SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] ઉપદેશપદ-અનુવાદ લક્ષણ તે અવગૃહીતા નામની પાંચમી. ભજન કરવાના ભાજનમાં પીરસેલ હોય તેવી, પ્રગૃહીતા નામની છઠ્ઠી, ભોજનશાલા ચાલતી હોય, ત્યાં ભજન કરનાર લોક જેને ઈચ્છતા ન હોય એટલે ફેંકી દેવા લાયક જે અન્ન હોય, તેને ગ્રહણ કરવારૂપ ઉઝિતા નામની સાતમી એષણા. એ સાતમાંથી જિનપિકને પ્રથમ બે એષણામાં ન ગ્રહણ કરવા લાયક અને તેના ઉપરની પાંચ એષણાઓમાં યોગ્યતારૂપે ગ્રહણ કરી શકાય. પરંતુ તે પાંચમાં પણ એક દિવસે બેનો જ અભિગ્રહ અને તેમાં એકથી ભોજન અને એકથી પાણી ગ્રહણ કરવાનું હોય. તે માટે કહેવું છે કે- ખરડાયેલ, ન ખરડાયેલ, ઉદ્ધત, અ૯પેલેપવાળી, ઉગ્રહિત, પ્રગૃહીત, ઉકિત ધર્મવાળી એમ સાત એષણાઓ છે. તથા પાંચમાંથી બેનો જ અભિગ્રહ કરીને ભિક્ષા ગ્રહણ કરવાની હોય. તેથી આ એષણાની શુદ્ધિ-નિર્દોષતા અને આદિ શબ્દથી તપ, સત્વ, સૂત્ર, એકત્વ અને બલ એમ પાંચ પ્રકારની તુલના-અભ્યાસ કરવાનો કહે છે. એમાં જે પાર પામે, તે જિનક૯૫ અંગીકાર કરી શકે. આ પ્રકારે પાંચ પ્રકારની તુલના સ્વીકારવી પડે, તેથી યુક્ત બનેલા આર્યમહાગિરિને, વસુભૂતિ શ્રેણીના ઘરે તેમના કુટુંબને પ્રતિબોધ કરવા માટે સકારણ ગયેલા તેમના બીજા આચાર્ય આર્યસહસ્તીએ તેમને ત્યાં ભિક્ષા ભ્રમણ કરતા જોયા અને ઉભા થઈ વિધિપૂર્વક આદર-વિનય પ્રકાશિત કર્યો. તે સમયે શ્રેષ્ઠીને વિમય (આશ્ચર્ય થયું કે, “શું આના કરતાં આ મહાન છે?” એટલે સુહસ્તીએ શ્રેષ્ઠી સમક્ષ તેમના ગુણોનું, તેમના ચારિત્રનું, તેમની ભિક્ષાનું વર્ણન કર્યું, એટલે શેઠને તેમના પ્રત્યે પુષ્કળ બહુમાન પ્રગટયું. તેમની સામાચારી સાંભળીને શેઠે ભજનપાણી ઉકિત ધર્મવાળાં તૈયાર કર્યા. શંકા કરી કે, “આર્યસુહસ્તી સમીપે વસુભૂતિએ સાધુના આચાર સાંભળવા છતાં શા માટે અનેષણા–દેષિત આહાર આપવાની પ્રવૃત્તિ કરી ? તેના સમાધાનમાં જણાવે છે કે–“ઘણા ભાગે અનાભોગ એટલે શાસ્ત્રના અર્થની વિચારણા કર્યા વગર જે દાન કરવાની અભિલાષારૂપે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તેથી અનેષણ કરી.” હવે મહાગિરિએ ઉપગ મૂક્યો. મનથી વિચારણા કરી અને જાણ્યું કે, અણગમતી રાઈ તૈયાર કરી છે, તેનું જ્ઞાન થયું. તે વાત સાંજ સમયેપ્રતિક્રમણ-સમયે અનેષણ કરી એમ સુહસ્તીને કથન કર્યું. ત્યારપછી તે નગરમાંથી વિહાર કરી ચાલ્યા ગયા અને અવંતી દેશની ઉજજયિની નગરીએ ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાની યાત્રા-વંદના કરીને ઉજજયિનીમાં શ્રમણ સંઘને કહીને ચરમકાલની આરાધના માટે એલકાક્ષ નામના નગર તરફ ગમન કર્યું. એ નગરની ઉત્પત્તિનું કારણ કહે છે–ભર્તાર મિથ્યાત્વી હોવાથી સંધ્યાકાળે કેઈક શ્રાવિકાના સાંજના પ્રત્યાખ્યાન-વિષયક હાસ્ય કર્યું. કેઈક વખતે જેમ શ્રાવિકા પ્રત્યાખ્યાન ગ્રહણ કરતી હતી, તેમ ઉછાંછળા-અવિનીત બની વગર પ્રેરણાએ પિતાની મેળે તેના પતિએ “મારે પણ રાતના ન ખાવું-તેવું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું.” શ્રાવિકા પત્નીએ ના કહી કે, તમે પાળી નહીં શકો, તે પણ વાર્યો ન રહ્યો. તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy