SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-પરાભવ-નિવારણ [ ૨૭૫ જિનેશ્વરોને વંદન-પૂજાદિકના વ્યાપારમાં અપૂર્વ રસ ધરાવતો હતો. ત્યાંની સ્થિતિને ત્યાગ કરી ત્યાંથી મહાવિદેહમાં વિશાળ કુળમાં જિનધર્મની આરાધના કરી શાશ્વત. સ્થાન-મેક્ષ પામ્ય. (૧૪૯) આની સંગ્રહગાથાઓને અક્ષરાર્થ કહે છે– એલપુર નામના નગરમાં જિતશત્રુ રાજા, તેને અપરાજિત નામનો પુત્ર. બીજો સમરકેતુ નામનો હતો, તેને ઉજજયિની નગરી આજીવિકા માટે આપી હતી. કેઈક સમયે સીમાડાના રાજા સાથે લડાઈ થઈ, તેમાં શત્રુને પરાજય આપી પાછા ફરતાં યુવરાજ અપરાજિતે રાધાચાર્ય સમીપે ધર્મ શ્રવણ કરતાં, પ્રતિબધ થતાં દીક્ષા અંગીકાર કરી. તગરા નગરીમાં રાધાચાર્યને વિહાર થયે. તેવા કેઇક સમયે તારા નગરીમાં ઉજજયિની નગરીથી રાધાચાર્યના સાધુઓનું આવવું થયું. પણાને ઉચિત તેમનો સત્કાર આદિ થયે. સધ્યાકાળે આચાર્ય વિહાર સંબંધી વૃત્તાન્ત પૂક્યો. તેમણે કહ્યું કે, ત્યાં રાજપુત્ર અને પુરહિતપુત્ર બંને સાધુઓને ઉપસર્ગ કરતા હોવાથી તોફાની છે. બાકી અન્ન-પાનાદિકની શુદ્ધિ, તેનો લાભ વગેરે ઉજજયિનીમાં બાધારહિત વર્તે છે. તેથી દરેક કાળમાં સાધુઓ માટે યોગ્ય વિહારક્ષેત્ર છે.” એ સાંભળી અપરાજિતને ચિંતા થઈ. મારા ભાઈને પ્રમાદને મોટો દેષ લાગ્યા કે, કુમારની ઉપેક્ષા કરી અને બેધિલાભનો નાશ કર્યો, માટે તેને મારે શિક્ષા કરવી યોગ્ય છે. તેમ થવાથી કુમારની. પણ દયા કરવી ઉચિત છે. તેને નિગ્રહ કરવાની મારી શક્તિ છે. ગુરની અનુજ્ઞા મેળવી ઉજજયિની તરફ વિહાર કરી ત્યાં પહોંચ્યા. ત્યાં સાધુએના ઉપાશ્રયે ગયા. ત્યાં રહેલા સાધુઓને વંદના વગેરે કરી ઉચિત મર્યાદા સાચવી. ભિક્ષા ફરવાના સમયે પાત્રાદિક પડિલેહણાદિક કરી તૈયારી કરી એટલે સ્થાનિક સાધુઓએ વિનંતિ કરી કે, “આપ આસન પર બિરાજમાન થાવ, અમે ભિક્ષા લાવીશું.' તેમણે કહ્યું કે, “આત્મલબ્ધિવાળો છું, પરલબ્ધિને આશ્રય હું કરતો નથી.” ત્યાર પછી સ્થાપનાકુલ, આદિશદથી દાનશ્રદ્ધાળુ શ્રાવક, સમ્યગદષ્ટિ વગેરે કુળવાળા ઘરો બતાવ્યાં. દાન આપનારા સમ્યફ સ્ત્રી તેમ જ મિથ્યાત્વી મમત્વવાળા, સાધુ તરફ પ્રીતિવાળાં–અપ્રીતિવાળાં કુળને જયણાથી બતાવ્યાં. સૂવાવડ આદિ સૂતકવાળાં, દુગંછિત કુલ, હિંસક કુલો, “મમ્મા ચશ્મા” વગેરે અપશબ્દ બોલનાર, અતિમમત્વ રાખનાર કુલને ગોચરીમાં ત્યાગ કરવો. એ પ્રમાણે સ્થાપનાદિ કુલોનો વિભાગ જાણી -સમજી લીધા પછી તે સાધુ સાધુને દ્રોહ કરનારને ત્યાં ગયા. ‘ધર્મ લાભ” એ પ્રમાણે બોલ્યા. એટલે અંતઃપુરની સ્ત્રીઓએ સંજ્ઞા કરી કે, ‘મુંગા મુંગા ચાલ્યા જાવ” એમ તેમની અવહેલના-અપમાન કર્યું. “ધર્મલાભ” શબ્દ શ્રવણ થતાં કુમારે તેમની પાસે આવ્યા. કુમારે એ બારણાં બંધ કર્યા. તેમને વંદન કર્યું. “તમે નૃત્ય કરે”એમ કહ્યું, એટલે સાધુએ કહ્યું કે, “ગીત-વાજિંત્ર સિવાય નૃત્ય કેવી રીતે થાય ? ” બંને કુમારે કહ્યું કે, “અમે બને તે કરીશું.” શરૂઆતમાં જ ગીત-વાજિંત્ર બેસુર = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy