SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] ઉપદેશપદ-અનુવાદ હજુ સજજડ રાગ-દ્વેષ-મહની ગાંઠ ભેદી નથી, એવા પરિણામવાળા-અભિન્ન ગ્રંથિવાળા છો હોય, તેમને આજ્ઞાનું પાતંત્ર્ય હોતું નથી, તે કેવા પ્રકારના હોય? તે કહે છેજળના વહેણની સામે જનારા સરખા પણ, અહિં જીવનદીની પરિણતિ રૂપ સ્ત્રોત-પ્રવાહ બે પ્રકાર હોય છે. એક સંસાર-સ્ત્રોત અને બીજે નિવૃતિ-સ્ત્રોત, તેમાં સંસાર-સ્રોત એટલે ઈન્દ્રિયની અનુકૂલ પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું, તે અનુસ્રોત કહેવાય, બીજે તેનાથી ઉલટાપણે વહે, તે પ્રતિ વાત કહેવાય. ત્યાર પછી કંઈક પરિપક્વ થયેલી ભવિતવ્યતાના કારણે ધન, જીવિત આદિ પૌગલિક પદાર્થોને તણખલા સમાન માનતે, અને સંસારથી વિરુદ્ધ ચેષ્ટાને કરતા હોવા છતાં પણ તેવા પ્રકારના અજ્ઞાન બાલતપસ્વીઓને ઘણે ભાગે તેવા પ્રકારના સમજાવનાર ન મળવાથી અજ્ઞાનતાના કારણે આજ્ઞાસ્વરૂપ જાણ્યું નથી. કેટલાક અન્ય તીર્થોવાળા પણ ભવના કામથી વૈરાગ્ય પામેલા હોય, નિર્વાણુ–મોક્ષપ્રત્યે દઢ અભિલાષા પણ તેમનામાં જોવામાં આવે છે, પરંતુ હજુ રાગછેષ–મોહની અનાદિની ગાંઠ ભેદાઈ નથી, તેથી આજ્ઞાનું સ્વરૂપ ન જાણતા હોવાથી તેઓ પ્રભુની આજ્ઞાની પરતંત્રતાને પામી શકતા નથી. વળી એમ પણ ન કહેવું કેગ્રંથિભેદ ન કરેલ હોય, તેમને આજ્ઞાને લાભ નથી જ. (૨૨) અહિં કેવા પ્રકારની આજ્ઞા-પરતંત્રતા વિચારવી? ૨૫૩–અહિં ગ્રંથિ એટલે સજજડ રાગ-દ્વેષના પરિણામરૂપ ગાંઠ ઝાડના મૂળની ગાંઠ સરખી આ પરિણામરૂપ ગાંઠ સમજવી. તે માટે શાસ્ત્રમાં કહેલું છે કે-ગ્રંથિ એટલે દુઃખે કરીને ભેદી શકાય, કર્ક શ-કઠણ મજબૂત સજજડ મૂળમાં ઉગેલી ગૂઢ એવી જમીનમાં ગુપ્ત રહેલી વૃક્ષના મૂળની ગાંઠ જેવી જીવની કમં પરિણતિથી ઉત્પન્ન થયેલ એવા સજજડ રાગ-દ્વેષ અને મહિના જે પરિણામ, તેને શાસ્ત્રમાં ગ્રંથિ કહેલી છે. તેથી ગ્રંથિસ્થાન નજીક આવેલા પ્રાણીઓ, તથા અપુનબંધક આદિ છે, તેઓને પણ દ્રવ્યરૂપે આજ્ઞા હોય છે. તેમાં અપુનબંધક એટલે હવે ફરી કઈ વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનું નથી, તીવ્રભાવથી પાપ ન કરે, એ વગેરે લક્ષણવાળા, તથા આદિશદથી માર્ગાભિમુખ અને માથે પતિત અર્થાત્ મોક્ષમાર્ગની સન્મુખ થયેલા તેમજ મોક્ષના માર્ગે ચડેલા “રથાકવૃત્તઝા- વામમા સન્નિતિથિમેરી” યથાપ્રવૃત્ત કરણના છેલ્લા ભાગમાં થવાવાળા, ગ્રન્થિભેદ થવાના નજીકના સમયમાં થનારા, અભવ્યો, દુર્ભાગ્યે, સકૃબંધક વગેરે ગ્રહણ કરવા. માત્ર અહિં દ્રવ્યશબ્દના વિચારમાં અર્થની અપેક્ષાએ શાસ્ત્રની નીતિ મર્યાદા-સિદ્ધાંતની સ્થિતિએ દ્રવ્ય શબ્દના બે અર્થો થાય છે. (૨૩) ભજના-વિકલ્પ દ્રવ્યશદને આશ્રીને કહે છે– ૨૫૪–એક દ્રવ્યશબ્દ અપ્રધાનભાવમાં જ કેવલ વર્તનારો છે–પ્રધાનભાવ કારણ ભાવના અંશથી સર્વથા રહિત દ્રવ્યશબ્દ વતે છે. અહીં દ્રવ્યશબ્દની અંદર દષ્ટાંત આપે છે કે-“જેમ અંગારમર્દક આચાર્ય દ્રવ્યાચાર્ય હતા, ભવિષ્યમાં પણ કદાપિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy