SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિથી ધર્મ-વિચારણ [ ૨૦૩ જણાવેલ છે. પરંતુ કેઈક જ વખત કાલાદિસમૂહ હેતુ બને છે, તેમ નહિં. અત્યારે પ્રવર્તતા દુઃષમાકાળરૂપી રાત્રિના બલથી કુબધરૂપી અંધકાર-સમૂહને દૂર કરનાર સૂર્ય સમાન શ્રીસિદ્ધસેન દિવાકર વગેરે પૂર્વાચાર્યોએ આ પાંચેના સમૂહને ઉત્પત્તિ કરનાર રૂપે નિરૂપણ કરેલ છે. આ વાત શ્રુતજ્ઞાન-ચિન્તાજ્ઞાનપણે ન વિચારતાં ભાવના જ્ઞાન સ્વરૂપે ભાવથી સમજવા લાયક છે. (૧૬૫) હવે અહિં પ્રસંગોપાત્ત કારણ-કલાપની અંદર રહેલા સારી રીતે સમજી શકાય તેવા અને પ્રધાનતા પામેલા એવા દેવ-ભાગ્ય-નસીબ શબ્દથી ઓળખાતા અને પુરુષાર્થ એટલે જીવને પ્રયત્ન-વિશેષ એ બેને આશ્રીને કંઈક વિશેષ સમજાવે છે – ૧૬૦–અહિં કાલાદિ–કલાપને કારણુભાવરૂપે જણાવવાથી વિસ્તારરૂપે વિચારણા કરી હોવાથી નિર્મલ બુદ્ધિશાળીઓ વડે આ વાતને નિશ્ચય કરવામાં આવ્યો કે, દવ એટલે પૂર્વે કરેલાં કર્મો અને પુરુષકાર એટલે જીવન વ્યાપાર-વિશેષ એટલે આ દેવનું ફલ, આ પ્રયત્નનું ફલ. આ બંને કંઈક જાણેલાં હોવા છતાં પણ ઘણા ભાગે બુદ્ધિશાળીઓને આ પદાર્થ કોઈ વખત સુખેથી સમજી શકાય તેમ નથી–એમ વિચારીને આ દેવ અને પુરુષાર્થને વિષય આ શાસ્ત્રના પછીના ભાગમાં “મુર દેવેન વિ *# પરિણ” (૩૫૦ ગા.) એ વગેરે ગ્રન્થથી આગળ સંક્ષેપથી જણાવીશું. કેવી રીતે ?તે કે શાસ્ત્રસિદ્ધ યુક્તિઓ વડે, જે વિસ્તારથી કહીએ તો શ્રોતાને સમજવું મુશ્કેલ થાય. (૧૬૬) આ પ્રમાણે બુદ્ધિવિષયક ગ્રન્થ શ્રવણ કરવાથી પ્રાપ્ત કરેલ બુદ્ધિવાળા પંડિત જે કરે, તે કહે છે ૧૯૭–આગળ જણાવેલ ઔત્પત્તિકી વગેરે બુદ્ધિ પામેલો આત્મા ધર્મની વિચાર કરે છે. કે ધર્મ ? તો કે, સર્વ પુરુષાર્થોમાં પ્રથમ સ્થાન પામેલા ધર્મનો, વળી સર્વ મનવાંછિત સિધિનું અમોઘ કારણ એવા શ્રત અને ચારિત્રની આરાધના રૂપ ધર્મસ્થ નક, વળી કે? ઉપાધિથી વિશુદ્ધ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવલક્ષણ, ઉત્સર્ગ અને અપવાદના ભાવથી યુક્ત, જેમાં દોષ ન હોય. જેમ કે, અત્યારે આ દ્રવ્યાદિક પ્રસ્તુત ધર્મસ્થાનકને સાધનારા છે કે બાધક છે. જે માટે કહેવું છે કે – દેશ, કાલ અને આગના કારણે તેવી કોઈ અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જેમાં અકાર્ય એ કાર્ય થાય અને કાર્ય હોય તેને ત્યાગ કરવો પડે. પિતાનું ઉચિત કર્મ હોય તેવું કાર્ય પણ છોડવું પડે. તે પછી ધર્મસ્થાનક માટે પણ, એ ચકારના અર્થથી સમજવું. વિચારવું. ક્રિયાપદ તે ચાલ્યું જ આવે છે. જેમ કે હું કયા ધર્મ સ્થાનક માટે લાયક છું?” કહેલું છે કે- “અત્યારે કર્યો કાળ વતે છે? મારા મિત્ર કોણ છે? મારી આવક કેટલી છે? મારે ખર્ચ કેટલો છે? હું કોણ છું? મારી શક્તિ કેટલી છે? આ વસ્તુ વારંવાર વિચારવી.” શક્તિ ઉપરાંત કે અનુચિત આરંભને નિષ્ફલ ગણેલે છે. કારણ કે, તેથી ચિત્તમાં વિષાદ વગેરે અનેક અનર્થ-સમૂહ ઉત્પન્ન થવાનો સંભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy