SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિકી બુદ્ધિ-સુમતિ મંત્રીની કથા [ ૧૯૫ રાજ્યનાં કાર્યો પણ સુખપૂર્વક ચાલે છે. જેમ અંધકારમાં પડેલી વસ્તુ આંખ હવા છતાં દેખાતી નથી, તેમ સમસ્ત લક્ષમી હોવા છતાં પણ અતિગાઢ અંધકાર–અજ્ઞાન હોય, ત્યાં રાજાઓ પણ પિતાની લક્ષ્મીને જાણી શકતા નથી. જગતમાં પ્રકાશ સહિત રૂપ યથાર્થ પણે આંખ દેખે છે, તેમ મંત્રીરૂપી પ્રકાશયુક્ત રાજા પણ તે જ પ્રમાણે કાર્યોનો સાધક થાય છે. જે રાજા પાસે ચતુર બુદ્ધિશાળી કાર્ય વહન કરનાર મંત્રી નથી, તે રાજાને સારી લક્ષમી કે હરિણાક્ષી સ્ત્રીઓ ક્યાંથી હોય ? લોકવાયકાથી સાંભળ્યું કે, અહિં સુમતિ નામનો ઉત્તમ બ્રાહ્મણ છે કે, જેણે પોતાની બુદ્ધિના ગુણે કરીને બૃહસ્પતિને પણ જિતેલો છે, પરંતુ તે નેત્ર વગરને છે. રાજાએ તેને ગૌરવ–પૂર્વક બેલા અને રાજાને વહન કરવા યોગ્ય હાથણની એક બાજુ તેને બેસાડ્યો. તેના ઉપર રાજા આરૂઢ થયા. ત્યાર પછી રાજાએ કહ્યું કે, “માર્ગમાં આવતી બોરડી ઉપર ઘણું પાકેલાં ફળ હશે, માટે તેનું ભક્ષણ કરવા જઈએ.” “નક્કી તે બેરાં ખાવા લાયક ન ગણાય. કારણ કે, વહેતા ચાલુ માર્ગમાં અનેક પથિકલોક આવે-જાય, એટલે કેઈએ. પણ તે ખાધેલાં હોય, માટે તેવાં બોરનું ભક્ષણ કરવું યંગ્ય ન ગણાય.”—એમ કહી. સુમતિએ રાજાને પ્રતિષેધ કર્યો. તેવા પ્રકારના લોકોને ભક્ષણ કરાવવાના પ્રયોગથી તે જાણી લીધાં હતાં. એટલે ખુશ થયેલા રાજાએ પ્રથમ પ્રસાદરૂપે તેની આજીવિકા માટે માણા–પ્રમાણ લોટ, પલ–પ્રમાણ ગોળ અને કર્ષ–પ્રમાણ થી આપવાનું નક્કી કર્યું. તેની બુદ્ધિ સ્થિર છે કે કેમ? તે જાણવા માટે વળી કઈ વખત રાત્રિએ અતિ બેડોળ. આકારવાળા હઠીલા અધમ અશ્વ પાસે લઈ જઈને તેને પૂછ્યું કે, “આ વેચાવા આવેલ છે, તે ગ્રહણ કરે કે નહિં?” ત્યારે તે સુમતિ બ્રાહ્મણે મુખથી માંડી છેક પુંડ ભાગ સુધી તેને પંપાળી છે અને તેનાં રૂંવાડાં બરછટ લાગ્યાં, એટલે જણાવ્યું કે, “જેનાં રૂંવાડાં કેમળ હોય, તે જાતિવંત અશ્વ કહેવાય. સાચે જ આ મોટો હોવા છતાં જાતિવંત ઘોડે નથી.” આ સાંભળી રાજા અધિક સુઇ ચિત્તવાળો થયે અને પહેલાં જે આજીવિકા બાંધી આપી હતી, તેના કરતાં બમણી કરી આપી. વળી બીજા કોઈક દિવસે અધિવાસિત કરેલી બે કન્યાઓ મોકલી અને પૂછ્યું કે, “આમાંથી કઈ પરણશે?” તેણે કન્યાનું કુલ જાણવા માટે વદનપ્રદેશથી માંડી કટપ્રદેશ સુધી હાથ વડે એક કન્યાને ધીમે ધીમે સ્પર્શ કર્યો, પરંતુ તે કન્યા લગાર પણ ક્ષેાભ ન પામી. તેની માતા નિર્લજજ હેવાથી આ કન્યા આવા પ્રકારની લજજા અને ક્ષોભ વગરની છે.”-એમ ચિતવને આ વેશ્યાની પુત્રી છે”—એમ કરીને પ્રતિષેધ કર્યો કે, “આ પરણશે નહિં.” બીજી કન્યાને સ્પર્શ કરતો હતો, ત્યારે તેણે એકદમ રેષ પામીને આકરાં વચન સંભળાવીને તેનો તિરસ્કાર કર્યો કે, “હે આંધળા ! તું કુળવાન નથી, તું શરમ વગરને છે.” આ ઉત્તમ કુળમાં જન્મેલી છે, નહિંતર સુશીલપણું કેવી રીતે પામે? આ કમળ સરખા ઉજજવલ શીલવાળી છે”-એમ રાજાને નિવેદન કર્યું. વિવાહના મોટા આડંબર કરવા પૂર્વક ઘણું આનંદથી તેને પરણાવી. બીજી વખત કરતાં પણ બમણ પ્રમાણુવાળી આજીવિકા બાંધી આપી. ત્યાર પછી સુમતિએ કહ્યું કે, “હે દેવ! આપ વણિકપુત્ર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy