SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] ઉપદેશપદ-અનુવાદ એટલે કે, સુવર્ણીના કુભ-સમાન એવું આગળ આગળ જેને પ્રભાવ વધતા જાય, તેવું પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફૂલ અહિં પ્રાપ્ત થાય છે. કારણ કે, પ્રાણી-દયા આદિ સમગ્ર હેતુઓ તેને પ્રાપ્ત થયેલા છે. કહેવુ છે કે—“ પ્રાણી માત્રની દયા, વૈરાગ્ય પામવેા, વિધિપૂર્વક ગુરુની સેવા-ભક્તિ-પૂજન કરવું, નિર્મીલ શીલ પાલન કરવું–સારુ વર્તન રાખવુ. આ સર્વે પુણ્યાનુબંધી પુણ્ય ખંધાવનાર છે. ” આ યથાર્થ સમજવું. પૂ કારણથી આરંભેલા ભાવા કદાચિત્ અનુબંધ વગરના થતા નથી, નહિંતર તે પણે તેની પ્રાપ્તિ થાય નહિ. (૨૪૦) આજ્ઞા-બહુમાન-રહિત માત્ર એકલી ક્રિયા છે, તે કેવી રીતે જાણી શકાય ? તેના સમાધાનમાં જણાવે છે કે— ૨૪૧—દુબ્યા, અભબ્યાને વિષે વસ્ત્ર, પાત્ર, કીર્તિ વગેરેના લાભની અપેક્ષાએ, આદિશબ્દથી સ્વજનાના અવિરાધ, કુલની મર્યાદા જાળવવા લાજ–શરમ, દાક્ષિણ્યતાની અપેક્ષાએ માત્ર ક્રિયા કરે, પરંતુ આજ્ઞા-બહુમાન તેમને હેાતું નથી. ગુણુ થાય કે દોષ લાગે, તેવી પ્રવૃત્તિ-રહિત, શાસનનું ગૌરવ થશે કે લઘુતા થશે, તેની ચિંતા વગરના હાય, આદેશબ્દથી સવા-જીવા વગેરે ઉપર મૈત્રી આદિ ચાર ભાવા રાખવા– એવા શુદ્ધજ્ઞાન-રહિત ઘણે ભાગે હાય. શુદ્ધઆજ્ઞા-બહુમાન વગરનાની માત્ર આ લેાકના સુખની અપેક્ષાએ માત્ર એકલી ધર્મક્રિયાએ તેમને હાય છે. (૨૪૧) 6 ૨૪૨—આવી આજ્ઞા-મહુમાન વગરની ક્રિયા માત્રથી માટીના ઘડા જેવુ ઉત્તરીત્તર ફૂલ વધતુ જાય, તેવું ફળ મળતું નથી, પણ માત્ર પુણ્યખ ધરૂપલની પ્રાપ્તિ થાય છે. એ જ વાત ખીજા દેષ્ટાંતથી સમજાવે છે કે, · કુલટા સ્રી બ્રાહ્મણને દાન આપે, પ દિવસે ઉપવાસ કરે, તીસ્નાનાદિ તેમના ધર્મની ક્રિયા કરે, તે તેમાં અનુબંધ વગરનું ફળ મળે, આ માત્ર ક્રિયા દ્વારા થતું ફૂલ છે. સેાનાના ઘડા ભાંગી જાય, તે ફરી પણ આગળ કામ લાગે, પણ માટીનેા ઘડા ભાંગ્યા પછી ફરી કામ લાગતા નથી. તેથી નિરનુબંધ ફુલ ક્રિયા માત્રનું જણાવ્યુ. (૨૪૨) ૨૪૩—જે કારણથી ભાવ વગરની-આજ્ઞા વગરની ક્રિયા નિરનુખ ધ ફૂલવાળી છે, માટે રાગ-દ્વેષ-માહના મલ-રહિત શુદ્ધ મનના પરિણામરૂપ ભાવ, પેાતાના સામર્થ્યને છૂપાવ્યા વગર-સર્વ પ્રયત્નથી સ્ત્રગ–માક્ષલક્ષણ સાઘ્ય વિષે બુદ્ધિશાળી પુરુષે જિનાજ્ઞાનુસારી ધર્માનુષ્ઠાનામાં પ્રશસ્તભાવ લાવવા પ્રયત્ન કરવા. (૨૪૩) હવે આજ્ઞાને આગળ કરતા દૃષ્ટાંત જણાવે છે— ૨૪૪–૨ે નજીકના મેાક્ષગામી આસન્ન ભવ્યાત્મા આજ્ઞા પ્રત્યે બહુમાન કરનારા છે, તે તીથંકર ભગવ ́ત, ધર્માચાર્ય, શ્રુત-ચારિત્રરૂપ ધર્મને બહુ માનનારા જ હોય છે. આજ્ઞા પ્રત્યે બહુમાનવાળા હોય, તે તીથ કરાદિના પ્રત્યે બહુમાન વગરના ન હોય. તેવા અહુમાનવાળા આત્મા કલ્યાણુરૂપ પુરુષાથ ને સાધનારા જ થાય છે. આ આજ્ઞા-ખહુમાન વિષયમાં ભીમ નામના રાજપુત્રનુ દૃષ્ટાંત કહેવુ. (૨૪૪) એ દૃષ્ટાંત વિચારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy