SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ બેધિબીજનું ફલ [ ૨૪૧ મિત્રો પણ લોકોની સાથે પ્રભુ પાસે આવ્યા. કરુણાતત્પર એવા ભગવંતે તે જીવના સર્વ કલ્યાણના કારણ સ્વરૂપ શાશ્વતા મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવ્યું. પેલા બે વણિફપુત્રોમાંથી એકને ભગવંતે કહેલ માર્ગની શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મનમાં તે પરિણયે. નેત્રે વિકસિત કરી મસ્તક ધૂણાવતો કાન દઈને વાણી સાવધાનીથી શ્રવણ કરતા હતા, રોમાંચિત શરીર કરી અમૃતપાન કરવા માફક જિનેશ્વરના વચન-જળને પીતો હતો, ત્યારે બીજા મિત્રને તે વચને રેતીના કોળિયા સરખા નિરસ જણાયા. એકબીજા એ સામસામના ભાવો વિપરીત જાણ્યા. વ્યાખ્યાનભૂમિથી ઉભા થઈને પિતાને ઘરે ગયા. તેમાં એકે કહ્યું કે, “હે બધુ ! તું ભગવંતની વાણી સાંભળીને ભાવિત થયો અને હું ન થયો, તેનું શું કારણ? અત્યાર સુધી એકચિત્તિયા તરીકે આપણે પ્રસિદ્ધિ થયેલી છે, અત્યારે આપણું બંનેનાં ચિત્ત જુદાં પડી ગયાં છે. ત્યારે બીજાએ કહ્યું કે, “વાત સાચી છે, મને પણ આ વિષયમાં વિકલ્પ આવે છે, તો કેવલી ભગવાન આને આપણને નિશ્ચય કરાવશે. આ પ્રશ્નનો ખુલાસો તેમની પાસે જઈશું ત્યાં જ થશે.” એમ નિશ્ચય કરીને પ્રાતઃકાળે તેમની પાસે બંને ગયા. વિનયપૂર્વક પિતાને સંશય પ્રભુને પૂછળ્યો. ભગવંતે પણ પ્રત્યુત્તર આપ્યું કે તમારામાંથી એક જણે આગલા ભવમાં મુનિની પ્રશંસા કરી હતી. તે આ પ્રમાણે કઈક ગામમાં તમે બંને એક ગામના મુખીના પુત્ર થયા હતા. કાલક્રમે લાવણ્યયુક્ત તારુણ્યપદ પામ્યા. તેના વિકારને પામેલા, પરંતુ સંપત્તિ ચાલી ગયેલી હોવાથી કેઈપણ મનોરથ પૂર્ણ થતા ન હતા એટલે અનાર્યને લાયક એવાં ચોરીનાં કાર્યો કરવા લાગ્યા. બીજા ગામે જઈ ત્યાંથી ગાયનું હરણ કરી રાત્રે અતિ ઉતાવળથી જતા હતા, ત્યારે કોટવાળ વગેરે અધિકારીઓએ તેમને ત્રાસ પમાડ્યા એટલે ભાગી જવા તૈયાર થયા. ત્યારે તમે બંનેએ પર્વતની ગુફામાં એક ધ્યાનસ્થ અને મૌન ધારણ કરનાર તેમ જ સુંદર ક્રિયા કરતા ત્યાં રહેલા સાધુને જોયા. ત્યારે ધર્મપાલના છે આમ વિચાર્યું કે-“આમને જન્મ સફળ છે. ઉત્તમ આચારના સ્થાનવાળા છે કે, જેઓ આ પ્રમાણે નિર્ભય શાત ત્યાગ કરેલા સંગવાળા અહિં આ પ્રમાણે રહેલા છે. જ્યારે આપણે તે નિર્ભાગીને શિરોમણિ છીએ. ધન મેળવવાની ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય કરનારા છીએ, લોકો તરફથી પરાભવ ધિક્કાર પામી આત્માને પાપી બનાવ્યા છે. અહિંથી મૃત્યુ પામી કઈ ગતિમાં જઈશું? આપણા ખરાબ સ્વભાવથી આપણે બંને લોકને બગાવ્યો છે. પાપરહિત નિર્મલ એવા સાધુના વર્તનથી આપણું વર્તન તદ્દન વિપરીત છે, અર્થાત્ મલિન અને પાપી વર્તન હોવાથી આપણું કલ્યાણ કેવી રીતે થશે?” હવે જે બીજે મિત્ર હતા, તે તો મુનિને દેખીને અપશકુન ગણી ઉદાસીનભાવવાળે થયો. એકને ગુણરાગથી ધિબીજ પ્રાપ્ત થયું અને બીજાને તે બીજ ન થયું. ત્યારપછી કષા પાતળા પડ્યા અને બંને દાન આપવા તત્પર બન્યા, એટલે અનિન્દિત એવું મનુષ્ય જન્મ—ગ્ય કર્મ ઉપાર્જન કર્યું. તમે બંને મૃત્યુ પામીને ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy