SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] ઉપદેશપદ-અનુવાદ તરીકે આપી. આ પ્રમાણે દિવસે વીતી રહેલા હતા. કેઈક વખત તેના દેશને ભાંગફેડ કરતે કોઈક રાજા હતા, તેના ઉપર ઘણે રોષ પામેલા આ રાજાની અનુજ્ઞાથી અપરાજિત યુવરાજ કુમાર તેની સામે જય મેળવવા માટે ગયે. ચતુરંગ સેના સહિત કુમાર ગયો, અતિ ખળભળતા સમુદ્રના કલોલ સરખા તેના સૈન્ય સાથે ભયંકર યુદ્ધ જામ્યું. યુદ્ધ કેવા પ્રકારનું હતું? કે-આકરાં તીક્ષણ બાણ ફેંકાવાના કારણે આકાશમંડલ ઢંકાઈ ગયું, સુભટો સામસામે બાથ ભીડવા લાગ્યા. ઉભટ હાથીની ઘટાના આડંબરથી દૂર ચાલ્યું ગયું છે, સર્વ શત્રુન્ય જેમાં, તીક્ષણ અર્ધચંદ્રાકાર બાણોના સમૂહથી છેદાઈ ગયાં છે, વજાચિહ્નો, છત્રો જેમાં, ભયંકર શબ્દોવાળી ચીસોથી દિશાભાગો શબ્દસ્વરૂપ બની ગયા હતા. અતિ ઉગ્રતાથી ખ વડે હણતા ભયાનક મસ્તક વગરનાં ધડો નૃત્ય કરતાં હતાં. યમરાજાની નગરીના સીમાડા સરખું બીભત્સ અને ન જોઈ શકાય તેવું યુદ્ધ થયું. ત્યાં કુમારે જયલક્ષમીને સંગ પ્રાપ્ત કર્યો. ત્યાંથી પાછા વળતાં કુમારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિહાર કરતા ઉજજવલ ચારિત્ર ધારી સુવિશુદ્ધ શ્રતરત્નના ભંડાર એવા રાધ નામના આચાર્યને જોયા. તેમની પાસે ધર્મશ્રવણ કરીને ભવથી વિરક્ત મનવાળો થયો. વસ્ત્રના છેડે લાગેલા તણખલાની જેમ રાજ્યલક્ષમીનો ત્યાગ કરી વજ સરખા દઢ ચિત્તવાળો તે એકદમ દીક્ષિત થશે. શાસ્ત્રમાં કહેલ બંને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી. હંમેશાં ગુરુના ચરણ-કમળમાં ભ્રમર-સમાન કુશલ આશયવાળ ધરાતલમાં સર્વત્ર વિહાર કરવા લાગ્યા. હવે રાધાચાર્ય કોઈ વખત વિહાર કરતા કરતા તગારા નગરીએ પધાર્યા. ઉનાળામાં તપેલી ભૂમિમાં નવીન મેઘની જોરદાર ધારાઓ વરસવાથી નવીન અંકુર-સમૂહવાળી લીલીછમ વનસ્પતિ ઉત્પન્ન થાય, તેમ રાધાચાર્યની વાણી રૂપી મેઘ-ધારાથી તગરા નગરીના લોકોને કષાયરૂપી દવાગ્નિ એ લવાઈ ગયે. અને વૈરાગ્ય-અંકુર ઉત્પન્ન થયા; તેથી તગરા નગરી અત્યંત મનેહર બની ગઈ. ઉજજેણી નગરીથી એક સાધુયુગલ તેમની પાસે આવ્યું. એટલે અહિં તગરામાં રહેલા સાધુઓએ તેમની યાચિત સેવા-ભક્તિ કરી. તે સાધુઓને આચાર્ય ભગવતે ત્યાંનાં ચિત્ય, સંઘની કુશળતાના સમાચાર પૂછળ્યા, એટલે તેઓએ કહ્યું કે, ત્યાં જિનચૈત્યોમાં શ્રેષ્ઠ પૂજાઓ, મહત્સવો થાય છે, રથયાત્રા નીકળે છે, ગુરુઓ પાસે નવીન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવાય છે, સંઘ પણ પરમ પદ પામેલ છે. કોઈ વિદન રહેવા દીધું નથી, શ્રાવકો પણ પોતપોતાની અવસ્થાને ઉચિત ગુરુની શુશ્રષા આદિ ક્રિયાઓમાં તત્પર રહેલા છે. માત્ર તફાની રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુઓને કનડગત કરી પરાભવ પમાડે છે. ત્યાં નિરુપસર્ગ વિહાર કરવો શ્રેય છે.” તે સાંભળી અપરાજિત સાધુ અતિશય ચિંતાગ્રસ્ત થયા છે, જે મારે સગભાઈ હોવા છતાં રાજા બની પ્રમાદી થયે ! સર્વ જગત પ્રત્યે વાત્સલ્ય રાખનારા, ઉત્તમ ક્રિયા કરનાર એવા સાધુઓને દુવિનીત કુમારો હેરાન કરે છે, તેને નિવારતો નથી.” “અરિહંતેનાં ચિત્યને દ્રોહ કરનાર, તથા તે ચેત્યોને અને જિનપ્રવચનને અવર્ણવાદ કરનાર હોય, અહિત કરનાર હોય, તે તેનું નિવારણ સર્વ સામર્થ્યથી કરવું.” એ આજ્ઞા અનુસાર તેમનો નિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy