SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ | ઉપદેશપદ-અનુવાદ આગળ અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દના પ્રયોગની ચિંતામાં એકલા અંગારમક માત્ર કહેલા છે. હવે બંને સાથે પ્રધાન–અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દની યોજના કરતા અંગારમર્દક અને ગોવિંદ વાચક–એમ બંનેને આશ્રીને કહે છે. ૨૫૮–આ આજ્ઞા-વિચારપક્ષમાં દ્રવ્યશબ્દના પ્રથમ પક્ષમાં અપ્રધાન અર્થમાં અંગારકનું અને બીજા પ્રધાન અર્થલક્ષણમાં ગોવિંદવાચકનું એમ બે ઉદાહરણો જાણવાં. અંગારમક અભવ્ય અહિં અંગારમર્દકનું ઉદાહરણ એ પ્રમાણે જાણવું. મહાભાગ વિજયસેન નામના આચાર્ય માસક૯૫ના વિહાર કરતા કરતા ગર્જનક નામના નગરમાં પધાર્યા. અહિ રહેતા થકા તેમના મુનિવરોએ કેઈક દિવસે ગાયે છોડવાના સમયે આવું સ્વપ્ન જોયું. “મદોન્મત્ત પાંચસો ભદ્રજાતિના હાથીઓથી પરિવરેલો એક ડુક્કર આપણા સ્થાનમાં આવ્યું. ત્યાર પછી તે સાધુઓએ તે અદભુત સ્વપ્ન સૂરિજીને જણાવ્યું, ત્યારે આચાર્ય ભગવાને તેમને કહ્યું કે, “અમુક સાધુને તેને અર્થ પૂછો.” (૬૦૦૦ ગ્રંથાશ્ર) આજે સુસાધુઓથી પરિવરેલ એક આચાર્ય તમારા પરિણા થશે, પરંતુ તે ભવ્ય નથી, તેનો નિશ્ચય છે. એટલામાં હજુ આ વાત ચાલી રહેલી છે, તેટલામાં અતિસૌમ્ય ગ્રહ–સમૂહયુક્ત શનૈશ્ચર સરખા, મનહર કલ્પવૃક્ષેના સમૂહથી વીંટાયેલ એરંડવૃક્ષ સરખા, રુદ્રદેવ નામના આચાર્ય સાધુઓ સાથે ત્યાં આગળ આવી પહોંચ્યા. તે સ્થાનિક સાધુઓએ તરત જ ઉભા થવું ઇત્યાદિક ઔપચારિક વિનય ક્રિયા કરી, તેમ જ આગમવિધિ પ્રમાણે આખા ગચ્છ-સહિત યથાયોગ્ય પરોણાગત સાચવી. ત્યાર પછી સંધ્યાસમયે સ્થાનિક સાધુઓએ ભુંડ આકારવાળાની પરીક્ષા કરવા માટે માગું પરઠવવાની ભૂમિમાં અંગારા પાથર્યા. પિતાના આચાર્યના કહેવા પ્રમાણે સ્થાનિક છૂપાઈ રહેલા તે સાધુઓએ પરોણ સાધુઓને પગથી ચંપાતા અંગારાના કેશ ક્રશ થતા શબ્દો સાંભળવાથી પ્રાણિની શંકા થવાથી કે “આપણાથી આ જી ચંપાય છે”-એમ ધારી મિચ્છા મિ દુક્કડં” શબ્દ બોલ્યા. ક્રશ કશ એવા શબ્દો જે સ્થળે થયા, ત્યાં કંઈક નિશાની કરી કે, “દિવસે તપાસ કરીશું કે શાથી આવો શબ્દ ઉત્પન્ન થયે ?” હવે રુદ્રદેવ આચાર્યો મૂત્રભૂમિમાં જવા પ્રયાણ કર્યું અને પગ નીચે અંગારા ચંપાવાથી જે કશ કશ કરતે શબ્દ સાંભળ્યો, એટલે જીવોની અશ્રદ્ધા કરતો મૂઢ એમ બે કે-જિનેશ્વરોએ પ્રમાણથી તિરસકારાએલા એવા આને જીવ કહેલા છે !” સ્થાનિક સાધુઓએ જે પ્રમાણે દેખ્યું, તે પ્રમાણે વિજયસેનસૂરિને જણાવ્યું. તેમણે પણ કહ્યું કે, “સ્વમમાં જે ભુંડ દેખ્યો હતો, તે આ સૂરિ અને જે ભદ્ર જાતિના ઉત્તમ હાથીઓ દેખ્યા હતા, તે આ તેના શિષ્ય સમજવા. તમારે આમાં શંકા ન કરવી.” સ્થાનિક સાધુઓએ તેના શિષ્યોને હેતુ-યુક્તિઓ વડે સમજાવ્યા કે, * આ ચેષ્ટાથી આ અભવ્યને તમે ઓળખો.” ઘર સંસારવૃક્ષના કારણ સરખા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy