SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ-ફૂલવાલક-કથા [ ૧૯૩ રક્ષાયેલો હશે, તો જે કઈ અતિચાર લાગેલ હશે, તેની ફરી વિશુદ્ધિ બની શકશે અને અવિરતિ નહીં પામે.” આ પ્રમાણે સિદ્ધાંતાનુસાર અભિપ્રાય વચને સાંભળીને વેયાવચ્ચ કરવાની માગધિકાને રજા આપી. તો શરીર સાફ કરવું, તેલ-માલીશ કરવું, ધોવું, બેસાડવા, સૂવરાવવા વગેરે તેની સર્વ ક્રિયાઓ સામે બેસીને કરવા લાગી. એમ તુષ્ટ થયેલી તે ગણિકા દરરેજ તેના શરીરની સાર-સંભાળ કરવા લાગી. કેટલાક દિવસે વીત્યા પછી ઔષધ–કેગથી તેનું શરીર નિરોગી થઈ ગયું. હવે તે તપસ્વીને એક દિવસ શ્રેષ્ઠ ઉભેંટ શુંગારરસ ઉત્પન્ન કરનાર વસ્ત્રાભૂષણથી અલંકૃત અંગવાળી બની વિકાર-સહિત તેને–એમ કહેવા લાગી કે-“હે પ્રાણનાથ ! ગાઢ અતિશય મમતાથી મનોહર મારું વચન સાંભળે –“સુખના રાશિના નિધાનભૂત મારી સાથે ભેગ ભેગ અને દુષ્કર આ તપ-વિધાનો ત્યાગ કરો. શરીર શોષવનાર એવાં આ વરી સરખાં વિધાને હંમેશાં કરવાથી લાભ? તમને અહિં મેળવવા લાયક તપનું ફળ તો મળી જ ગયું છે કે, “બટમેગરાની કળી સરખી દંતપંક્તિવાળી હું આપને સ્વાધીન છું. બીજુ અનેક દુષ્ટ ધાપદના સમૂહથી દુર્ગમ એવા જંગલમાં આપ આશ્રય કરીને રહેલા છે, માટે અમારી સાથે ચાલો, જેથી આપણે રતિ સરખા સુંદર રૂપવાળી અને હરણ સરખા નેત્રવાળા સુંદર મનહર નગરમાં જઈએ. ખરેખર તમે અજ્ઞાની ધૂને સમુદાયથી લેચ કરાવેલા મસ્તકવાળા અહિં નિવાસ કરી રહી છે, તેથી તમે ઠગાયેલા જણાય છે. તમે મારા ભવને આવીને મારી સાથે વિલાસકીડા નહિં કરો ? હવે તો હે નાથ ! તમારા થડા વિરહમાં પણ મારા પ્રાણ નીકળી જાય છે, તો મારી સાથે ચાલો અને દૂર દેશાવરમાં રહેલાં તીર્થોને વાદીએ. એમ કરવાથી તમારાં અને મારાં કરેલાં સમગ્ર પાપકર્મો ક્ષય પામશે. પાંચ પ્રકારની ઇન્દ્રિયના વિષયે આપણે સાથે ભોગવીએ, તે જ આપણું જીવ્યું પ્રમાણ.” આ પ્રમાણે વિકારવાળી મનહર વાણીથી તેને પ્રાર્થના કરી, એટલે તે ક્ષોભ પામ્યા અને ધર્મની મકકમતાનો ત્યાગ કર્યો, પ્રવ્રયા છેડી. અત્યંત હર્ષ પામેલા મનવાળી તે ગણિકા ફલવાલકને સાથે લઈને અશોકચંદ્ર રાજા પાસે આવી પગમાં પડીને વિનંતિ કરવા લાગી કે, “હે દેવ! આ તે જ ફૂલવાલક મુનિ અને મારા પ્રાણનાથ. તેમના દ્વારા અત્યારે જે કરવાનું હિય, તેની આજ્ઞા આપે.” (૮૦) રાજાએ કહ્યું કે, “હે ભદ્રક ! તેવા પ્રકારને કઈ ઉપાય કરો કે, જેથી આ નગરી ભગ્ન થાય.” તે વચન અંગીકાર કરીને તેણે ત્રિદંડીનો વેષ ગ્રહણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. નગરીની મધ્યમાં મુનિસુવ્રત ભગવંતને સૂપ દેખીને વિચાર્યું કે, “નક્કી આના પ્રભાવથી નગરી ભગ્ન થતી નથી. હવે તે ઉપાય કરું કે, “આ નગરના જ રહેવાસી લોકો તે સ્તૂપને ઉખેડી દૂર કરે.” એમ વિચારીને અરે લોકો ! જે આ રતૂપ તમે જલ્દી ખસેડી નાખશે, તો જ શત્રુન્ય સ્વદેશમાં પાછું જશે, નહિતર તમારા જીવતાં સુધી આ સન્યને ઘેરા ખસવાને નથી.” રાજાને પ્રથમથી સંકેત કરી રાખેલ કે, “જ્યારે સ્તૂપ ખોદી દૂર કરાય, ત્યારે તમારે પોતાનું સર્વ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy