SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમાં સર્વજ્ઞની આજ્ઞાની પ્રધાનતા [ ૨૧૭ હોવાથી તેવા પ્રકારના વરસાદના જળ આદિની સામગ્રી મળવા છતાં પણ ફરી રાખોડામાંથી દેડકા થતા નથી. તે જ પ્રકારે સર્વજ્ઞની આજ્ઞાના સંપર્કવાળા આકરી ક્રિયાના ચગ-બળથી ફૂલેશને ક્ષય કર્યો અને પછી ચકવર્તી આદિ પદની પ્રાપ્તિ. થવા છતાં પણ આત્માને તેમાં લુબ્ધ થવા દેતા નથી. અને કર્મફલેશને નિર્મૂળ બાળી નાખનારા થાય છે. (૧૯૯૨) શંકા કરી કે, “તીર્થકર ભગવંતના સુવચનને બરાબર જાણેલા-સમજેલા નથી, તેવા કેટલાકને શાસ્ત્રમાં ચારિત્રરૂપ શુભ પરિણામ માનેલા સંભળાય છે, તો તેઓને કેવી રીતે તેના પરિણામ થયા ? ” તેની શંકાના સમાધાનમાં કહે છે – ૧૩–આગમમાં પ્રસિદ્ધ એવા માસતુસાદિક જડ સાધુઓને તો જીવાજીવાદિક તત્ત્વ-વિષયક સ્પષ્ટ શ્રુતના ઉપયોગનો અભાવ છતાં પણ માર્ગાનુસારીપણુથી તીવ્ર મિથ્યાત્વાહનીયના ક્ષયોપશમભાવથી શુભ-અવિપરીત સામાન્યપણે અતિવિશેષ અર્થ અવધારણ કરવા માટે અસમર્થ એવા પ્રકારના વસ્તુ-તત્ત્વને જાણવારૂપ જે સમ્યગુજ્ઞાન, એવા તે જ્ઞાનના યોગથી, તેઓ બહારથી બહુશ્રુત ન ભણેલા છતાં પણ અતિતીર્ણસૂક્ષમ પ્રજ્ઞા વડે બહુ ભણાવનાર જાડી બુદ્ધિવાળા પુરુષે ન જાણેલું તત્વ સારી રીતે સમજી જાય છે. તે માટે કહેવું છે કે –“ તીક્ષણ બુદ્ધિવાળા અલ્પ સ્પર્શ કરે છે અને બાણની જેમ અંદર પ્રવેશ કરે છે, સ્થલપુરુષે પત્થર માફક ઘણો સ્પર્શ થવા છતાં બહાર જ રહે છે.” અહીં માર્ગાનુસારી એટલે માગે તે કહેવાય કે, “ચિત્તનું સીધે માગે ગમન થવું, નળીમાં સ૫ સીધો ચાલે તેના સરખો, વિશિષ્ટ ગુણસ્થાન-પ્રાપ્તિ થવાના કારણે પ્રકર્ષવાળા ગુણોને પામેલે, આત્મગુણમાં રમણતા કરતા, એવો જીવને પરિણતિ-વિશેષ, તેને અનુસરતે તેવા પ્રકારના સ્વભાવવાળો જે છે, તેનાથી શુભ પરિણામવાળે સમજ. . સંપ્રદાયાનુસાર કથાનક આ પ્રમાણે જાણવું. મા રુસ મા તુસ ગુણરત્નના મહાનિધાન સમાન શ્રતને અથી એવા અનેક શિષ્યોથી સેવાતા ચરણ-કમળવાળા, સૂત્ર અને અર્થરૂપી જળનું દાન આપવામાં મેઘ સમાન, તેમ જ કોઈ દિવસ તેમને તેમાં શ્રમ લાગતા ન હતા, સંઘાદિ કાર્ય–ભારનો નિસ્તાર કરવા માટે વૃષભ સમાન એવા કોઈક આચાર્ય હતા. તે આચાર્યના બીજા એક ભાઈ હતા કે, જેઓ વિશિષ્ટ કૃતથી રહિત હતા, પિતાની ઈચ્છા પ્રમાણે ખાવા-પીવાની સ્વાર્થ ક્રિયા, નિદ્રા લેવી ઈત્યાદિ કાર્યોમાં પ્રમાદ વગરના હતા. કોઈક દિવસે આચાર્ય થાકી ગયા હતા, છતાં અલ્પબુદ્ધિવાળા, અવસરને નહિ ઓળખનારા શિષ્યએ તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. ત્યારપછી થાકેલ દેહવાળા હોવાથી વ્યાખ્યાન કરવા અસમર્થપણાથી ચિત્તમાં ખેદ પામ્યા અને આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ખરેખર આ મારે ભાઈ પુણ્યશાળી છે. કારણ કે, જ્ઞાનાદિ ગુણ વગરને સુખેથી આરામ કરે છે, ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy