SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] ઉપદેશપદ-અનુવાદ મહાવતો સમજવો. જેમ ઉઝિકાએ તે શાલિના દાણા કચરામાં ફેંકી દીધા, તેમ કોઈ જીવ કુકર્મવશ બનીને સમગ્ર મનોરથની સિદ્ધિ કરનાર, ભવદુઃખથી તારનાર, અંગીકાર કરેલાં મહાવ્રતાદિકનો ત્યાગ કરીને મરણાદિ આપત્તિઓને ભોગવનાર થાય છે. વળી બીજા કેઈ બીજી વહુની જેમ વસ્ત્ર, ભજન, જલ વગેરેનો લાભ પામીને તેને ભેગવટ કરીને પરલેકમાં લાખ દુઃખની ખાણ સમાન દુર્ગતિમાં હેરાનગતિ ભોગવે છે. તેનાથી જે ત્રીજે તે મેળવેલાં મહાવ્રતને પિતાના જીવની જેમ રક્ષણ કરે છે. ત્રીજી વહુ સર્વમાં ગૌરવસ્થાન પામી. વળી રોહિણે વહુ સમાન કેઈક સાધુ પાંચ મહાવ્રતની વૃદ્ધિ અનેક સાધુ-સમુદાયની વૃદ્ધિ કરનાર થાય, તે સંઘની અંદર પ્રધાન કે ગણધ થાય. વ્યવહારમાં આનો બીજો પણ ઉપનય ઘટી શકે છે– કોઈ ગુરુને ચા૨ શિષ્ય થયા. પર્યાય અને શ્રત વડે સમૃદ્ધ એવા તે ચારે આચાર્યપણાની યોગ્યતાવાળા થયા. ગુરુ વિચારવા લાગ્યા કે, “આ મારે સમુદાય હું કોને સમર્પણ કરું? પ્રથમ તે તેમની પરીક્ષા કરવા માટે દેશાંતરમાં વિહાર કરાવું.” ઉચિત પરિવાર-સહિત તેમને રજા આપીને મોકલ્યા. કોને કેવી કઈ અહિં સિદ્ધિ થાય છે? ક્ષમાદિ ગુણયુક્ત તેઓ પણ દેશોમાં ગયા. તેમાં જે સહુથી ૪ હતો, તે બહુ માયા-પ્રપંચ કરનાર, કટુ વચન બેલનાર, એકાંત અનુપકારી, આખા પરિવારને તેના ઉપર ઘણો કંટાળો ઉત્પન્ન થ, એકદમ આખો પરિવાર તેને ત્યાગ કરવા તૈયાર થયો. બીજે શાતા-ગૌરવપણાની અધિકતાથી પિતાના દેહની જ ટાપટીપ શિષ્ય પાસે કરાવવી, પિતાના શરીર સિવાય શિષ્યવર્ગના અધ્યાપનાદિ કે કિયા તરફ લક્ષ આપતા ન હતા. ત્રીજા હતા, તે પોતાના પરિવારને સારણા, વારણા, નેદના, પ્રતિદિના આદિ કાર્યોમાં હંમેશાં ઉદ્યમી હતા. અપ્રમત્તભાવથી ગચ્છનું રક્ષણ કરતા હતા. (૫૦) જે વળી ચોથા ગચ્છનાયક હતા, તેમણે તે સમગ્ર પૃથ્વી-મંડળમાં યશ ઉપાર્જન કર્યો. જિનેશ્વરનાં શાસ્ત્રરૂપી અમૃતના મેઘતુલ્ય દુષ્કર શ્રમણ્ય પાળવામાં તત્પર હતા. જાણે દેવલોકમાંથી અવતરેલા હોય, તેમ અતિશય સંતેષ પામેલા, પોતાના ગુણોથી પોતાના વિહાર-ભૂમિતલમાં ધમ–પ્રભાવના કરતા, દેશના જાણકાર, કાળના જાણકાર, પારકા ચિત્તને ઓળખનાર હતા. કાળ જતાં મોટા પરિવાર-યુક્ત થયા અને અનેક લોક–સમુદાયને પ્રતિબંધ કર્યો. ગુરુ પાસે આવ્યા અને તે સર્વેના વૃત્તાન્ત જાણ્યા. એટલે પિતાના ગચ્છને મૂકી દીધું હતું, તેને એવા પ્રકારના અધિકાર–પદે સ્થાપ્યા કે, ગ૭માં સચિત્ત કે અચિત્ત જે કાંઈ છાંડવા યુક્ત કે પરઠવવા યોગ્ય હોય તેવાં કાર્યો કરવા માટે પ્રથમના શિષ્યને સ્થાપન કર્યો. સમુદાયને પ્રાયોગ્ય જે કંઈ આહાર-પાણી, ઉપકરણ વગેરે બીજાએ ઉત્પન્ન કરવું, તેમાં સમુદાયમાં ગ્લાન, નવશિષ્પો વગેરેનું ચતુરાઈ પૂર્વક રક્ષણ કરવાનું કાર્ય ત્રીજા શિષ્યને સેપ્યું. જે તેઓને સહુથી નાનો ગુરુભાઈ હતું, તેને બહુ સનેહ-પરાયણ મનવાળા ગુરુએ પિતાને આખો ગ૭ સેં. એ પ્રમાણે યથાયોગ્ય કાર્યની વહેંચણું કરવા રૂપ નિયોજન કરીને તે સૂરિ અને ગ૭ શ્રેષ્ઠ આરાધના કરી સર્વ ગુણોના આશ્રયસ્થાન બન્યા. (૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy