SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] હવે આગળ કહેલા પ્રતિબધા-વિધ્રોને આશ્રીને દૃષ્ટાંતથી કહે છે— ૨૬૩—અહિં મેઘકુમારનું દૃષ્ટાંત પ્રતિબંધ વિષયમાં જણાવે છે, તથા બીજી દહન દેવતાનું, ત્રીજી' અત્તનું અનુક્રમે કટકાદિક -પ્રતિબંધમાં જ્ઞાતાધમ કથા આદિ આગમશાસ્ર-સ્થિતિથી જાણવાં. (૨૬૩) તેમાં પ્રથમ મેઘકુમારનું ઉદાહરણ કહેવાની ઇચ્છાવાળા નવ ગાથાઓ કહે છે- ઉપદેશપદ-અનુવાદ ૨૬૪–રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા તેને ધારિણી નામની રાણી હતી. તેને હાથીનું સ્વગ્ન આવ્યું હતું. ત્યારપછી ત્રીજે મહિને મેઘ સંબધી દાહલેા થયા. અભયકુમારે દેવનું આરાધન કરી વરસાદ વરસાવ્યેા. કાલક્રમે પુત્ર જન્મ્યા, મેઘકુમાર નામ થાપ્યું-હવે વિસ્તારથી મેઘ્રકુમારની કથા કહે છે— મેઘકુમાર-કથા જેમાં ઉંચા ઉજ્જવલ મહેલાની પક્તિથી આકાશભાગ શોભિત છે, ભાગ-તપર લેાકેાના સવાસથી સુરલેાકની લક્ષ્મીની શેાભાની સ્પર્ધા કરનાર, નગરામાં અતિમનેાહર એવું પ્રાચીન રાજગૃહ નામનું નગર હતું. તેનગરના ગુણાની કીર્તિ સમગ્ર પૃથ્વીમંડલમાં વિસ્તાર પામી હતી. ત્યાં રાજલક્ષણેાથી યુક્ત શ્રેણિક નામના રાજા હતા. શત્રુસ...પત્તિરૂપી ઉપાર્જન કરેલ હાથણીને પેાતાની ભુજારૂપી હાથીના સ્ત ંભે સ્થિર કરી હતી, એવા તે રાજાને ચંદ્રમ`ડલ-સમાન મુખવાળી, સ`પૂર્ણ લક્ષયુક્ત મનહર અંગવાળી, સર્વ ગુણ્ણાને ધારણ કરનારી એવી ધારિણી નામની તે રાજાને પ્રિયા હતી. કાઈક સમયે તે રતિઘરમાં ગગાનદીના કિનારા સમાન ઉજ્જવલ વિશાળ શય્યાતલમાં સૂતેલી હતી, ત્યારે રાત્રિના મધ્યભાગમાં ચાર દતૂશળયુક્ત, ઉન્મત્ત, શાન્ત, મટ્ઠજળના સતત પ્રવાહ-સહિત, રજતપત-સમાન ગૌર કાયાવાળા, મેાટા, આકાશમાંથી ઉતરી પેાતાના મુખમાં પ્રવેશ કરતા, ઉંચી કરેલ સૂંઢવાળા, મનેાહર શરીરવાળા હાથીને સ્વસમાં દેખ્યા. તરત જ જાગી અને તે સ્વસ મનમાં સ્થાપન કરી રાખ્યું. શ્રેણિક પાસે જઇને કાયલના આલાપ સરખી કામળ કણપ્રિય વાણીથી તેમને જગાડ્યા અને કહ્યું કે, આવું ત્રમ મેં જોયું, તે! તેનું મને કેવું ફૂલ થશે ?' પેાતાની સ્વાભાવિક બુદ્ધિથી કહ્યું કે, ‘ હૈ પ્રિયતમા ! હું માનું છું કે, આ સ્વના પ્રભાવથી તને પુત્ર થશે. ’ તે પણ કેવા ? તે કે, કુલમાં મુગટમણુ સમાન, કુલમાં કલ્પવૃક્ષ સમાન, સર્વેના મનારથા પૂર્ણ કરનાર, કુલના નિધાન સરખા અને ધર્મિષ્ઠ, પેાતાના ચરિત્રથી પ્રાપ્ત કરેલી ઉત્તમ કીર્તિવાળા પુત્ર તને પ્રાપ્ત થશે. ' એ પ્રમાણે કહ્યા પછી તેને જવાની રજા આપી, એટલે પાછી પેાતાની શય્યામાં ગઈ. કદાચ બીજી કુવમ આવી જાય, તે ભયથી ખાકીની રાત્રિમાં નિદ્રાના ત્યાગ કરી, શંખસરખી ઉજજવલ આશ્ચય - કારી ધાર્મિક કથાઓમાં સમય પસાર કરવા લાગી. પ્રભાત–સમય થયા, એટલે સ્વપ્નશાસ્ત્ર જાણનાર એવા આઠ પડિતાને રાજાએ એલાવ્યા. તેમને સારા આસન પર બેસાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy