SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનગર્ભ મંત્રીની કથા [ ૨૮૩ ભૂલાઈ ગયું પણ ગુણને અંગે નવા નામથી પ્રસિદ્ધિ પામ્યો, તે જ્ઞાન મંત્રી અહિં આવીક્ષિકી નીતિ એટલે જૈન, જૈમિની આદિ મતવાળાઓએ રચેલાં ન્યાયશાસ્ત્રની વિચારણા, ત્રયી એટલે સામવેદ, ઋગવેદ, યજુર્વેદ લક્ષણો, વાર્તા તો લેકના નિર્વાહના હેતુરૂપ ખેતી, પશુ પાળવા વગેરે આજીવિકા રૂપા, દંડનીતિ તો રાજાની નીતિસામ, દામ, ભેદ, દંડરૂપ નીતિઓ જાણવી. આ ઉદાહરણ વિસ્તારથી સમજવા માટે ૧૦ ગાથા કહે છે– જ્ઞાનગભ મંત્રીની કથા ૩૩૦ થી ૩૩૯–અતિવિશાળ કુલીન નિર્મલ શીલ ધારણ કરનારા લોકોના નિવાસવાળી, શ્રી વર્ધમાન સ્વામીના મોસાળ યુક્ત, હિમાલયના ઉંચા સુંદર શિખર સરખા ઉંચા મહેલોવાળી, શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપથી શોભાયમાન મધ્યપ્રદેશવાળી પુરાણકથામાં જેનું પ્રસિદ્ધ નામ સંભળાય છે–એવી વૈશાલી નામની પ્રાચીન નગરીમાં જેણે પિતાને પરાક્રમથી રાજ્ય સ્વાધીન કરેલાં છે, એ જિતશત્રુ નામનો રાજા હતા. રાજાના વંશ સાથે જ જમેલા, વંશ-પરંપરાથી પવિત્ર જન્મવાળા, સામ વગેરે રાજ્યનીતિઓનું યથાવસરે યથાર્થ પાલન કરનાર, સમગ્ર રાજ્યકાર્યો કરવામાં હંમેશાં સાવધાન, તેવા તેવા ચરિત્રમાં આશ્ચર્ય કરાવનાર, તેના વંશની વૃદ્ધિ કરવાનાં મૂળ. સમાન, સર્વ શત્રુઓના વેરી સરખા, પ્રજાનાં દુઃખ જાણવાં અને તેનાં નિવારણ કરવાના કાર્યોમાં આંખ સમાન, પિતાની જેમ પ્રજાલોકેન હિતચિંતક, સામંતાદિ લોકોને બહુમાન્ય એ જ્ઞાનગર્ભ નામને મંત્રી હતા. નિરંતર રાજ પ્રસાદ મેળવનાર, સર્વ અર્થથી પરિપૂર્ણ, ઘણા ઉત્તમ વિસ્તારવાળા સુશીલ કુલવાળો, સમગ્ર અનુચિત વતી નનો ત્યાગ કરનાર, રાજાના સમાન ચિત્તને અનુસરનારે તે સમય પસાર કરી રહેલ હતો. ત્યારે કોઈક સમયે પોતપોતાના ગ્ય સ્થાનમાં જ્યારે રાજપરિવાર સભામાં બેઠેલા હતા અને ઇન્દ્રની જેમ રાજા સભામાં બેઠેલા હતા, ત્યારે પૃથ્વી પર મસ્તક સ્પર્શ કરે તેવી રીતે દ્વારપાળે રાજાને પ્રણામ કરીને વિનંતિ કરી કે, “હે સ્વામી ! કોઈક બહારથી આવેલ એક નિમિત્તિ આપનાં દર્શનની ઉત્કંઠાવાળો દરવાજે ઉભો છે રાજાની અનુજ્ઞા મળી, એટલે તેને પ્રવેશ કરાવ્યું. ઉચિત શિષ્ટાચાર જાળવી સામે બેસાડ્યો. ત્યાર પછી કૌતુક-સહિત રાજાએ તેના જ્ઞાનની જાણકારી માટે સુખાસન પર બેઠેલા તેને પૂછયું કે- ડા દિવસની અંદર કોને અપૂર્વ સુખ કે દુઃખ થશે?” તે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર જાણનાર તે નિમિત્તિયાએ કહ્યું કે, “હે સ્વામી! મને પ્રશ્ન કર્યો, તો હું શાસ્ત્રમાં કહેલો અર્થ કહીશ, તે આપે મને દોષ ન દે. કારણ કે, હું મારી સ્વછંદ બુદ્ધિથી અર્થ કથન કરનારો નથી. જે આપના મંત્રીઓની પંક્તિમાં શિરોમણિભાવને પામેલા છે, તેને પોતાના કુળમાં અતિભયંકર મારી ઉત્પન્ન થવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy