SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] ઉપદેશપદ-અનુવાદ સન્ય સાથે લઇ દૂર પાછા હટી જવું.' હવે લેાકાએ કહ્યું કે, ‘તેમ થવાની ખાત્રી કઈ ? તેણે કહ્યું કે, ‘સ્તૂપ ખાદશા--દૂર કરશે! તે શત્રુસૈન્ય સ્વદેશ તરફ ચાલવા માંડશે. ’ આવી ખાત્રી આપી, એટલે નગરલેાકાએ સ્તૂપના શિખરના અગ્રભાગને દૂર કરવાનું કાર્ય આરંભ્યું. જ્યારે શિખર ખાદી ખસેડવામાં આવ્યું, એટલે જતાં શત્રુ-સૈન્યને દેખીને લેાકેાને વિશ્વાસ ઉત્પન્ન થયા-એટલે આખા સ્તૂપ દૂર કર્યાં. ત્યાર પછી રાજા પાછે ફ્રીને આવ્યે અને નગરીના લેાકેાને વિડંબના પમાડવા લાગ્યા. જિનપ્રતિમા લઈને ચેટકરાજા કૂવામાં પડ્યા. આ ફૂલવાલક મુનિની દુર્ગતિગમન કરાવનારી પારિણામિકી બુદ્ધિ કે, જે સ્તૂપ પાડવાના ખાનાથી આવી મનેાહર નગરીના વિનાશ કરાગ્યે ! (૯૦) ગાથા અક્ષરા—મુનિસુવ્રતસ્વામી સંબંધી સ્તૂપ. બીજા સ્તૂપોની અપેક્ષાએ પ્રધાન સ્તૂપ, એક જ ઉદાહરણ, નહિં કે એ. ફૂલવાલક નામના દ્રોહી શિષ્ય, ગુરુમહારાજના આક્રોશ-શાપ મળવાથી તાપસાશ્રમમાં ગયા. માગધિકા વેશ્યાએ લાડુ ખવરાવી બિમાર પાડ્યો. તેની ચાકરી કરતાં કરતાં તેના પ્રત્યે કામરાગ પ્રગટાવી તેને સ્વાધીન કર્યો. ક્રમે કરી વૈશાલી નગરીના તેના દ્વારા વિનાશ સબ્યા. (૧૪૯) ૧૫૦—ગાથાના આદિ શબ્દથી સુમતિ નામના બ્રાહ્મણ પારિણામિકી બુદ્ધિમાં ઉદાહરણ સમજવુ. અધ, તે કેવી રીતે જાણી શકાયે ? સમુદ્રદેવ-સિદ્ધરાજે મત્રીની શેોધ કેવી રીતે કરી ? તેમાં બુદ્ધિશાળી સુમતિ માટે રાજાને કાને વાત આવી. રાજાએ તેને બેલાબ્યા. ખેર, અશ્વ અને કન્યાની વિશેષ પરીક્ષા માટે તેને નિયુક્ત કર્યા. નિશ્ચિત પ્રજ્ઞા હેાવાથી રાજાએ ખુશી થઈને માણા-પ્રમાણ લાટ, પલ-પ્રમાણ ગાળ, કર્ણાંક-પ્રમાણ ઘીની આવિકા પ્રથમ બાંધી આપી. બીજી વખત ખમણી, ત્રીજી વખત ચારગુણી આજીવિકા બાંધી આપી. તાપ પામેલા તેણે રાજાને કહ્યું કે, ‘હે દેવ ! તમે વિષ્ણુપુત્ર છે. સુમતિની કથા આ ગાથાની વ્યાખ્યા માટે મંહ વગેરે નવ ગાથાએ આગળ કહેશે. આ કથા પછી નવ ગાથાએ ૧૫૧ થી ૧૫૯ છે. વસંતપુર નામના નગરમાં વસતમાસ સરખા જ ખાકીના મહિનાએ હતા. સમગ્ર બીજા રાજાઓમાં સમુદ્રદેવ નામના મુખ્ય રાજા હતા. ખલ્યકાલમાં જ જેણે રાજ્ય મેળવેલુ છે, એવા તે પુણ્યશાળી અને પરાક્રમી હતા. વળી તે ધર્માંનાં ઉચિત સામાયિકાદિક સ્થાનાનું પણ સેવન કરતા હતા. પોતે જાતે જ રાજ્યનાં કાર્યાની ચિંતા રાખતા હતા. તેથી તેની અંદર સુખ કેમ મળે ? એવી રીતે ચિંતા કરતા મ`ત્રીની શેષ કરવા લાગ્યા. કહેલુ છે કે- જેમ મહાવાથી સારી રીતે કેળવાયેલા હાથીએ મામાં સરખી રીતે ગમન કરે છે, તે પ્રમાણે લેાકેામાં નિપુણ મંત્રીના બુદ્ધિગુણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy