SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] ઉપદેશપદ-અનુવાદ આ સૂરિ કરતાં બીજા કોઈ શ્રુતરત્નના સમુદ્ર નથી”—એમ આશ્ચર્ય પામેલે હું માનું છું. જેમ સપ્તરદ વૃક્ષની સુગંધથી હાથી મદ પામે છે, તેમ તે પ્રવાદ સાંભળવાથી ગોવિંદ પણ વ્યાકુલ બન્યા. મારા સરખા પંડિતપણા રૂપી મહાસાગરને પાર પામનાર હોવા છતાં જગતમાં આવા ઉજજવલ યશને પ્રાપ્ત કરનાર બીજે કણ ટપકી પડ્યો? ગર્વથી ઉચી ગ્રીવા કરતે અને આગળ કંઈ પણ ન દેખતે વાદ-યુદ્ધ કરવા માટે આચાર્યની સમીપે પહોંચ્યું. મેઘની ધારા વડે જેમ ધૂળ ઉડતી બંધ થઈ શાન્ત થઈ જાય, તેમ આશ્ચર્યકારી મહાયુક્તિ અને વાચાથી તરત જ તેને બેલતો બંધ કર્યોનિરુત્તર કર્યો. અતિ વિલક્ષભાવને પામેલે તે વિચારવા લાગ્યું કે, “જ્યાં સુધી તેના સિદ્ધાંતનું ઉંડું રહસ્ય મેળવ્યું ન હોય, ત્યાં સુધી તેને જિતી શકાતો નથી. તેથી તે પ્રદેશમાંથી દૂર પ્રદેશમાં રહેલા આચાર્યની પાસે વિશ્વાસ ઉત્પન્ન કરીને દીક્ષા અંગીકાર કરી. દક્ષભાવથી જલદી ભણીને તૈયાર થવાની ઝંખના હોવાથી સિદ્ધાંતે ભણવા લાગે, પરંતુ વિપરીત શ્રદ્ધા હોવાથી સમ્યગ રીતે બંધ પામી શકતો નથી. કેટલાક દિવસો પસાર થયા પછી ફરી પાછો બૌદ્ધ પંડિત બની તેમની પાસે હાજર થયે, ત્યારે પણ એને તે આચાર્યે નિરુત્તર કર્યો. ફરી પણ બીજી દિશામાં જઈને આગમ ભણીને આગળની જેમ તે અભિમાનીને વાદ કરવાની અભિલાષા થઈ, એટલે તે આચાર્ય પાસે પહોંચ્યા. તેમણે પણ શક્તિથી નિરુત્તર કરી વિલખો પમાડ્યો ફરી ત્રીજી વખત દૂર દેશાન્તરમાં પહોંચી દીક્ષા ગ્રહણ કરી. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં વનસ્પતિના ઉદ્દેશામાં વનસ્પતિના જીવોની સિદ્ધિ કરનારા શુદ્ધ યુક્તિઓવાળા આલાપકોને ભણતે. હતું. તે આ પ્રમાણે— વનસ્પતિ-જીવસિદ્ધિ આ ત્રસાદિક જી જાતિધર્મવાળા છે, તેમ આ વનસ્પતિના જીવ પણ જાતિ. ધર્મવાળા છે. આ વૃદ્ધિ પામવાના ધર્મવાળા છે, તેમ વનસ્પતિ પણ અંકુર, થડ, ડાળી, પાંદડાં, ફલ, ફૂલ આદિથી વૃદ્ધિ પામનારી છે. આ ચિત્ત-ઉપગવાળા છે, તેમ આ વનસ્પતિ પણ આહારાદિક સંજ્ઞા-જ્ઞાનના ઉપગવાળા છે. જેમ આપણા શરીરમાં છેદ થયે હોય, તે રુઝ આવી જાય છે, શરીર મળી જાય છે, તેમ વનસ્પતિ પણ છેદ કર્યા પછી પાછી ઉગે છે. આ બીજા છ જેમ આહાર કરે છે, તેમ વનસ્પતિ પણ આહાર કરે છે. આ અનિત્ય છે, તેમ વનસ્પતિ પણ અનિત્ય છે. આ અશાશ્વત છે, તેમ વનસ્પતિ પણ અશાશ્વત છે. આ બીજા જેમાં શરીરમાં વધારો-ઘટાડો થાય છે, તેમ વનસ્પતિમાં પણ વધારો-ઘટાડો-ચય–ઉપચય-અપચય થાય છે. આમાં જેમ વિપરિણમન થાય છે, તેમ વનસ્પતિમાં પણ વિરુદ્ધ પરિણમન થાય છે. તે શક્ય મતના સંસ્કારવાળો હેવાથી પહેલાં વૃક્ષ-વનસ્પતિને જીવરૂપે શ્રદ્ધા કરતો ન હતો, પરંતુ હવે તે મહિના ઘટાડો થવાથી જન્મથી અંધ હોય, તેને આંખ મળી ગઈ હોય, તે જેમ દેખી શકે, તેમ વનસ્પતિને જેવા લાગે–એટલે જીવપણું સ્પષ્ટપણે સ્વીકાર્યું અને પિતાના આશયે પ્રગટ કર્યા. ત્યાર પછી ગુરુએ તેને ફરી દીક્ષા આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy