SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] ઉપદેશપદ-અનુવાદ પુત્ર બાળપણમાં યુવરાજપદ પામ્યા હતા, તેનું નામ કુણાલ હતું અને તે રાજાને જીવિતથી પણ અધિક પ્રિય હતે. કુમાર માટે ઉજજેણે નગરી તેને ભેટ આપી હતી, પરિવાર–સહિત તે કુણાલકુમાર આનંદથી ત્યાં રહેતા હતા. કુમાર સમગ્ર કળા-લક્ષણ ભણવા સમર્થ થયો, ત્યારે રાજાએ પિતાને હાથે એક લેખ લખ્યું કે, “હવે કુમારને ભણાવ.” તે પત્ર મુદ્રિત બીડ્યા વગર તેવા પ્રકારનું કાર્ય ઉત્પન્ન થવાથી જેટલામાં ત્યાંથી ઉભે થે, તેટલામાં પાપિણ સાવકી માતાએ આંખના અંજનને નખના અગ્રભાગથી ગ્રહણ કરી ક્રિયાપદના ઉપરના ભાગમાં “અધિજજઉ કુમાર” રાજાએ લખ્યું હતું, તેમાં ‘અંધિજજઉ કુમાર’ એમ અનુસ્વાર વધારી દીધે. બીજી વખત વાંચ્યા વગર ઉતાવળમાં લેખ બીડી દીધે. દૂત પત્ર લઈને કુમાર પાસે પહોંચે, તેણે પોતે જ લેખ વાંચે. તેનો અર્થ અવધારણ કર્યો. લેહની સળી તપાવીને બંને આંખો આંજવા તૈયાર થયે, એટલે પરિવારે કહ્યું કે, “હે કુમાર ! આવી પિતાની આજ્ઞા હોય નહિં, એમ છતાં માનવી હોય તો એક દિવસને વિલંબ કરીને આજ્ઞાને પરમાર્થ મેળવવો.” કુમારે કહ્યું કે, “મૌર્યવંશમાં થયેલા અમારા સર્વ રાજાઓની આજ્ઞા તીક્ષણ કહેલી છે, તે હું પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજજવલ આશ્ચર્ય કરનાર ચરિત્રવાળા કુલને કલંક લગાડીને વિકૃતિ કેમ પમાડું? પરિવારની શિખામણની અવગણના કરીને જેટલામાં આંખ તપાવેલા સળિયાથી આંજી એટલે પિતાને તે સમાચાર પહોંચી ગયા અને તેમણે માટે શેક કર્યો. આ શક્ય સ્ત્રીનું કાર્ય છે-એમ જાણ્યું, પરંતુ કાર્ય બની ગયા પછી હવે શું કરવું ? ત્યારપછી પિતાએ તેને ઉજેણી નગરીના બદલે મને હર ગામ આપ્યું, ત્યાં રહેલા તેણે બીજા સર્વ વ્યવસાયોને ત્યાગ કરી સંગીતવિદ્યાને સુંદર અભ્યાસ શરૂ કર્યો. અતિચતુર બુદ્ધિથી અ૮૫ સમયમાં તે વિદ્યાનો પાર પામી ગયો. કેટલાક બીજા ગાંધવિક લોકોને એકઠા કરી પૃથ્વીમંડલમાં બ્રમણ કરવા લાગ્યા. ગાંધર્વિક લોકના ગર્વરૂપ પર્વતને વજા માફક ચૂરી નાખતો હતો. તેને યશ ચારે બાજુ ફેલાવા લાગ્યો અને દરેક જગ પર શોભા પામવા લાગ્યો. કાલક્રમે કુસુમપુર નગરે ગયા અને ત્યાં સંગીત સંભળાવવા લાગ્યો. તે સભામાં નગરના પ્રધાન પુરુષે તેમજ ઘણું બીજા નગરવાસી લોકો તે સભામાં સાંભળવા આવ્યા હતા. નગરમાં લકવાયકા ફેલાઈ કે, “નક્કી આ કઈ દેવગાંધર્વ હવે જોઈએ, કઈ વખત આવો બીજો કોઈ સાંભળવામાં આવ્યો નથી.” આ પ્રવાદ રાજસભામાં મંત્રીઓએ રાજાને કહ્યો, તો કુતુહળ પામેલા રાજાએ પોતાના સેવક–પરિવારને તેને લાવવા માટે આજ્ઞા કરી. ત્યારે તેઓએ કહ્યું કે, “હે દેવ ! તે નેત્રરહિત હેવાથી આપને દેખવા ગ્ય નથી, તે તેને પડદાની અંદર બેસાડ્યો. તે સ્વર પૂરીને શુદ્ધ સ્વરથી જ્યારે ગાવા લાગ્યા. ત્યારે જેમ ગૌરીના ગીતથી ઈન્દ્ર આકર્ષાય તેમ રાજાનું મન પણ તત્કાલ આકર્ષાયું. અતિપ્રસન્ન થયેલા રાજાએ તેને વરદાન માગવાનું જણાવ્યું, ત્યારે પ્રાપ્ત થયેલા અવસરવાળા તે કુણાલે આ લેક સંભળાવ્યું કે–ચંદ્રગુપ્તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy