SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૫ અને અનુક્રમે વાચકપણાની લબ્ધિ મેળવીને તે યુગપ્રધાન થયા. એ પ્રમાણે પહેલાં તેને એકલી દ્રવ્યાજ્ઞા હતી, ત્યાર પછી તે જ આજ્ઞા ભાવાજ્ઞાના અમૃતરૂપે પરિણમન પામી. (૨૫૭–૨૫૮) હવે ભાવાજ્ઞાને આશ્રીને તેના અધિકારી કાણુ ? તે કહે છે— ભાવાસા ૨૫૯—આ સદ્દભૂત આજ્ઞા-પરિણામરૂપ ભાવાના યથાર્થ વસ્તુ-તત્ત્વને માનનારા એવા ભિન્નગ્રંથિવાળા સમ્યગ્દષ્ટિને નક્કી થાય છે. વળી તે કેવા પ્રકારની? તે કે, પ્રશમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિત્ર્યરૂપ મેાક્ષના કારણના સદ્ભાવવાળી હાવાથી તે નિર્વાણને પ્રાપ્ત કરાવનારી ભાવાત્તા સમજવી. (૨૫૯) આ ભાવાત્તામાં જે કરે છે, તે કહે છે—— ૨૬૦—આ ભાવાના હોય, એટલે જીવ પેાતાનુ' આ લેાક અને પરલેાક સંબધી હિત અને કાર્યો કયાં છે, તેના વિચાર કરે છે. નીતિ રાખવી, વ્યવહાર સાચવવે ઇત્યાદિ હિત કાર્યા કરે, તેનાથી વિપરીત પારકા દ્રવ્યેનું અપહરણ કરવું, વગેરે અહિત કાર્યાના ત્યાગ કરે, તે પદાર્થાની યથા શ્રદ્ધા કરે. વાની સેાય કરતાં પણ અતિ તીક્ષ્ણ બુદ્ધિથી તર્ક કરવાપૂર્વક યુક્તિવાળી નીતિથી હિતાહિતની આલેાચના કરે. ઘણે ભાગે ધર્મ શ્રવણ કરવું, ઇત્યાદિ કાર્યમાં સારી પ્રવૃત્તિ કરનારા થાય, તેમ જ ધર્મ, અરૂપ કાની સાધના ઘણે ભાગે એવી રીતે કરે કે, ‘ જેથી તેમાં તે સફળતા મેળવે.’ (૨૬૦) કદાચિત્ કેાઈ વખત અસફળતા પણ મેળવે, તેથી અહિં પ્રાયઃશબ્દ મૂકેલા છે. તેના સમાધાનમાં કહે છે કે, કદાચિત્ કોઈકને તેમાં વિશ્ન પણ આવે, તે જ બતાવે છે ૨૬૧—ભાવાના પ્રાપ્ત થયા છતાં કોઇ વખત સ્ખલના પમાડનાર, કાઇક અવશ્ય ભાગવવા લાયક કર્મના વિપાકથી ઇચ્છિત સિદ્ધિ સમ્પાદન કરાવનાર, સુંદર માર્ગમાં પ્રવૃત્તિ કરનારને કાંટા વાળવા, તાવ આવવા, અગર ભૂલા પડવું, તેના સમાન જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવાં વિધ્રો-પ્રતિખંધે! પણ નડતર કરનારા ઉભા થાય. જેમ પાટલિપુત્ર નગરમાં જવા માટે કાઇક પથિકને મામાં કાંટા વાગવા, માગ માં તાવ ચડી આવ્યે, અગર માર્ગ ભૂલી ગયેા, તે જેમ માર્ગે ચડેલાને વલ્લભૂતઅંતરાય કરનાર છે, તેમ મેાક્ષમાર્ગે ચડેલાને પણ તેવાં વિજ્ઞો આવી નડતર કરે છે– એમ ધીરપુરુષાએ સમજી લેવું, (૨૬૧) તથા ૨૬૨-જે નગર-ગામ પહોંચવું હોય, તે સુરાય સુભિક્ષ લેાકેા ચેગ-ક્ષેમ વગેરે કેવા કેવા ગુણવાળા છે ? તેનું જ્ઞાન મેળવીને તેમાં વચ્ચે આવતા કાંટા વગેરે દૂર થાય, એટલે તે મેળવવા લાયક સ્થાને જ પહેાંચવાની પ્રવૃત્તિ કરે, પણ બીજે ન જાય. તેમ જણાવેલા પથિકની જેમ સિદ્ધિ-લક્ષણ પદાર્થ માં, અજરામરપણું', નિરાગિતા અવૃદ્ધાવસ્થા, અપુનર્જન્મ-આદિ ગુણેાના જ્ઞાનથી તે જ સ્થળે જવાની પ્રવૃત્તિ કરે, પરંતુ ચારગતિરૂપ દુઃખપૂર્ણ સ’સારમાં જવા પ્રવૃત્તિ ન કરે. (૨૬૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy