SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] ઉપદેશપદ-અનુવાદ દિવસે તેની સાથે રાજાએ લગ્ન કર્યા. તેની સાથે વિષયસુખ અનુભવતાં તેને એક પુત્ર થયો. સમયે તેને રાજા કર્યો. ગૃહસ્થપણામાં રહેલે ભીમકુમાર પણ આજ્ઞાભાવિત આત્મા અપાર સંસારમાં પડવાના ભયથી નિષ્કલંક અબ્રહ્મની વિરતિનું વ્રત પરિપાલન કરતાં દિવસે પસાર કરતો હતો. હવે કઈક સમયે સૌધર્મ સભામાં દેવતાઓની સભામાં બેઠેલા ઈદ્રમહારાજા તેના દઢવ્રતના અભિપ્રાયને જાણીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે-આ ભીમકુમારને દેવતાની સહાયતાવાળા ઈન્દ્રમહારાજા પણ સર્વજ્ઞની આજ્ઞાથી ચલાયમાન કરવા સમર્થ નથી. જગતના લોકોને ચમત્કાર કરાવનાર તેનામાં સૌભાગ્યાદિ અનેક ગુણો હોવા છતાં પણ તે અખંડ બ્રહ્મચર્ય એવું પાલન કરે છે કે, કેઈ તેને ચલાયમાન કરી શકે નહીં. ત્યાર પછી દેવે કામવરથી પીડાતા દેહવાળી વેશ્યા વિકુવને તેના સન્મુખ હાજર કરી. વેશ્યાની માતાના રૂપને ધારણ કરનારીએ ભીમકુમારને કહ્યું કે, “આ પુત્રી મને અત્યંત વલ્લભ છે, પિતાના ઈચ્છિત મનોરથ પૂર્ણ ન થવાના કારણે અતિકષ્ટવાળી દશા પામેલી તે નક્કી મૃત્યુ પામશે. હે નિર્દય ! સ્ત્રીહત્યાની ઉપેક્ષા કરનાર હે કૃપા વગરના ! તને અધર્મ થશે. તેવા પ્રકારના અનુષ્ઠાનથી પણ તને અસાધ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહેવાયેલ “એકબાજુ વાઘ અને બીજી બાજુ ન કરી શકાય તેવી નદી ન્યાયનો વિચાર કરી આજ્ઞાબહુમાન કરવાના કારણે જે બન્યું, તે કહે છે-તીર્થકર ભગવંતની આજ્ઞાની વિચારણા કરવા લાગ્યું કે અપકાર કરવામાં તત્પર એવી સ્ત્રીઓની રચના કોણે કરી ? ખરેખર નરકના ઉંડા કૂવાના પગથિયાની પંક્તિ સરખી આ સ્ત્રીઓ છે. દોષોનો ઢગલો, પરાભવનું મોટું સ્થાન, મેક્ષમાગને દવંસ કરનારી અને નકકી પ્રત્યક્ષ આપત્તિરૂપ આ સ્ત્રીએ છે. આ સ્ત્રીઓ પોતાનાં કાર્ય સાધવા માટે હસે છે, રુદન પણ કરે છે. વિશ્વાસ પમાડે છે, પરંતુ તે પિોતે બીજાને વિશ્વાસ કરતી નથી. માટે મનુષ્ય મશાનની ઘટિકાની જેમ કુશીલવાળી સ્ત્રીનો ત્યાગ કરે જોઈએ. કામ-વિષયો એ શલ્ય સરખા છે, ઝેર જેવા છે અને સર્પ જેવા છે. કામની પ્રાર્થના કરનારા નિષ્કારણ દુર્ગતિમાં જાય છે.” ત્યાર પછી આજ્ઞાભાવના સંબંધથી આ ધીર પુરુષ આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, બ્રહ્મચર્યવ્રતના વિનાશમાં નક્કી પાપ થવાનું જ છે. તે માટે કહેલું છે કે-“ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરે સારે, પરંતુ લાંબા કાળથી પાળેલ વ્રતનો ભંગ કર ઠીક નથી, સુવિશુદ્ધ કાર્ય કરતાં મરણ પામવું બહેતર છે, પણ ખલના પામેલા શીલ સહિત જીવવું સારું નથી.” માટે વ્રત-રક્ષણ કરવાનો ઉપાય કરવો જોઈએ. મારા વિષે અનુરાગવાળી છે, તેનું મૃત્યુ. થાય, તેથી મને પાપબંધ નથી. જે માટે આગમમાં કહેલું છે કે-“કેઈને પણ પર વસ્તુ-વિષયક નાનામાં નાને પણ કર્મ બંધ કહેલ નથી, તે પણ તેનાથી વર્તનારા મુનિઓ પરિણામની વિશુદ્ધિ ઇચ્છતા તેઓ યતન કરીને વર્તન કસ્નારા છે.” તો પણ મરણથી રક્ષણ કરવું તે સુંદર છે. તેને જૈનધર્મ કથન કરવા રૂપ અતિ ઉત્તમ કરુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy