પ્રસન્ન મનવાળા હાથમાં વેણ અને રિકા રહેલાં હતાં, તેવા મંત્રીપુત્રને દેખે. સર્વે ગભરાયેલા અને અસાધ્ય સ્વરૂપને વહન કરતા એક બીજા સામું નજર કરતા કહેવા લાગ્યા કે, “હે અમાત્ય ! આ આશ્ચર્ય શું છે? તે કહે.” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આને પરમાર્થ દેવ જ જાણું શકે, પરંતુ બીજે કઈ નહિં. જેને ઘરે આ મંજૂષા છે, તેની દરેક પહોરે ખબર રાખનારા પહેરેગીરો છે, જેના ઉપર મુદ્રાઓ કરેલી છે, તાળાંએ વાસેલાં છે, તેમાં જાણનાર બીજે ક્યાંથી લાવો ?” મૂઢતા પામેલે રાજા કહેવા લાગ્યો-“આ હકીકત તારા જ્ઞાન-વિષયક છે.” એટલે રાજાએ સર્વાલંકાર આપીને પરમાર્થ પૂછ્યો. મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! જે આપ મારી વાત સાંભળતા હે, તો હું એટલું સમજી શકું છું કે, થાય તે સર્વ વિનાશ થાય, પરંતુ એક વેણીએ છેદ ન થાય. તો આપની પ્રતીતિ માટે મેં પુત્રને મંજૂષામાં સારી રીતે ગુપ્ત રાખ્યો અને આપના કબજામાં મંજૂષા રાખી કે જેથી કરી હું અપરાધ-સ્થાન ન પામું. પૂર્વભવના કેઈક વૈરી દેવે મને સંકટમાં નાખવા માટે એના સરખે આકાર ધારણ કરીને આ સર્વ કાર્ય કરેલું છે.” ઉત્પન્ન થયેલી ખાત્રીથી સર્વેએ કહ્યું કે, “બરાબર એમ જ છે, નહિતર આ પ્રમાણે સારી રીતે રક્ષાએલો આવું કાર્ય કેમ કરે? હે દેવ! જેને પ્રતિકાર કર્યો હોય, એ પણ આવી રીતે ફળવાળું થાય છે. બુદ્ધિમાનાં ચરિત્ર પણ કર્મના જેરને હરી જાય છે. અવસર પ્રાપ્ત થયું હોય, ત્યારે કોઈ વખત કર્મ બળવાન થાય છે, કોઈ વખત પુરુષાર્થ બળવાન થાય છે, કેઈ વખત ધનવાન બળવાન થાય છે, તે કઈ વખત બુદ્ધિવાળ બળવાન થાય છે. એ પ્રમાણે જ્ઞાનગર્ભા મંત્રી પોતાના નામ સમાન ચેષ્ટાવાળો હોવાથી લોકમાં ચંદ્ર સમાન ઉજજવલ લક્ષમી અને યશને પ્રાપ્ત કરનાર થયો. (૬૭) હવે સંગ્રહ ગાથાઓને અક્ષરાર્થ કહે છે-વૈશાલી નગરીમાં જિતશત્રુ રાજાનો જ્ઞાન મંત્રી હતો. કોઈ વખત સભામાં બેઠેલા રાજા પાસે નિમિત્તિયો આવ્યો. રાજાએ તેને પૂછયું. અતિકુતુહલ-તત્પર સભામાં વગર પ્રસંગે પ્રશ્ન કર્યો–કોને કેવા પ્રકારનું અપૂર્વ સુખ કે દુઃખ ઉત્પન્ન થશે?” નિમિત્તિયાએ કહ્યું કે, “મંત્રીને મારી–પતનનું દુ:ખ આવી પડશે.” રાજા-કયારે? નિમિત્તિ-એક પખવાડિયામાં. ત્યાર પછી રાજા અને સમાજને એકદમ મૌન બની ગયા. ત્યાર પછી સભામાંથી નીકળી જઈને સમયે મંત્રીએ નિમિત્તિયાને પોતાના ઘરે આદરથી બોલાવ્યો. એકાંતમાં પૂછયું કે, “મારી પતન ક્યાંથી અને શાથી થશે ?” નિમિત્તિયો-પુત્રદોષથી અને તે માટે તેને કુસ્વમ આવશે, તે તેની પ્રતીતિ સમજવી. ત્યાર પછી નિમિત્તિયાની પૂજા-સત્કાર કર્યા. આ વાત બીજા કોઈને ન કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy