SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનગર્ભ મંત્રીની કથા | [ ૨૮૭ તેને મના કરી સ્વપ્રથી નિર્ણય થયો. પુત્ર સાથે વિચારણું કરી અને તેને મંજૂષામાં પૂરીને એક પખવાડિયાની ખાવા-પીવાની અને બીજી વ્યવસ્થા કરી અને સમજણ પાડી. ઉપર તાળાં માર્યા. ત્યાર પછી મંત્રીએ કહ્યું કે, “આ મારું ધન આપ સાચવવા સ્વીકારો.” રાજા ના કહે છે, છતાં મંત્રીના આગ્રહથી મંજૂષા રાજકુલમાં લાવ્યા. મંત્રીએ રાજાને કહ્યું કે-“સર્વ સાર વસ્તુઓ આ પેટીમાં છે.” રાજા–તને જ્યારે મહાસંકટ આવવાનું છે, તે પછી સર્વ સાર વસ્તુઓનું શું પ્રોજન ? મંત્રી–તે પણ હે દેવ ! એક પખવાડિયા માટે આપ રક્ષણ કરો. ત્યારપછી દ્વારમાં બીજાં તાળાં અને ઉપર મુદ્રા કરાવી. દિવસથી રાત્રિ સુધી પહોરે પહેરે સંભાળ રાખનારા પહેરેગીરો રાખ્યા. એ વ્યવસ્થા થયા પછી તેરમા દિવસની રાત્રિએ રાજાની પુત્રીને અકસમાત વેણિચ્છદ થશે. આ કાર્ય મંત્રીના પુત્રે કર્યું છે.” એવો લેકમાં પ્રવાદ ફેલા. પુત્રીનું રુદન જાતે દેખ્યું, એટલે જિતશત્રુ રાજાને મહાકેપ પ્રગટ્યો. તરત જ એ મંત્રીપુત્રને ઘાત કરવાની રાજાએ આજ્ઞા કરી, અથવા તેને એકલાને ઘાત કરવાથી શું ? માટે મંત્રીના સર્વ કુટુંબનો અગ્નિ સળગાવી બાળી ભમ કરો. કારણ કે, આવા ઉન્મત્ત થઈને આવાં અધમ આચરણ કરે છે. ત્યાર પછી મંત્રી હે શું કર્યું? કુટુંબને પકડવાનું આરંભ્ય. મંત્રી-પરિવાર સાથે ઝગડો કર્યો. મંત્રીએ કહ્યું કે, “હું રાજાની જાતે મુલાકાત લઉં છું.” રાજાને મળ્યા, એટલે મંત્રીએ કહ્યું કે પ્રથમ આપ મંજૂષા તપાસી લે, જેથી આપ જાણી શકશે કે, મારા પુત્રથી કે બીજા કેઈથી આ કાર્ય થયું છે, તે આપ યથાર્થ જાણે શકશો.” ત્યાર પછી રાજા મંજૂષા ખોલવા માટે ગયા. મુદ્રાઓ, તાળાંએ અખંડ દેખ્યાં. પછી પેટી ખોલી અને તેની ભાલ–તપાસ કરી, તો તેમાં છૂરિકા સહિત અને વેણી હાથમાં હતી, તેવા મંત્રીપુત્રને જે. તે દેખવાથી ભય થયો કે, “ આ અસંભવિત વસ્તુ કેવી રીતે બની?” આ પ્રમાણે તર્ક-વિતર્ક કરવા પૂર્વક વિચારણા કરવા લાગ્યા. ત્યારે મંત્રીએ કહ્યું કે, જેઓ આની વ્યવસ્થા–રક્ષણ કરનાર છે, એવા દેવ જ આને પરમાર્થ જાણી શકે.” તેથી લોકોને આશ્ચર્ય થયું કે, “આવું કંઈ દેખ્યું કે સાંભળ્યું નથી.” પછી મંત્રીને પૂછયું, રાજાએ તેની પૂજા કરી. મંત્રીએ કહ્યું કે, “હે દેવ! નિમિત્તિયાએ એટલું જ કહેલું કે, “સર્વનાશ તારા પુત્રથી જ થશે, પણ વેણિછેદથી આમ થશે-તેમ કહેલ આપ્ત એવા આ નિમિત્તિયાના વચનથી હું પુત્રને છૂપાવવા માટે પ્રવૃત્તિવાળો અન્ય. એટલામાં નિમિત્તિયાએ કહેલું બન્યું. (ઈતિશદ ગાથામાં છે, તે અર્થ સમાપ્તિ માટે જાણ.) હવે વાતનો ઉપસંહાર કરતાં કહે છે કે-અચિત્ય સામર્થવાળું કર્મ આ પ્રમાણે પ્રતિકાર કરવા છતાં પણ ફળ આપે છે અને મંત્રીને ફલ પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy