SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] ઉપદેશપદ-અનુવાદ અને આડા-અવળા તાલ ઠોકવા લાગ્યા. ગીત-વાજિંત્રોનો સમાન તાલ, સુર ન થવાથી નૃત્ય બરાબર કરી શકાતું નથી, એટલે સાધુને કેપ થયે. “વિષમ તાલમાં હું નૃત્ય નહિં કરીશ. કારણ કે, નૃત્યમાં તે વિડંબનારૂપ છે. એટલે બંને કુમારે તેના હાથપગ વગેરે શરીરના અવયવો ખેંચવા લાગ્યા. એટલે યતના-પૂર્વક અત્યંત પીડા ન થાય, તેમ તેની સાથે બાયુદ્ધ કરીને તેમને ચિત્રામણમાં આલેખેલાં ચિત્રો સરખા સ્તબ્ધ બનાવ્યા. સાધુ તે સ્થાનેથી બીજે ચાલ્યા ગયા. કુમારના શરીરની પીડા તેમ જ તેમને ભોજનનો અંતરાય થો-એમ વિચારી તે સાધુએ ભિક્ષા-ભ્રમણ ન કર્યું–તપ કર્યો અને એકાંત સ્થાનમાં સ્થિરતા કરી. ત્યાં વિચાર્યું કે, “આ મારી ચેષ્ટા સુંદર પરિણામવાળી કેમ થાય?” તે સમયે જમણા અંગનું ફરકવું વગેરે શુભ નિમિત્ત કંઈક બન્યું. તેથી નક્કી ચારિત્ર થશે–તેમ તેને ધૃતિગ થયું. ત્યાર પછી સ્વાધ્યાય કરવાનું શરુ કર્યું. સમરકેતુ રાજાને પરિવારે કુમારનો વૃત્તાન્ત જણાવ્યું. રાજા ગુરુ પાસે આવીને કુમારના અપરાધ માટે ક્ષમા માગવા લાગ્યા. તેને ગુરુએ કહ્યું કે, “કોઈ સાધુએ કુમારને થંભાવ્યા છે, તે હું જાણતો નથી.” પછી સાધુઓને "પૂછયું, સાધુઓએ કહ્યું કે, “અમારામાંથી કેઈએ આ કરેલ નથી.” રાજાએ કહ્યું કે, સાધુ સિવાય કોઈ કુમારને થંભાવી ન શકે.” એટલે નવીન આવનાર સાધુ ઉપર શંકા થઈ, રખે કુમારને તેણે આમ કર્યું હોય. એટલે ગુરુએ રાજાને જણાવ્યું કે, એક પરોણું સાધુ આવેલા છે, ત્યાર પછી રાજા તેમની પાસે ગયા. એટલે રાજાએ મોટાભાઈ તરીકે તેમને ઓળખ્યા. તેમને દેખી રાજા શરમાઈ ગયા. મુનિઓને શિક્ષા કરવા માટે ઠપકો આપે. તે બદલ મિથ્યા દુષ્કત આપ્યા પછી કુમારે માટે વિનંતિ કરી કે, “તેમને સાજા કરી આપો.” “તે કુમારોને હું સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે જોડવાની ઈચ્છા કરું છું. તે કુમારોને પૂછો.” એ પ્રમાણે મુનિએ કહ્યું, એટલે યુવરાજે કહ્યું કે, તેઓ બેલવા કે જવાબ આપવા શક્તિમાન નથી. એટલે સાધુ કુમારેના સ્થાને ગયા. એટલે મુખભાગને સ્વસ્થ કર્યો. ધર્મ શ્રવણ કરાવ્યું, પછી પૂછ્યું, એટલે તેમને સંવેગ થયે. કેવી રીતે ? તે કહે છે – તેવા પ્રકારના જન્માક્તરમાં કરેલા ગુણજ્ઞ પ્રત્યે પ્રમોદ વગેરે ચાર ભાવનાઓ રૂપી ધર્મ–કલ્પવૃક્ષના મૂળરૂપ બીજના અભ્યાસથી તેઓને સંવેગ થયો. તેમાં રાજકુમારને એવા પ્રકારની ભાવના થઈ કે, “આ આપણું ઉપકારી આ પ્રમાણે થયા કે, આ રીતે પણ ધર્મ પમાડ્યા.” પુરહિતપુત્રને પણ રાજપુત્ર જેવી જ ભાવના થઈ, પરંતુ આ પ્રમાણે અવિધિથી–બલાત્કારથી દીક્ષા લેવડાવી, તે માટે ગુરુ ઉપર દ્વેષ થયો. ગુરુ ઉપર કરેલા ઠેષ બદલ યાજજીવન સુધી તે દોષની આલોચના-પ્રાયશ્ચિત્ત ન કર્યા. તેવા શલ્ય-સહિત મૃત્યુ થયું. દેવલોકમાં ગયા. પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિક ઉદાર ભોગો મળ્યા. માલા કરમાય, ક૯પવૃક્ષો કપ, શેભા અને લજાનો નાશ થાય, વસ્ત્રોના રંગો જુદા જણાય, દીનતા, તન્દ્રા, કામરાગ, શરીરભંગ થાય, દષ્ટિમાં ભ્રમ થાય, ધ્રુજારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy