SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] ઉપદેશપદ-અનુવાદ ૨૩૪–માટે ધીર પુરુષોએ આ ધર્મ બીજ વિષે વિશેષ યત્ન કરો. કેવા લક્ષણવાળો પ્રયત્ન કરે ? તેના સમાધાનમાં જણાવે છે કે-વીતરાગ ભગવંતે પ્રતિપાદન કરેલા આગમ વિષે, તેમ જ અપુનબંધકની ચેષ્ટાથી માંડી અગીકેવલીપણા સુધી તેના ચિત્તના શુદ્ધ સુંદર આચારમાં જે બહુમાન-ભાવ-પ્રતિબંધ કરો-એટલે કે, બુદ્ધિશાળી પુરુષોએ પશમની વિચિત્રતા અંગે અ૫, મધ્યમ કે અધિક એવું બહુમાન કરવું. ઉપસંહાર કરતા કહે છે કે, “હવે ઘણું કહેવાઈ ગયું. ધર્મ બીજ-વિષચક વિશેષ હકીકત કહેવાથી સયું. (૨૩૪) હવે આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવા છતાં પણ આગળ વિસ્તાર સહિત કહેલી બુદ્ધિપરિણતિરૂપ વિચારણા જ કાર્ય સાધનાર થાય છે. તે વાત વિસ્તારથી જણાવવાની ઈચ્છાવાળા કહે છે કે – - ૨૩૫–વૈયાવૃજ્ય એટલે અન્ન-પાન, ઔષધ-ભેષજ વગેરેનું દાન આપવું, પગ ધોવા, શરીર દાબવું, સંથારો, આસન તૈયાર કરી આપવાં, સાધુજન-ગ્ય વિવિધ ક્રિયા-વિશેષ દ્વારા જે સેવા કરવી, બીજા બદલાની આશા રાખ્યા વગર નિસ્પૃહભાવે ગુણુ પુરુષની-સાધુપુરુષોની સેવા કરવી, તે વૈયાવૃત્ય, તે પતન પામતું નથી–અર્થાત્ તેનું ફળ ચાલ્યું જતું નથી. કારણ કે, અનુબંધ-અનુગમ-અવ્યવચ્છેદ આ એકાWવાચી પર્યાયવાચક શબ્દો છે, તેનું ફળ વિચછેદ પામતું નથી, પણ અવશ્ય પાછળ સાથે આવે છે. તે માટે કહેવું છે કે- ચારિત્રથી ભ્રષ્ટ થયેલાનું, મરી ગયેલાનું ચારિત્ર નાશ પામે છે, પરાવર્તન ન કરવાથી શ્રતજ્ઞાન ચાલ્યું જાય છે, પરંતુ શુભેદયવાળ વૈયાવૃન્ય કર્મ નાશ પામતું નથી. ” આ કારણથી પ્રમોદ પ્રગટ કરનાર કોઈક સ્વભાવથી જ ધયાવૃત્યની રુચિવાળો ‘કરેલું વૈયાવૃત્ય નિષ્ફલ થતું નથી.” એવા સર્વજ્ઞના વચનથી આવા વિયાવૃજ્યમાં અતિશય પ્રવર્તે છે. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર અલ્પબુદ્ધિથી, જેમ કેઈ અપકવ બુદ્ધિવાળે અજ્ઞાની અતિશય ભૂખે થયો હોય, પોતાની જઠરાગ્નિના બળનો વિચાર કર્યા વગર એકદમ અતિશય આહાર કરે, તો કોઈ પ્રકારનો ગુણ મેળવતો નથી, પરંતુ ઉલટું અગ્નિની મંદતા પ્રાપ્ત કરીને દોષ મેળવે છે, તેમ ચાલુ વેયાવચ્ચના અધિકારમાં પણ પોતાની શક્તિને ઉલ્લંધીને જે વિયાવૃત્ય કરે, તેમાં પણ દોષ ઉત્પન્ન થાય, તેવી ભાવના સમજવી. (૨૩૫). ( આ પ્રમાણે અપમતિ-વિષયક વયાવૃત્ય કહીને હવે તેને વિપરીત પણે કહેવાની ઈચ્છાવાળા કહે છે કે ૨૩૬–વળી બીજો કોઈ બહબુદ્ધિશાળી વૈયાવૃજ્યની રુચિવાળો ધાર્મિક પુરુષ શાસ્ત્રમાં વૈયાવૃત્ત્વનું સ્વરૂપ કેવું બતાવેલું છે? તેની વિચારણું કરે. અજ્ઞાનીને તે તે કાર્ય કરવું અશક્ય છે. તેથી શાસ્ત્રના વચનથી સંયતલોકને ઉચિત પદાર્થ પ્રાપ્ત કરાવવા રૂપ જ્ઞાન થાય છે. તથા કયા પ્રકારે? ગુરુ, બાલ, વૃદ્ધ વગેરે લોકોને ઉચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy