SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અંગારમર્દક, ગોવિંદ વાચક [ ૨૫૩ ગુરુને ત્યાગ કરવો તમારે ઉચિત છે.” તેવા ઉપાયથી તેઓએ તે અભવ્ય ગુરુને ત્યાગ કર્યો. પિલા સુશિmો નિષ્કલંક સાધુપણું પાળીને દેવલોક પામ્યા, ત્યાંથી ચ્યવીને તેઓ સર્વે આ જ ભારતમાં વસંતપુર નગરમાં જિતશત્રુ રાજાના પુત્રો થયા. અનુક્રમે તેઓ યૌવનલક્ષમી પામ્યા. કેઈક સમયે તેઓ ઘણું સુંદર રૂપવાળા, તેમજ કળામાં કૌશલ્ય મેળવેલું હોવાથી, સર્વત્ર તેમની કીર્તિ પ્રસરેલી હોવાથી હસ્તિનાગપુરમાં કનકદેવજ નામના રાજાએ પોતાની કન્યાના વર નિર્ણય કરવા માટે તેના સ્વયંવર મંડપમાં આમંચ્યા. ત્યાં આવેલા એ રાજપુત્રોએ ત્યાં આવ્યા પછી ઉંટ પણે ઉત્પન્ન થયેલા, પીઠ પર ઘણે ભાર લાદેલા, ગળામાં બાંધેલા મોટા વજનદાર કુતુપવાળા, ધીમે ધીમે ચીસો પાડતા, આખા શરીરે ખસ- ફોલ્લા થયેલા છે, તેથી જીર્ણ શરીરવાળા, જેને કેઈનું શરણ નથી, અતિદુઃખિત એવા પહેલાના ગુરુ અંગારમર્દકને જોયા. તે ઉંટ તરફ કરુણાથી નજર કરતાં કરતાં તેઓ સર્વેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે શુભભાવથી દેવભવના ઉત્પન્ન થયેલા જ્ઞાનથી સાચું સ્વરૂપ જાણી લીધું. એટલે આ ઉંટને સ્પષ્ટપણે ઓળખે કે, “આ આપણું ગુરુ હતા.” ત્યાર પછી તેઓ સંસારને ધિક્કારવા લાગ્યા કે, સંસારની ચેષ્ટાઓને ધિક્કાર થાઓ. જેણે આટલું જ્ઞાન મેળવ્યા છતાં પણ કુભાવનાથી આવા પ્રકારની દયામણી સ્થિતિ પ્રાપ્ત કરી અને હજી પણ સંસારમાં પરિભ્રમણ કરશે. ત્યાર પછી કરુણાવાળા તે રાજપુત્રએ તેને છોડાવ્યો. તેનાથી જ ભવનિવેદનું કારણ પામીને કામભેગોને પરિત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી અનુક્રમે સદગતિની પરંપરા પામી ટૂંકા કાળમાં આ સર્વે મુક્તિ પામશે. જ્યારે બીજો તે અભવ્યાત્મા હોવાથી ભવ-અરણ્યમાં બ્રમણ કર્યા કરશે. (૩૦) ગોવિંદવાચકને વૃત્તાન્ત આ પ્રમાણે મળે છે–પાપનાં સ્થાન સરખી કઈક નગરીમાં સમગ્ર વિદ્વાન લોકોના મદને દૂર કરનાર દાનવ સરખી અધમ ચેષ્ટાવાળે મોટા વાદી એવો શાક્યમતને ગોવિન્દ નામનો પંડિત હતા. કઇક સમયે વિહાર કરતાં કરતાં અનેક મુનિવરોથી પરિવરેલા સિદ્ધાન્ત, વ્યારણ, સાહિત્ય, છંદ, ન્યાય, તર્કશાસ્ત્રોમાં પારંગત અનેક ભવ્યજીવો રૂપી કમળોને વિકસિત કરવામાં સૂર્ય સમાન એવા શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજ પધાર્યા. સ્થિર યશ સમૂહવાળા તેઓ સાધુને ઉચિત એવા સ્થાને વિરાજમાન થયા. આકાશતલને પ્રકાશિત કરતા ગ્રહગણો વડે જેમ ચંદ્ર તેમ અનેક અંતેવાસી શિષ્યોથી પરિવરેલા તે આચાર્ય અત્યંત શોભતા હતા. જેમાં સૌરભ-સમૂહથી ભરપૂર સમગ્ર દિશાઓવાળા માનસ-પદ્યસરોવરમાં બ્રમરે લીન બને, તેમ ત્યાં રહેલ ગુણ જાણનાર હર્ષ પૂર્ણ લોકો પાપનો નાશ કરનાર એવા તે આચાર્યના ચરણકમળમાં લીન બન્યા. તેઓએ જિનેશ્વરએ કહેલ કર્મક્ષય કરનાર ધર્મ સાંભળે, જયારે આચાર્ય ધર્મ કહેતા હતા, ત્યારે આનન્દ શબ્દથી સમગ્ર આકાશ પણ વ્યાપી ગયું હતું. નગરમાં વાત ફેલાઈ કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy