SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-પરાભવ-નિવારણ [ ૨૬૯ કરવા માટે વિચાર્યું. તેને નિગ્રહ કરવાની શક્તિ છે અને એમ કરવાથી મોટી દયા કરેલી પણ ગણાશે. બીજી વાત એ છે કે, સાધુ ઉપર આમ પ્રષ-ઉપસર્ગ કરવાથી વર્ષે-દુર્જય અજ્ઞાન અંધકાર-સમૂહથી વ્યાપ્ત બનેલા દુઃખ-કુલેશ પામેલા બિચારા જન્માંધની જેમ અનંતા સંસારમાં પરિભ્રમણ કરશે. પરમ વિનયથી આચાર્ય ભગવાનની રજા લઈને ઉજેણી નગરીમાં પહોંચ્યો અને કેમે કરી સાધુની વસતિમાં ગયો. વંદનાદિક વિધિ પાદશુદ્ધિ રૂપ ઉચિત સ્થિતિ કરી. ભિક્ષા–સમય થયો અને પાત્ર ગ્રહણ કરવા તૈયાર થયા, એટલે સ્થાનિક સાધુઓએ વિનંતિ કરી કે, “આજે તમે અમારા મહેમાન છો, આપ આરામ કરો.” એટલે તેણે કહ્યું કે, “હું આત્મલબ્ધિવાળો છું. અન્યની લાવેલી ગેચરી મને ઉપકાર કરનારી થતી નથી, તે સ્થાપનાકુ, અભક્તિવાળાં કુલે, લેકમાં દુગંછિત કુલે, જે હોય, તે કુલે મને બતાવી દે.” એ પ્રમાણે બતાવતા બતાવતા તેના ક્રમમાં એક સાધુએ પ્રત્યનીક–હેરાન કરનાર કુમારનું ઘર બતાવ્યું. તે ઘર જાણી લીધું, એટલે તે સાધુને રજા આપી. પેલા મુનિ તેના ઘરમાં મોટા શદથી “ધર્મલાભ” આપતા અંદર ગયા. ભયવાળી અંતઃપુરની સ્ત્રીએ તેને સાવધાનીથી સંજ્ઞા કરીને હાથસંચાલન કરી જણાવે છે કે, “તમે મોટા શબ્દથી ન બોલ” પણ સાધુએ તે ન ગણકાર્યું. તે મેટા શબ્દથી બલ્યા, એટલે તેના શબ્દ સાંભળીને પેલા કુમારે દ્વાર ખેલીને બહાર આવ્યા, મશ્કરી કરતા અભિવંદન કરી પૂછે છે કે, “હે ભગવંત! આપ નૃત્ય કરે.” સાધુએ કહ્યું કે, “ગીત અને વાજિંત્ર વગર નાચીએ, તે તમને તે સુખ કરનાર કેવી રીતે થાય?” કુમારોએ કહ્યું કે, “અમે ગીત-વાજિંત્ર કરીશું.” તેમ કરવા લાગ્યા. ઊંચા-નીચા, આડા-અવળા વિષમ તાલ ગાનારા-વગાડનારા કુમારોને, મનમાં કેપ નથી, પણ બહારનો કોપ બતાવતા મુનિ કહે છે કે-આવા મૂર્ખલક–ગ્ય ગીત ગાવ છે અને વાજિંત્ર વગાડો છો, તો હું નૃત્ય નહિ કરીશ.” રોષવાળા કુમારો તેને ખેંચવા લાગ્યા. જયણાથી બાયુદ્ધ કરતાં કરતાં કુશળભાવથી ચિત્રમાં ચિતરેલા સરખા તેના શરીરના સાંધાઓનાં બંધનો તોડી નાખી, પીડા પમાડી ત્યાંથી તે સાધુ ચાલ્યા ગયા. આ કુમારોને પીડા પમાડ્યા છે, તેમને પણ ભેજનાદિને અંતરાય કર્યો છે. ઈત્યાદિક સ્મરણ કરતા તે નગર બહાર પણ ભિક્ષા ફરવા ન ગયા. એકાંત સ્થાનમાં ચિંતા કરતા તે બેસી ગયા. તે સમયે કંઈક તેવાં શુભ નિમિત્ત મળવાથી નિર્ણય કર્યો કે, “નક્કી તેઓ ચારિત્ર ગ્રહણ કરશે.” મનમાં કંઈક શાંતિ થઈ. નિર્મલ અંતઃકરણવાળા તે મુનિ જ્યારે ત્યાં સ્વાધ્યાય કરતા હતા, ત્યારે કુમા૨ના પરિવારે કુમારની આ સર્વ હકીકત રાજાને જણાવી. તે રાજા ગુરુ પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યા કે-મુનિ ભગવંતે હંમેશાં ક્ષમાપ્રધાન ગુણવાળા હોય છે. અપરાધ કરનાર ઉપર પણ કોપ કરતા નથી, તો હવે કૃપા કરી મારા કુમારને અપરાધ માફ કરે.” ગુરુ કહે કે, “હું કંઈ જાણતો નથી. તે કઈ સાધુએ કુમારોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy