SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમાર-કથા [ ર૬૩ ધકેલ્યો, એટલે એક સસલો પગના સ્થાને આવી ગયો. (૧૨૫) તે દેખ્યો, એટલે દયાથી તારું હૃદય પૂરાઈ ગયું. પોતાની પીડા ન ગણકારતાં તે પગ અદ્ધર ધરી રાખ્યો. તે સસલાની અતિદુષ્કર દયા કરવાના પરિણામે તે ભાવ ઘટાડી નાખ્યા. મનુષ્ય-આયુ ઉપાર્જન કર્યુંતેમ જ સમ્યક્ત્વ બીજ મેળવ્યું. અઢી દિવસ પછી દાવાનળ શાન્ત - થયો. એટલે વનના પ્રાણીઓ તે પ્રદેશમાંથી નીકળી ગયા, એટલે તે પગ નીચે મૂકવાની જેટલામાં ચેષ્ટા કરી, તેટલામાં તું વૃદ્ધપણાના કારણે શરીર પણ સર્વાગે ઘસાઈ જીણ થયું હતું. સર્વ સંધિનાં સ્થાનોમાં લેહી વહેતું અટકી ગયું હતું, સાંધાઓ જકડાઈ ગયા હતા, અતિ પરેશાની સહેતો વાહત પર્વતની જેમ તું એકદમ ધસ કરતાંક ભૂમિ પર ઢળી પડ્યો. શરીરમાં દાહજવરની પીડા થઈ. કાગડા, ગીધ, શિયાળ વગેરે ચાંચ અને દાંતથી તેના શરીરનું ભક્ષણ કરતા હતા. ત્રણ રાત્રિ-દિવસ તીવ્ર વેદના અનુભવીને એકસો વર્ષોનું આયુષ્ય જીવીને શુભ ભાવના પામેલ તું કાલ પામીને અહિં ધારિણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તો હે મેઘ ! જે વખતે ભવસ્વરૂપ સમજતો ન હતો, ત્યારે તિર્થ"ચ-ભવમાં તે આવા પ્રકારની આકરી વેદના સહન કરી, તે પછી આજે આ મુનિઓના દેહસંઘટ્ટાની પીડા કેમ સહન કરતો નથી ? પૂર્વના ભવો સાંભળીને ક્ષણમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયે. નેત્રમાં હર્ષાશ્રુ ભરાઈ ગયાં. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા ફરીને, ભાવથી વંદન કરીને “મિચ્છા દુક્કડં” કહેવા પૂર્વક મેઘે કહ્યું કે, “મારાં નેત્ર-યુગલ સિવાય બાકીનાં મારાં અંગોને હું સાધુઓને અર્પણ કરું છું. તેમની ઈચ્છા પ્રમાણે ભલે સંઘટ્ટ કરે” -એ પ્રમાણે મેઘમુનિએ અભિગ્રહ કર્યો. તેણે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી, તે ગુણરત્ન સંવત્સર તપ કરીને સર્વ શરીરની સંલેખના કરીને ચિંતવવા લાગ્યો કે, જ્યાં સુધી સર્વ શુભાથ એવા જિનેશ્વર ભગવંત વિહાર કરે છે, તે ચરમકાળની ક્રિયા માટે કરી લેવી યુક્ત છે. ત્યારપછી ભગવંતને પૂછે છે કે, “હે સ્વામિ ! હું આ તપવિશેષના અનુષ્ઠાનથી બેસવાની વગેરે કષ્ટવાળી કિયાઓ આપની આજ્ઞાથી કરું. આપની અનુજ્ઞાથી રાજગૃહ બહાર આ “વિપુલ ” નામના પર્વત ઉપર અનશન-વિધિ કરવાની મારી ઇચ્છા વર્તે છે. ત્યાર પછી પ્રાપ્ત થયેલી અનુજ્ઞાવાળા તે મેઘમુનિ સર્વ શ્રમણ સંઘને ખમાવીને, બીજા કૃતગી મુનિવરો સાથે ધીમે ધીમે તે પર્વત ઉપર ચડવા લાગ્યા. સમગ્ર શલ્ય-રહિત એવા તે મેઘમુનિ વિશુદ્ધ શિલાતલ ઉપર બેઠા. એક પક્ષનું અનશન પાલન કરીને “વિજય” નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમને દીક્ષા-પર્યાય બાર વરસને હતા. ત્યાંથી વેલા તેઓ મહાવિદેહમાં જલ્દી બોધ પામી સિદ્ધિ પામશે. (૧૪૩) - સંગ્રહગાથા અક્ષરાર્થ–મેઘકુમાર નામ પાડયું, ભગવંત પાસે ધમં શ્રવણ કરતાં પ્રથમ વખત જે મોક્ષાભિલાષા થઈ, તેથી જ પ્રવજ્યા થઈ, સાંકડી વસતિમાં સંથારાની ભૂમિમાં તેના પગના સંઘા લાગવા તે કારણથી, ચારિત્રમોહના ઉદયથી સંકલેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy