SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] ઉપદેશપદ-અનુવાદ ૨ જાના દૂત સરખું કાન સુધી ખેંચેલ એવું એક બાણ તેના તરફ ફેંક્યું, તે કોણિક રાજાની વચ્ચે ચમરેન્દ્ર સ્ફટિક શિલાના બનાવેલ બખ્તરથી ખલના પામ્યું. તે દેખીને એકદમ વિસ્મય પામેલા ચેટકરાજા વિચારવા લાગ્યા કે, “આ અમોઘ શસ્ત્ર પણ ખલના પામ્યું અને મારું એક બાણ નિષ્ફળ નીવડયું, એટલે હવે મારે યુદ્ધ કરવું યુક્ત નથી.” એમ વિચારી વેગથી નગરમાં પ્રવેશ કર્યો. (૫૦) વળી અસુરેન્દ્ર ચમર અને સૌધર્મઇન્દ્ર નિર્માણ કરેલ રથમુશલ અને શિલાકંટક નામના યુદ્ધ વડે ચતુરંગ સૈન્ય પણ વિનાશ પામ્યું. ચેટકરાજાની વૈશાલી નગરીને ઘેર ઘાલી અશોકચંદ્ર લાંબા કાળ સુધી ત્યાં રોકાયે, પરંતુ ઉંચા કિલાયુક્ત તે નગરી કઈ પ્રકારે ભાંગી શકાતી નથી. એક પ્રસ્તાવમાં જ્યારે અશોકચંદ્ર રાજા તેને ભાંગી શકતો નથી અને જ્યારે પાછો પડાવમાં આવી રહેલો હતો, ત્યારે દેવતાએ આ પ્રમાણે તેને સંભળાવ્યું કે, “જે કોઈ પ્રકારે કૂલવાલક મુનિને માગધિકા ગણિકા પ્રાપ્ત કરે અને અહિં લાવે તો વૈશાલી નગરી સ્વાધીન કરી શકાય.” સાંભળી તે હર્ષથી વિકસિત વદનવાળો થયે. જાણે કાનપુટ વડે અમૃતપાન કર્યું હોય, તેમ આ વચન સાંભળીને રાજા લોકોને પૂછવા લાગ્યું કે, “તે ક્યો શ્રમણ છે?” હવે કોઈ પ્રકારે લોકમુખથી નદી કાંઠે રહેલા તેને જાણીને ગણિકા સ્ત્રીઓમાં પ્રધાન એવી માગધિકાને રાજાએ બોલાવી. તેને કહ્યું કે, “હે ભદ્ર! તે કૂલવાલક સાધુને અહીં લઈ આવ.” વિનયવંતી એવી તેણે “તે કાર્ય હું કરીશ” એમ કબૂલાત આપી. ત્યાર પછી પિતે કપટશ્રાવિકા બની. કેટલાક સથવારા સહિત તે સ્થાને પહોંચી. વિનયપૂર્વક તે સાધુને વંદન કરી કહેવા લાગી કે, “ગૃહનાથ સ્વર્ગે સીધાવ્યા એટલે જિનેન્દ્રોના ભવનની યાત્રા કરવા માટે નીકળી છું. અહિં તમે છે-એમ સાંભળીને આપને વંદન કરવા માટે આવેલી છું. તે આજને મારે સોનેરી દિવસ છે. પ્રશસ્ત તીર્થ સ્વરૂપ આપનાં મને દર્શન થયાં, તે “હે મુનિપ્રવર ! હવે ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.” કારણ કે, તમારા સરખા તપસ્વીના ઉત્તમ પાત્રમાં અલ્પ પણ સ્થાપેલું દાન અ૫ કાળમાં સ્વર્ગ અને અપવર્ગના સુખનું કારણ થાય છે. તે પ્રમાણે કહેવાયેલ આ ફૂલવાલક ભિક્ષા માટે આવ્યું, એટલે માગધિકાએ ખરાબ પદાર્થો ભેળવેલા લાડવા વહરાવ્યા. તેનું ભોજન કર્યા પછી તરત જ તેને સજજડા અતિસાર રોગ ઉત્પન્ન થયા. તેથી કરીને નિર્બલ બની ગયે અને પડખું ફરવા માટે પણ અસમર્થ થઈ ગયે. ગણિકાએ કહ્યું કે, “હે ભગવંત! હું આપની કૃપાથી શાસ્ત્રમાં જણાવેલા ઉત્સગ–અપવાદને જાણનારી છું.” એક તે આપ ગુરુ મહારાજ છે, સાધમિક બંધુ છો; તે આપના રોગને પ્રતિકાર આપને કેપે તેવા ફાસુક-અચિત્ત દ્રવ્યોથી કરું.” આ પ્રમાણે રોગના ઔષધ કરવામાં કયે અસંયમ થવાનું છે? તે મને વેયાવચ્ચ કરવાની આજ્ઞા આપો. શરીર જ્યારે નિરોગી થાય, ત્યારે આ વિષયમાં લાગેલા નું પ્રાયશ્ચિત્ત કરી લેજે. કેઈ પ્રકારે આત્માનું રક્ષણ કરવું. તે માટે કહેલું છે કે, સર્વ પ્રકારે સંયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માને જ રક્ષ, જે આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy