SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] ઉપદેશપદ–અનુવાદ માણસે પરીક્ષા કરવાનો આરંભ કર્યો. કેવી રીતે ?—આ શતકાલ-શિયાળામાં ઉછ્યું, તેથી કરી ક્રમ બદલાયે. ખરા જુના આમળા સાથે કૃત્રિમ આમળાની સરખામણી કરી. પાકેલાં આમળાં કેવા પ્રકારનાં હેય? અને કૃત્રિમમાં તેવા પ્રકારનાં લક્ષણો હતાં નથી, ખરા આમળામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે લક્ષણો હોય છે અને કૃત્રિમ (બનાવટી)માં તેવાં રૂપાદિ લક્ષણો હોતાં નથી. આવી રીતે કૃત્રિમ આમળાની નિપુણ બુદ્ધિ અને તર્ક કરી પરીક્ષા કરી કે, કૃત્રિમ આમળાનાં લક્ષણો અને ખરા આમળાનાં લક્ષણો જુદા પ્રકારનાં હોય છે. ચતુર બુદ્ધિશાળી પુરુષ તેના ભેદો જાણે છે. આ વિષયમાં તેના જાણકારોએ જણાવેલું છે કે-“આમ્ર-પલનાં પુષ્પ તેમ જ ફળોને આકાર સર્વત્ર સમાન હોય છે. પરંતુ રસાસ્વાદમાં નજીકની ભૂમિમાં ઉગેલા વૃક્ષે ના સ્વાદમાં ફરક હોય છે.” (૧૪૫) ૧૪૬-મણિ નામના દ્વારનો વિચાર–કેઈક પ્રદેશમાં એક મણિધર સર્ષ એક વૃક્ષથી બીજા વૃક્ષ પર ચડીને પક્ષીઓના માળાઓમાં જે ઇંડાં મૂકેલાં હેય, તેનું ભક્ષણ કરતો હતે. કેઈક વખતે માળામાં આરૂઢ થયેલા ગીધે સપને હણી નાખ્યો. તે સપનો મણિ તે માળામાં પડી ગયે. નીચે રહેલા કૂવામાં તે મણિનાં કિરણો પડવાથી પાણીને રંગ લાલ દેખાવા લાગ્યા. ત્યાર પછી બાળકોએ વૃદ્ધ પુરુષને નિવેદન કર્યું, ત્યાર પછી મણિ ત્યાંથી ખસેડી નાખે, એટલે પાણું સ્વાભાવિક રૂપવાળું, હતું તેવું વર્ણ વગરનું દેખાવા લાગ્યું. સ્વાભાવિક વર્ણવાળું જળ થવાથી મણિનું જ્ઞાન થયું કે, “આ લાલવણ ઉપાધિથી થયેલે છે, પણ સ્વાભાવિક નથી.” પછી નીતિ પૂર્વક ઉપાયથી તેણે મણિ ગ્રહણ કર્યો. (૧૪૬) ૧૪૭-જેમને મહાયશ સર્વત્ર ફેલાય છે, એવા ગુણેના સ્થાનરૂપ કઈ ગચ્છમાં દીક્ષા, ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષાદિમાં સ્થાપન કરેલ ચિત્તવાળા ગીતાર્થ આચાર્ય હતા. તેઓ વિચરતા વિચરતા પુરાણ એવા વસંતપુર નામના નગરમાં પહોંચ્યા. વિકાર-રહિત એવા તેઓ સાધુવને ઉચિત એવી વસતિમાં રોકાયા. તે ગ૭માં એક છડું, અઠ્ઠમ આદિ આકરા તપ કરવામાં તત્પર એવા તપસ્વી સાધુ હતા. કોઈક સમયે પ્રભાતમાં પારણા માટે શિક્ષાચર્યાએ નીકળ્યા અને ધર્મ માં રંગાયેલા ભક્ત શ્રાવકને ત્યાં ગયા. એક તો તપસ્યાથી કાયા દુર્બલ પડી ગઈ હતી, તે કારણે ઉપગ-રહિતપણે પગથી એક દેડકી ચંપાઈ ગઈ અને તાલ મૃત્યુ પામી. પાછળ ચાલતા નાના સાધુએ મરેલી દેડકી દેખી કહ્યું કે, “આ દેડકી પ્રમાદથી તમારા વડે મૃત્યુ પામી છે.” કંઈક અલ્પ રોષ પામેલા તે તપસ્વી સાધુએ કહ્યું કે, “માર્ગે ચાલતા અનેક લેકેથી તે મૃત્યુ પામી હશે–એમાં મારો છે અપરાધ?”નાના સાધુએ વિચાર્યું કે, “હજુ પારણું થયું નથી, એટલે સુધાના ઉદયમાં અત્યારે તેને ખ્યાલ નથી, હવે જાતે સંધ્યા-સમયે આચાર્ય સમક્ષ આવશે એમ ધારી મૌન રહ્યો, તે સમયે યાદ કરાવતું નથી. સંધ્યા-સમયે પ્રતિક્રમણના અવસરે બાકી રહેલા અપરાધ-પદોની આલેચના કરતી વખતે ભુલક સાધુએ પેલા તપસ્વી સાધુને આલેચના કરીને ઉભા થયા ત્યારે યાદ દેવરાવ્યું કે, “પેલી દેડકી જે પ્રમાદથી છુંદાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy