SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] ઉપદેશપદ-અનુવાદ સરખા સખીવર્ગમાં તે કઈ દઢ અપરાધ હું દેખતો નથી. બંધુવર્ગમાં પણ તારી આજ્ઞાન ભંગ દેખાતો નથી, તો વળી શી આજ્ઞા છે?—એમ આજ્ઞા ઉઠાવનાર સેવકવર્ગમાં તો આજ્ઞાભંગને સંભવ જ ક્યાંથી હોય ? હે શરદચંદ્ર સરખા સૌમ્ય મુખવાળી! આવાં કઈ અસંતોષનાં કારણો ન હોવા છતાં તારા મનમાં ઉદ્વેગનું કયું કારણ છે? તે જણાવ.” આ પ્રમાણે શ્રેણિક વડે પૂછાયેલી દેવી કહેવા લાગી કે, “હે સ્વામિ! મને અકાલે જલ વહન કરનાર મેઘ-વરસાદ વરસાવવાનો દોહો ઉત્પન્ન થયે છે.” રાજાએ કહ્યું કે, “તું ચિંતા ન કર, આ તારો મનોરથ એકદમ પૂર્ણ થાય, તેમ હું પ્રયત્ન કરીશ.” - ત્યાર પછી તે રાજાને મોટો ચિતા-પિશાચ વળગે. રાજસભામાં બેઠેલા રાજા વિલખા બની દષ્ટિ– સંચાર કરતા હતા, ત્યારે ચિંતા કરતા રાજાને અભયકુમારે પૂછયું કે, “અત્યારે તમે શાની ચિંતા કરે છે ?” રાજાએ કહ્યું કે, “એક અસાધ્ય મનોરથ તારી નાની માતાને થયો છે અને તેને કોઈ ઉપાય નથી. તે દેહલાની હકીકત અભમને જણાવી. તે જ ક્ષણે પ્રાપ્ત કરેલા ઉપાયવાળા તેણે કહ્યું કે, “હું આ કાર્ય જલદી સાધી આપીશ, આપ નિશ્ચિતપણે ચિતાને ભાર છોડી દ” તરત જ પૌષધશાળામાં પ્રવેશ કર્યો, ઉપવાસ કરી, તૃણસંથારામાં રહેલો ઉત્તમ બ્રહ્મચર્યવ્રતને વહન કરતો રહેલો હતા. પૂર્વના પરિચયવાળા કેઈ દેવતાની તે આરાધના કરતો હતો, એટલે ત્રીજા દિવસે પ્રભાત–સમયે પોતાનું સ્વરૂપ પ્રગટ કરતો તે દેવતા દિવ્ય વસ્ત્રોને ધારણ કરતા, રત્નાભૂષણનાં કિરણોથી દિશાચક્રને પ્રકાશિત કરતે, શનિ અને મંગળ સહિત જાણે ચંદ્ર હોય, તેવા ચલાયમાન મનોહર કુંડલવાળા, દેદીપ્યમાન વિશાળ મુગુટવાળા, જાણે મસ્તક ઉપર સૂર્ય ધારણ કરેલ હિમાલય ન હોય તેવા, જાનુ સુધી લટકતી દિવ્ય પુની વનમાળાથી શોભતા તે દેવે પ્રેમપૂર્વક કહ્યું કે, “શા માટે મને યાદ કર્યો?” તો અભયકુમારે પ્રત્યુત્તર આપ્યો કે, “મારી નાની માતાને આવા પ્રકારનો દેહલ થયો છે, તો તેની ઇચ્છા જેવી રીતે પૂર્ણ થાય, તેમ તમે જલ્દી કરો.” તે વાતનો સ્વીકાર કરી કહ્યું કે, “તેમ થશે” તરત જ સજજડ મેઘમાળાઓ વિકુવ, સમગ્ર વર્ષની શોભા બતાવીને તેના દેહલાને સન્માનિત કર્યો અને જે આવ્યો હતો, તે દેવ પાછા ગયો. દેવીએ કંઇક નવ માસ અધિક થયા, ત્યાર પછી જે વ્યાધિ, વિગ વગેરેથી રહિત હતી, ત્યારે સર્વે અંગે વિરાજમાન એવા પુત્રને જન્મ આપ્યો. ત્યારે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા. વાયરો, ધૂળ શાંત થયા હતા. સર્વે દિશાઓ અને આકાશ તદ્દન સ્વચ્છ હતાં. તે વખતે વધામણુઓ થવા લાગ્યાં. ઉદારતા પૂર્વક સમગ્ર નગરલોકને પુષ્કળ દાન આપ્યું, વાજિત્રોના સમૂહ વાગવા લાગ્યા, કર માફ કરવામાં આવ્યા, કોઈના ઘરમાં ભટોને પ્રવેશ બંધ કર્યો, દંડ માફ કર્યા, કુદંડો છેડી દીધા, સર્વ નગર મુક્તાફલના સાથિયાઓથી શોભાયમાન બની ગયું. દશ દિવસે પૂરા થયા, એટલે સગા-સ્નેહીઓને, સંબંધીઓને આમંત્રણ આપી તેમનું સન્માન કર્યું. તે પુત્રનું માતાપિતાએ “મેઘકુમાર” એવું નામ સ્થાપન કર્યું. (૫૦) 1 - - , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy